અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક, વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-11-15 21:58:27

અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની બદલીનો મુદ્દો હજુ પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી હતી. જો કે તેમની બદલી બાદ હાલ અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે, હવે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં?


કોંગ્રેસના અગ્રણી નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અમરેલીની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતીને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, છેડતી, દારૂ તથા અસામાજીક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાનગતિ વધી હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર વિપુલભાઈ શેલડીયા પર ખાંભા તાલુકાના કોટડા નજીક હુમલો થયો તે ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સ્થાનિક પોલીસે તે અંગે તપાસ વ્યવસ્થિત કરી પણ જિલ્લામાં પોલીસની જે ધાક હોવી જોઈએ તે ઓછી થતી જાય છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી વધી રહી છે અને છેડતીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગેરકાયદે ખનન મામલે તંત્ર મૌન


મુખ્યમંત્રી લખેલા પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, જિલ્લામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે અને તેમાં શાસક ભાજપના આગેવાનોની સંડોવણી હોવાનું પણ બની શકે છે. વ્યાજંકવાદ વધ્યો છે.  વ્યાજખોરો દ્વારા ઉંચુ વ્યાજ વસુલી ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું વધ્યું છે. રેતી ખનનમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનું ચર્ચાય છે ત્યારે પોલીસ આ બાબતે કેમ મૌન છે?. તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહેસુલી તંત્ર ખનન પ્રવૃત્તિ મામલે તદ્દન મૌન છે.  વિરજી ઠુમ્મરના આ પત્ર બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરે છે કે કેમ તેના પર સૌની નજર છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .