અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક, વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-11-15 21:58:27

અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની બદલીનો મુદ્દો હજુ પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી હતી. જો કે તેમની બદલી બાદ હાલ અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે, હવે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં?


કોંગ્રેસના અગ્રણી નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અમરેલીની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતીને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, છેડતી, દારૂ તથા અસામાજીક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાનગતિ વધી હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર વિપુલભાઈ શેલડીયા પર ખાંભા તાલુકાના કોટડા નજીક હુમલો થયો તે ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સ્થાનિક પોલીસે તે અંગે તપાસ વ્યવસ્થિત કરી પણ જિલ્લામાં પોલીસની જે ધાક હોવી જોઈએ તે ઓછી થતી જાય છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી વધી રહી છે અને છેડતીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગેરકાયદે ખનન મામલે તંત્ર મૌન


મુખ્યમંત્રી લખેલા પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, જિલ્લામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે અને તેમાં શાસક ભાજપના આગેવાનોની સંડોવણી હોવાનું પણ બની શકે છે. વ્યાજંકવાદ વધ્યો છે.  વ્યાજખોરો દ્વારા ઉંચુ વ્યાજ વસુલી ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું વધ્યું છે. રેતી ખનનમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનું ચર્ચાય છે ત્યારે પોલીસ આ બાબતે કેમ મૌન છે?. તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહેસુલી તંત્ર ખનન પ્રવૃત્તિ મામલે તદ્દન મૌન છે.  વિરજી ઠુમ્મરના આ પત્ર બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરે છે કે કેમ તેના પર સૌની નજર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.