અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ચિંતાજનક, વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-11-15 21:58:27

અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની બદલીનો મુદ્દો હજુ પણ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી SP તરીકે ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાયની પસંદગી કરવામાં આવી હતી. જો કે તેમની બદલી બાદ હાલ અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી છે, હવે આ બાબતને લઈને કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં?


કોંગ્રેસના અગ્રણી નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અમરેલીની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતીને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, છેડતી, દારૂ તથા અસામાજીક તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાનગતિ વધી હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદાર વિપુલભાઈ શેલડીયા પર ખાંભા તાલુકાના કોટડા નજીક હુમલો થયો તે ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સ્થાનિક પોલીસે તે અંગે તપાસ વ્યવસ્થિત કરી પણ જિલ્લામાં પોલીસની જે ધાક હોવી જોઈએ તે ઓછી થતી જાય છે. જિલ્લામાં દારૂ-જુગારની બદી વધી રહી છે અને છેડતીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગેરકાયદે ખનન મામલે તંત્ર મૌન


મુખ્યમંત્રી લખેલા પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, જિલ્લામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે અને તેમાં શાસક ભાજપના આગેવાનોની સંડોવણી હોવાનું પણ બની શકે છે. વ્યાજંકવાદ વધ્યો છે.  વ્યાજખોરો દ્વારા ઉંચુ વ્યાજ વસુલી ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાનું વધ્યું છે. રેતી ખનનમાં હપ્તાખોરી ચાલી રહી હોવાનું ચર્ચાય છે ત્યારે પોલીસ આ બાબતે કેમ મૌન છે?. તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. મહેસુલી તંત્ર ખનન પ્રવૃત્તિ મામલે તદ્દન મૌન છે.  વિરજી ઠુમ્મરના આ પત્ર બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુધરે છે કે કેમ તેના પર સૌની નજર છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.