લુણાવાડા બેઠક પર જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર સામે વિવિધ સમાજના આગેવાનોનો વિરોધ, ઉમેદવાર બદલવાની કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2022-11-14 12:40:04

ભાજપને હવે ઉમેદવાર બદલવા માટે લાઈન લાગી, જીજ્ઞા પંડ્યાની કાપી તો જીજ્ઞેશ સેવકની પણ કાપી! ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. લુણાવાડા બેઠક માટે ભાજપે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ બેઠક માટે બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.  

Jignesh Sevak (@jigneshsevakbjp) | nitter

લુણાવાડ બેઠક માટે ભાજપે કરવું પડશે મનોમંથન

ચૂંટણી સમયે સરકાર કોઈ પણ સમાજને નારાજ કરવા નથી માગતી. સત્વારા સમાજને સાચવવા ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના ઉમેદવારને બદલી દીધા છે. કાળું માલીવાડ, શૈલેષ ઠાકર, જે. પી પટેલ સહિતના લોકોએ લુણાવાડા બેઠક પર બીજા ઉમેદવારને ઉતારવાની માગ કરી છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉમેદવારને બદલવા માટે આગેવાનો મોવડી મંડળનો પણ સંપર્ક કર્યો હતો. તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપે જ્યારથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતા પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.  સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને જોતા લાગે છે કે જીજ્ઞેશ સેવકની દાવેદારી અટકી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.