લુણાવાડા બેઠક પર જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર સામે વિવિધ સમાજના આગેવાનોનો વિરોધ, ઉમેદવાર બદલવાની કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2022-11-14 12:40:04

ભાજપને હવે ઉમેદવાર બદલવા માટે લાઈન લાગી, જીજ્ઞા પંડ્યાની કાપી તો જીજ્ઞેશ સેવકની પણ કાપી! ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. લુણાવાડા બેઠક માટે ભાજપે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ બેઠક માટે બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.  

Jignesh Sevak (@jigneshsevakbjp) | nitter

લુણાવાડ બેઠક માટે ભાજપે કરવું પડશે મનોમંથન

ચૂંટણી સમયે સરકાર કોઈ પણ સમાજને નારાજ કરવા નથી માગતી. સત્વારા સમાજને સાચવવા ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના ઉમેદવારને બદલી દીધા છે. કાળું માલીવાડ, શૈલેષ ઠાકર, જે. પી પટેલ સહિતના લોકોએ લુણાવાડા બેઠક પર બીજા ઉમેદવારને ઉતારવાની માગ કરી છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉમેદવારને બદલવા માટે આગેવાનો મોવડી મંડળનો પણ સંપર્ક કર્યો હતો. તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપે જ્યારથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતા પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.  સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને જોતા લાગે છે કે જીજ્ઞેશ સેવકની દાવેદારી અટકી શકે છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"