લુણાવાડા બેઠક પર જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર સામે વિવિધ સમાજના આગેવાનોનો વિરોધ, ઉમેદવાર બદલવાની કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2022-11-14 12:40:04

ભાજપને હવે ઉમેદવાર બદલવા માટે લાઈન લાગી, જીજ્ઞા પંડ્યાની કાપી તો જીજ્ઞેશ સેવકની પણ કાપી! ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. લુણાવાડા બેઠક માટે ભાજપે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ બેઠક માટે બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.  

Jignesh Sevak (@jigneshsevakbjp) | nitter

લુણાવાડ બેઠક માટે ભાજપે કરવું પડશે મનોમંથન

ચૂંટણી સમયે સરકાર કોઈ પણ સમાજને નારાજ કરવા નથી માગતી. સત્વારા સમાજને સાચવવા ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના ઉમેદવારને બદલી દીધા છે. કાળું માલીવાડ, શૈલેષ ઠાકર, જે. પી પટેલ સહિતના લોકોએ લુણાવાડા બેઠક પર બીજા ઉમેદવારને ઉતારવાની માગ કરી છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉમેદવારને બદલવા માટે આગેવાનો મોવડી મંડળનો પણ સંપર્ક કર્યો હતો. તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપે જ્યારથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતા પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.  સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને જોતા લાગે છે કે જીજ્ઞેશ સેવકની દાવેદારી અટકી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.