લુણાવાડા બેઠક પર જાહેર કરાયેલા ભાજપના ઉમેદવાર સામે વિવિધ સમાજના આગેવાનોનો વિરોધ, ઉમેદવાર બદલવાની કરી રહ્યા છે માગ


  • Published By :
  • Published Date : 2022-11-14 12:40:04

ભાજપને હવે ઉમેદવાર બદલવા માટે લાઈન લાગી, જીજ્ઞા પંડ્યાની કાપી તો જીજ્ઞેશ સેવકની પણ કાપી! ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. લુણાવાડા બેઠક માટે ભાજપે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે પરંતુ વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ બેઠક માટે બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.  

Jignesh Sevak (@jigneshsevakbjp) | nitter

લુણાવાડ બેઠક માટે ભાજપે કરવું પડશે મનોમંથન

ચૂંટણી સમયે સરકાર કોઈ પણ સમાજને નારાજ કરવા નથી માગતી. સત્વારા સમાજને સાચવવા ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના ઉમેદવારને બદલી દીધા છે. કાળું માલીવાડ, શૈલેષ ઠાકર, જે. પી પટેલ સહિતના લોકોએ લુણાવાડા બેઠક પર બીજા ઉમેદવારને ઉતારવાની માગ કરી છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉમેદવારને બદલવા માટે આગેવાનો મોવડી મંડળનો પણ સંપર્ક કર્યો હતો. તેને જોતા લાગી રહ્યું છે કે ભાજપે જ્યારથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારથી અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતા પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.  સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતા વિરોધને જોતા લાગે છે કે જીજ્ઞેશ સેવકની દાવેદારી અટકી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.