Valsadમાં Dhaval Patelના વિરોધમાં પત્રિકા બોમ્બનો વરસાદ! શું વલસાડના ઉમેદવારને બદલશે BJP? સાંભળો Anant Patelએ આ મુદ્દે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-28 10:51:23

ભાજપમાં અત્યારે  કોઈ પણ લોકસભા બેઠક ઉઠાવી લો ત્યાં ડખા ચાલે છે. સાબરકાંઠામાં ઉમેદવારના નામને લઈને ચાલી રહેલો વિરોધ શાંત નથી થયો ત્યારે સુરેન્દ્રનગરમાં પણ સ્થિતિ કંઈક એવી જ છે. રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ છે અને વલસાડમાં ધવલ પટેલને હટાવવા લેટર બોમ્બનો વરસાદ થઈ રહ્યો છે.  

મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોને લઈ થઈ રહ્યો છે વિરોધ 

એક સમયે જેવી કોંગ્રેસની પરિસ્થિતિ હતી તેવી પરિસ્થિતિ હાલ ભાજપની જોવા મળી રહી છે.! રોજે નવા નવા ડખા ઉભરીને સામે આવી રહ્યા છે. ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ છલકાઈને બહાર આવી રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા સહિત દેશભરમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણીની જંગ ચાલી રહી છે પણ ભાજપમાં અંદરો અંદર બીજી જંગ જામી ગઈ છે. ભાજપે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાંથી મોટા ભાગની બેઠકો પર અત્યારે વિરોધ થઈ રહ્યો છે.


વલસાડ બેઠક માટે માનવામાં આવે છે કે... 

ભાજપ માટે માનવામાં આવતું હતું કે ભાજપ શિસ્તવાળી પાર્ટી છે, તેમાં ચાલતા ડખા બહાર નથી આવતા પરંતુ આ વખતે કદાચ ભાજપે જે નહીં વિચાર્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. અનેક લોકસભા બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે અને બેઠકો પર વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારને લઈ. વલસાડની લોકસભા બેઠક ખૂબ જ મહત્ત્વની બેઠક છે. એવું માનવામાં આવે છે કે આ બેઠક જે પાર્ટીના ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે. આવી વાતો વર્ષોથી થાય છે એટલે આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. 


ધવલ પટેલને હટાવામાં આવે તેવી કરવામાં આવી માગ!   

કોંગ્રેસ તરફથી આ બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપવામાં આવી છે જ્યારે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે. ત્યારે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકીટ આપવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સી.આર પાટીલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવી રહ્યા છે. અને સવeલ થાય કે પત્ર લખે છે કોણ? તો જવાબમાં તમને મળશે કે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ...! વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાતા ભાજપના કાર્યકારોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને એટલે જ ધવલ પટેલ વિરુદ્ધ બીજેપીના કાર્યકર્તાઓએ જ પત્રો લખ્યા છે. જે પત્રો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યા છે. 


જે લેટર વાયરલ થયા છે તેમાં આ વિષયોનો કરવામાં આવ્યો છે ઉલ્લેખ 

લેટરમાં શું છે તેવી વાત કરીએ તો પત્રિકાઓમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પહેલી પત્રિકામાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી. જ્યારે બીજી પત્રિકા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવી છે. જેમાં ધવલ પટેલથી નારાજ BJPના કાર્યકારોએ વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ધવલ પટેલને રાખવાથી વલસાડ અને નવસારી લોકસભા બેઠક પણ ગુમાવવાનો વારો આવે તેવી શક્યતા કાર્યકરોએ બીજા લેટરમાં દર્શાવી હતી. 


સી.આર.પાટીલને સંબોધીને લખવામાં આવ્યો ત્રીજો પત્ર 

ત્યારે હવે ત્રીજો લેટર વાયરલ થયો છે. જે સી.આર. પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં વલસાડ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલને જો લોકસભાની ચૂંટણી લડાવવી જ હોય તો એમને પહેલા ઝરી ગામનો નાગરિક બનાવી મતદાર યાદીમાં નામ લખાવા કહો પછી એને પેજ પ્રમુખ બનાવો સંગઠનમા તાલુકા જિલ્લામાં જવાબદારીઓ આપો એમને કહો કે, પોતાના ઝરી ગામમા રહી 5 વર્ષ સુધી લોકોનાં નાનાં મોટાં કામો કરે પછી સંસદના ઉમેદવાર બનવા નીકળો તો તેમને લોકોની સમસ્યા કેવી છે તે ખબર તો પડે. એવું લખવામાં આવ્યું છે 


વાયરલ થયેલા પત્ર મુદ્દે ધવલ પટેલ તેમજ અનંત પટેલની આવી પ્રતિક્રિયા! 

મીડિયા અહેવાલ મુજબ  ધવલ પટેલનું કહેવું છે કે વાયરલ પત્રની આ વાતમાં કંઇ તથ્ય નથી, વિરોધપક્ષે ઉડાવેલી વાત છે, એ લોકો ડરી ગયા છે. અમને દરેક જગ્યાએ જે સમર્થન મળી રહ્યું છે. એ જોઇને વિપક્ષના લોકો આ બધી અફવાઓ ઉડાવે છે અને એનાથી સો ટકા એ પાક્કુ થઇ ગયું છે કે એ લોકો હારવાના જ છે. જેની સામે અનંત પટેલનું કહેવું છે કે વાયરલ પત્ર એ ભાજપનો વિષય છે, પાર્ટીનો વિષય છે. પાર્ટીમાં અંદર કયા પ્રકારનો રોષ હોય કે હારી જવાની બીક પણ હોય. એના કારણે કદાચ આવું કરી શકે એવું લાગે છે. પત્ર વાયરલ કરવાનો કોંગ્રેસ પાસે એવો કોઇ સમય નથી. 


કાર્યકર્તાઓમાં જોવા મળી રહી છે ભારે નારાજગી!

હવે પ્રશ્ન એ છે આ પત્રો કોણ મોકલે છે અને કેમ મોકલે છે? જો ભાજપમાં બધુ સારું છે તો આટલો વિરોધ કેમ? મહત્વનું છે કે આની પહેલા પણ અનેક ઉમેદવારોને લઈ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે...! અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં ઉમેદવારોને લઈ રોષ ભભૂકી ઉઠ્યો છે તેવું લાગે છે.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.