જાણો વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે, વાવાઝોડા પહેલાં, દરમિયાન અને બાદમાં સુરક્ષા માટે શું કરવું જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-06-12 10:52:31

બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતથી માત્ર અમુક કિલોમીટર જ વાવાઝોડું દૂર છે. વાવાઝોડાની અસર દરિયાઓમાં દેખાઈ રહી છે. દરિયાઓ ગાંડાતુર બની રહ્યા છે. ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કચ્છની મુલાકાત મનસુખ માંડવિયા આવતી કાલે લઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. વાવાઝોડાને અનેક એવી બાબતો હોય છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. ત્યારે જાણીએ વાવાઝોડા દરમિયાન તેમજ તેની બાદ કઈ બાબતો પર વધારે ધ્યાન રાખવું જરૂરી છે. 


વાવાઝોડા દરમિયાન અફવાઓ પર ન આપવું જોઈએ ધ્યાન!  

જ્યારે વાવાઝોડા જેવી ગંભીર વાતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે ત્યારે મહત્વનું છે કે અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. અનેક એવી અફવાઓ ઉઠતી હોય છે જે ડરાવી પણ શકે છે પરંતુ તે સમય દરમિયાન અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. બીજી વસ્તુ જેની પર ધ્યાન રાખવું જોઈએ એ છે કે અપડેટ માટે સતત સમાચારો જોતા રહો. મહત્વનું છે કે જો વિકટ પરિસ્થિતિનું સર્જન થાય અને ઘરને છોડવાનો વારો તેને ધ્યાનમાં રાખી જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ બનાવી જોઈએ જેનો ઉપયોગ આવા કપરા સમય દરમિયાન કરી શકાય. તે સિવાય મોબાઈલ ફોનને ચાર્જ રાખવો તેમજ કિંમતી વસ્તુઓને પહેલેથી જ વોટર પ્રુફ બેગ્સમાં રાખી સાચવી મૂકવા જોઈએ.  

   


વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો!

જો વાવાઝોડા દરમિયાન અને તે બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. મેન સ્વીચ તેમજ ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ કરવી જોઈએ. જો ઘર સુરક્ષિત ન હોય તો સુરક્ષિત સ્થળે સ્થાળાંતર વાવાઝોડું આવે તે પહેલા કરી લેવું જોઈએ. તે સિવાય ઘરના બારી બારણા બંધ રાખવા તેમજ વાવાઝોડા અંગેની સત્તાવાર રીતે આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. આ તો થઈ ઘર અંદર સાવચેતી રાખવાની વાત. જો ઘરના બહારની વાત કરવામાં આવે તો વાવાઝોડાથી બચવા જર્જરિત મકાનોમાં પ્રવેશ કરવો ન જોઈએ. તે સિવાય તૂટેલા વિજતાર તેમજ વિજથાંભલાથી દૂરી બનાવી જોઈએ. સુરક્ષિત જગ્યાઓ પર આવા સમયે આશરો લેવો હિતાવહ છે. તે સિવાય બેટરી પણ હાથવગું રાખવી જોઈએ. 


તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું કરવું જોઈએ પાલન

મહત્વનું છે કે તંત્ર દ્વારા તો બચાવના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કરવામાં પણ આવશે પરંતુ પોતાની સુરક્ષા તેમજ સલામતી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. એ પ્રમાણે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવે તે પ્રમાણે પાલન કરવું જોઈએ. કારણે એ નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એલર્ટ બાદ પણ લોકો દરિયામાં મસ્તી કરતા દેખાયા હતા. આપણા પરિવારની સુરક્ષા આપણી જવાબદારી છે. દર્શકોને તેમજ વાંચકોને પણ વિનમ્ર અપીલ છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.