જાણો વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે, વાવાઝોડા પહેલાં, દરમિયાન અને બાદમાં સુરક્ષા માટે શું કરવું જોઈએ?


  • Published By :
  • Published Date : 2023-06-12 10:52:31

બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતથી માત્ર અમુક કિલોમીટર જ વાવાઝોડું દૂર છે. વાવાઝોડાની અસર દરિયાઓમાં દેખાઈ રહી છે. દરિયાઓ ગાંડાતુર બની રહ્યા છે. ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વાવાઝોડા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર કચ્છની મુલાકાત મનસુખ માંડવિયા આવતી કાલે લઈ શકે છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. વાવાઝોડાને અનેક એવી બાબતો હોય છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. ત્યારે જાણીએ વાવાઝોડા દરમિયાન તેમજ તેની બાદ કઈ બાબતો પર વધારે ધ્યાન રાખવું જરૂરી છે. 


વાવાઝોડા દરમિયાન અફવાઓ પર ન આપવું જોઈએ ધ્યાન!  

જ્યારે વાવાઝોડા જેવી ગંભીર વાતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે ત્યારે મહત્વનું છે કે અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. અનેક એવી અફવાઓ ઉઠતી હોય છે જે ડરાવી પણ શકે છે પરંતુ તે સમય દરમિયાન અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. બીજી વસ્તુ જેની પર ધ્યાન રાખવું જોઈએ એ છે કે અપડેટ માટે સતત સમાચારો જોતા રહો. મહત્વનું છે કે જો વિકટ પરિસ્થિતિનું સર્જન થાય અને ઘરને છોડવાનો વારો તેને ધ્યાનમાં રાખી જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કિટ બનાવી જોઈએ જેનો ઉપયોગ આવા કપરા સમય દરમિયાન કરી શકાય. તે સિવાય મોબાઈલ ફોનને ચાર્જ રાખવો તેમજ કિંમતી વસ્તુઓને પહેલેથી જ વોટર પ્રુફ બેગ્સમાં રાખી સાચવી મૂકવા જોઈએ.  

   


વાવાઝોડા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો!

જો વાવાઝોડા દરમિયાન અને તે બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. મેન સ્વીચ તેમજ ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ કરવી જોઈએ. જો ઘર સુરક્ષિત ન હોય તો સુરક્ષિત સ્થળે સ્થાળાંતર વાવાઝોડું આવે તે પહેલા કરી લેવું જોઈએ. તે સિવાય ઘરના બારી બારણા બંધ રાખવા તેમજ વાવાઝોડા અંગેની સત્તાવાર રીતે આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. આ તો થઈ ઘર અંદર સાવચેતી રાખવાની વાત. જો ઘરના બહારની વાત કરવામાં આવે તો વાવાઝોડાથી બચવા જર્જરિત મકાનોમાં પ્રવેશ કરવો ન જોઈએ. તે સિવાય તૂટેલા વિજતાર તેમજ વિજથાંભલાથી દૂરી બનાવી જોઈએ. સુરક્ષિત જગ્યાઓ પર આવા સમયે આશરો લેવો હિતાવહ છે. તે સિવાય બેટરી પણ હાથવગું રાખવી જોઈએ. 


તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું કરવું જોઈએ પાલન

મહત્વનું છે કે તંત્ર દ્વારા તો બચાવના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કરવામાં પણ આવશે પરંતુ પોતાની સુરક્ષા તેમજ સલામતી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. એ પ્રમાણે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવે તે પ્રમાણે પાલન કરવું જોઈએ. કારણે એ નિયમો આપણી સુરક્ષા માટે બનાવાયા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એલર્ટ બાદ પણ લોકો દરિયામાં મસ્તી કરતા દેખાયા હતા. આપણા પરિવારની સુરક્ષા આપણી જવાબદારી છે. દર્શકોને તેમજ વાંચકોને પણ વિનમ્ર અપીલ છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.