ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે LED રથ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ જન જન સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રચાર કરી રહી છે. ભાજપે ડિજિટલ પ્રચારની આજથી શરૂઆત કરી છે. મુખ્યમંત્રીએ અને સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્તાન કરાવ્યું હતું. ભાજપે ડિજિટલ પ્રચાર માટે LED રથ બનાવ્યા છે જેના માધ્યમથી 20 વર્ષના કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિકાસના કામો લોકોને LED બતાવશે. 182 વિધાનસભા ક્ષેત્રો માટે 182 અલગ અલગ રથ બનાવામાં આવ્યા છે.

  

મુખ્યમંત્રી અને સી.આર પાટીલે બતાવી લીલી ઝંડી

પ્રચાર પાછળ રાજકીય પાર્ટીઓ કરોડો રુપિયા ખરચી નાખતી હોય છે. પાણીની જેમ પૈસા વહેતા હોય છે. પ્રચાર પાછળ સૌથી વધારે ખર્ચો ભાજપ કરતી હોય છે. કોંગ્રેસ પણ પ્રચાર માટે પૈસા ખર્ચે છે પણ ભાજપ જેટલા નહીં. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભાજપ પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આ વખતે ભાજપે LED રથને મેદાનમાં ઉતાર્યો છે. જે મતવિસ્તારોમાં જઈ ભાજપના કામોને લોકો સુધી પહોંચાડશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.