ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે LED રથ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ જન જન સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રચાર કરી રહી છે. ભાજપે ડિજિટલ પ્રચારની આજથી શરૂઆત કરી છે. મુખ્યમંત્રીએ અને સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્તાન કરાવ્યું હતું. ભાજપે ડિજિટલ પ્રચાર માટે LED રથ બનાવ્યા છે જેના માધ્યમથી 20 વર્ષના કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિકાસના કામો લોકોને LED બતાવશે. 182 વિધાનસભા ક્ષેત્રો માટે 182 અલગ અલગ રથ બનાવામાં આવ્યા છે.

  

મુખ્યમંત્રી અને સી.આર પાટીલે બતાવી લીલી ઝંડી

પ્રચાર પાછળ રાજકીય પાર્ટીઓ કરોડો રુપિયા ખરચી નાખતી હોય છે. પાણીની જેમ પૈસા વહેતા હોય છે. પ્રચાર પાછળ સૌથી વધારે ખર્ચો ભાજપ કરતી હોય છે. કોંગ્રેસ પણ પ્રચાર માટે પૈસા ખર્ચે છે પણ ભાજપ જેટલા નહીં. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભાજપ પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આ વખતે ભાજપે LED રથને મેદાનમાં ઉતાર્યો છે. જે મતવિસ્તારોમાં જઈ ભાજપના કામોને લોકો સુધી પહોંચાડશે.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"