ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે LED રથ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ જન જન સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રચાર કરી રહી છે. ભાજપે ડિજિટલ પ્રચારની આજથી શરૂઆત કરી છે. મુખ્યમંત્રીએ અને સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્તાન કરાવ્યું હતું. ભાજપે ડિજિટલ પ્રચાર માટે LED રથ બનાવ્યા છે જેના માધ્યમથી 20 વર્ષના કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. વિકાસના કામો લોકોને LED બતાવશે. 182 વિધાનસભા ક્ષેત્રો માટે 182 અલગ અલગ રથ બનાવામાં આવ્યા છે.

  

મુખ્યમંત્રી અને સી.આર પાટીલે બતાવી લીલી ઝંડી

પ્રચાર પાછળ રાજકીય પાર્ટીઓ કરોડો રુપિયા ખરચી નાખતી હોય છે. પાણીની જેમ પૈસા વહેતા હોય છે. પ્રચાર પાછળ સૌથી વધારે ખર્ચો ભાજપ કરતી હોય છે. કોંગ્રેસ પણ પ્રચાર માટે પૈસા ખર્ચે છે પણ ભાજપ જેટલા નહીં. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભાજપ પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આ વખતે ભાજપે LED રથને મેદાનમાં ઉતાર્યો છે. જે મતવિસ્તારોમાં જઈ ભાજપના કામોને લોકો સુધી પહોંચાડશે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .