વિધાનસભા : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે અમે ધોરણ 9-10માં વૈદિક ગણિત શરુ કર્યુ છે, તો અમિત ચાવડાએ પૂછ્યૂં કે શિક્ષકો જ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-20 10:36:14

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતનો સ્વીકાર વિધાનસભામાં સરકાર દ્વારા કરવામાં આવ્યો. ત્યારે શિક્ષકોની ઘટનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ઉઠ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે તેમના દ્વારા ધોરણ 9 તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શરૂ કરવામાં આવ્યું તો અમિત ચાવડાએ કહ્યું કે શિક્ષકો જ નથી તો ગણિત કોણ ભણાવશે? 



વિધાનસભામાં ફરી ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો!

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેનો સ્વીકાર સરકારે ખુદ વિધાનસભામાં કર્યો છે. અનેક શાળાઓ એવી છે જે એક શિક્ષકના ભરોસે ચાલે છે. શિક્ષણ મંત્રી જ્યારે પણ શિક્ષકોને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ત્યારે એવી કમેન્ટ કરવામાં આવે છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો. થોડા સમય પહેલા વિધાનસભામાં શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો ઉઠ્યો હતો, સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી તે ચોંકાવનારી હતી. અનેક શાળાઓ આજે પણ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ તેમને ભણાવવા શિક્ષકો જ નથી હોતા,


શિક્ષણમંત્રીના નિવેદન પર અમિત ચાવડાએ કહ્યું કે.... 

વિધાનસભાના સત્રમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ધોરણ 9 - તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શિખવાડવાનું શરૂ કરવામાં આવ્યું. આ વાત પર અમિત ચાવડાએ કહ્યું કે શાળામાં શિક્ષકો જ નથી તો ગણિત ભણાવશે કોણ? નવી શિક્ષણ નીતિ મુજબ 30 બાળકો માટે એક શિક્ષક રાખવાની જવાબદારી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે આંકડા પેશ કરવામાં આવ્યા હતા તે ચોંકાવનારા હતા. ઉલ્લેખનિય છે કે શિક્ષક વગર કોઈ પણ વિષય બાળકો ના ભણી શકે... શિક્ષકો જ નહીં હોય તો દેશનું ભાવિ ક્યાંથી ભણી શકશે?      



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"