વિધાનસભા : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે અમે ધોરણ 9-10માં વૈદિક ગણિત શરુ કર્યુ છે, તો અમિત ચાવડાએ પૂછ્યૂં કે શિક્ષકો જ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-20 10:36:14

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતનો સ્વીકાર વિધાનસભામાં સરકાર દ્વારા કરવામાં આવ્યો. ત્યારે શિક્ષકોની ઘટનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ઉઠ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે તેમના દ્વારા ધોરણ 9 તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શરૂ કરવામાં આવ્યું તો અમિત ચાવડાએ કહ્યું કે શિક્ષકો જ નથી તો ગણિત કોણ ભણાવશે? 



વિધાનસભામાં ફરી ઉઠ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો!

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેનો સ્વીકાર સરકારે ખુદ વિધાનસભામાં કર્યો છે. અનેક શાળાઓ એવી છે જે એક શિક્ષકના ભરોસે ચાલે છે. શિક્ષણ મંત્રી જ્યારે પણ શિક્ષકોને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે ત્યારે એવી કમેન્ટ કરવામાં આવે છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો. થોડા સમય પહેલા વિધાનસભામાં શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો ઉઠ્યો હતો, સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી તે ચોંકાવનારી હતી. અનેક શાળાઓ આજે પણ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ તેમને ભણાવવા શિક્ષકો જ નથી હોતા,


શિક્ષણમંત્રીના નિવેદન પર અમિત ચાવડાએ કહ્યું કે.... 

વિધાનસભાના સત્રમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ધોરણ 9 - તેમજ ધોરણ 10માં વૈદિક ગણિત શિખવાડવાનું શરૂ કરવામાં આવ્યું. આ વાત પર અમિત ચાવડાએ કહ્યું કે શાળામાં શિક્ષકો જ નથી તો ગણિત ભણાવશે કોણ? નવી શિક્ષણ નીતિ મુજબ 30 બાળકો માટે એક શિક્ષક રાખવાની જવાબદારી છે. મહત્વનું છે કે સરકાર દ્વારા જે આંકડા પેશ કરવામાં આવ્યા હતા તે ચોંકાવનારા હતા. ઉલ્લેખનિય છે કે શિક્ષક વગર કોઈ પણ વિષય બાળકો ના ભણી શકે... શિક્ષકો જ નહીં હોય તો દેશનું ભાવિ ક્યાંથી ભણી શકશે?      



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?