વિધાનસભામાં કોંગ્રેસે હોદ્દેદારોની વરણી કરી, આ ધારાસભ્યોને સોંપાઈ મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-02-22 21:01:24

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં હોદેદારોની નિમણુંક કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પાંચ પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસવા અંગે હજુ અનેક સવાલો છે ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિવિધ હોદેદારોની નિમણુંક કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ પાસે વિપક્ષના નેતાનું સ્થાન નથી. 


આવતી કાલથી બજેટ સત્રનો પ્રારંભ

વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને મળેલી જબદસ્ત જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મ શરૂ થઈ છે. ત્યારે 15 મી વિધાનસભાનું આ પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં  નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.



તોફાની બની રહેશે સત્ર 


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતા છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદાણી, પેપરલીક, દર્શન સોલંકી, ડ્રગ્સ સહીતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો સરકારને ઘેરવામાં કેટલા સફળ રહેશે.


કોંગ્રેસને નહીં મળે વિધાનસભા પદ


વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાના પદ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો છે. શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાસે વિધાનસભામાં પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી