ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.100થી 120


  • Published By :
  • Published Date : 2023-02-19 19:35:32

રાજ્યમાં ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવ પણ અસહ્ય વઘારો થતો જોવા મળે છે. વિવિધ શહેરોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, હજુ તો ઉનાળાની શરૂઆત છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શાકભાજી માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. શિયાળા દરમિયાન આ જ લીંબું 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. લીંબુમાં ભાવ વધતા રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


લીંબુમાં ભાવ વધારો શા માટે?


રાજ્યમાં લીંબુના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતી છે. લોકો ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. તે ઉપરાંત લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉનાળામાં લીંબુ ખરીદવા પ્રેરાય છે. જો કે લીંબુની માગના પ્રમાણમાં ઉનાળામાં ઉત્પાદન ઘટી ગયું છે તેથી સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ વધશે તેમ ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.