ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.100થી 120


  • Published By :
  • Published Date : 2023-02-19 19:35:32

રાજ્યમાં ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવ પણ અસહ્ય વઘારો થતો જોવા મળે છે. વિવિધ શહેરોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, હજુ તો ઉનાળાની શરૂઆત છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શાકભાજી માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. શિયાળા દરમિયાન આ જ લીંબું 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. લીંબુમાં ભાવ વધતા રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


લીંબુમાં ભાવ વધારો શા માટે?


રાજ્યમાં લીંબુના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતી છે. લોકો ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. તે ઉપરાંત લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉનાળામાં લીંબુ ખરીદવા પ્રેરાય છે. જો કે લીંબુની માગના પ્રમાણમાં ઉનાળામાં ઉત્પાદન ઘટી ગયું છે તેથી સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ વધશે તેમ ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે