ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.100થી 120


  • Published By :
  • Published Date : 2023-02-19 19:35:32

રાજ્યમાં ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવ પણ અસહ્ય વઘારો થતો જોવા મળે છે. વિવિધ શહેરોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, હજુ તો ઉનાળાની શરૂઆત છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શાકભાજી માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. શિયાળા દરમિયાન આ જ લીંબું 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. લીંબુમાં ભાવ વધતા રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


લીંબુમાં ભાવ વધારો શા માટે?


રાજ્યમાં લીંબુના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતી છે. લોકો ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. તે ઉપરાંત લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉનાળામાં લીંબુ ખરીદવા પ્રેરાય છે. જો કે લીંબુની માગના પ્રમાણમાં ઉનાળામાં ઉત્પાદન ઘટી ગયું છે તેથી સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ વધશે તેમ ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.