ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવમાં ભડકો, પ્રતિ કિલો રૂ.100થી 120


  • Published By :
  • Published Date : 2023-02-19 19:35:32

રાજ્યમાં ઉનાળાના આગમન સાથે જ લીંબુના ભાવ પણ અસહ્ય વઘારો થતો જોવા મળે છે. વિવિધ શહેરોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, હજુ તો ઉનાળાની શરૂઆત છે. રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શાકભાજી માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. શિયાળા દરમિયાન આ જ લીંબું 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. લીંબુમાં ભાવ વધતા રાજ્યમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.


લીંબુમાં ભાવ વધારો શા માટે?


રાજ્યમાં લીંબુના ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ લોકોની આરોગ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતી છે. લોકો ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. તે ઉપરાંત લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉનાળામાં લીંબુ ખરીદવા પ્રેરાય છે. જો કે લીંબુની માગના પ્રમાણમાં ઉનાળામાં ઉત્પાદન ઘટી ગયું છે તેથી સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ઉનાળામાં લીંબુની માગ વધશે તેમ ભાવ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.