ગીર પંથકમાં દીપડાનો આતંક, ગીર ગઢડામાં મહિલાનું મોત, વીસાવદરમાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 18:40:13

રાજ્યના ગીર પંથકમાં હિંસક સિંહો અને દીપડાનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગીર આસપાસના વિસ્તારના લોકો માટે રાત્રે ઘરની બહાર નિકળવું જોખમી બન્યું છે. દીપડાના હુમલામાં બે મહિલાઓ પૈકી એકનું મોત જ્યારે અન્ય એક 90 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હાહાકાર મચી ગયો છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આધેડ મહિલાનું મોત તથા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં 90 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


ગીર ગઢડામાં મહિલાનું મોત


ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી મચી ગઈ હતી. કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયાના પત્ની જયા બેન રાત્રે પોતાના મકાનમાં આરામ કરી રહ્યાં હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો ત્યારે જયાબેનએ રાડો પડતાં લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય જયાબેનનું મોત થતા પરિનારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું, આખો શોકમગ્ન બન્યો છે.


90 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલો


જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં ગત મોડી રાત્રીના 90 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પિયાવા ગામમાં મકાનની 12 ફૂટની દિવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો અને ઘરના રૂમમાં સુતેલા વૃદ્ધ દંપતિ માંથી દુધીબેન ઘેલાભાઈ વાળા નામના વૃદ્ધાને માથાના ભાગે પકડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાથી બચવા માટે બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટ્યો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે વિસાવદર બાદમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. દુધીબેન વાળા નામના દાદીમાને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમના શરીર પર 120 જેટલા ટાંકા આવતા ICUમાં રખાયા છે.


દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ


દીપડાના હુમલાને પગલે હાલ વન વિભાગની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ગીર ગઢડા તાલુકામાં વારંવાર અને વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક વન વિભાગના અધિકારીઓ સામે રોજ જોવા મળી રહ્યો છે. જંગલમાંથી રહેતાં વિસ્તારમાં વન્યપ્રાણીના કારણે ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.