ગીર પંથકમાં દીપડાનો આતંક, ગીર ગઢડામાં મહિલાનું મોત, વીસાવદરમાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 18:40:13

રાજ્યના ગીર પંથકમાં હિંસક સિંહો અને દીપડાનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગીર આસપાસના વિસ્તારના લોકો માટે રાત્રે ઘરની બહાર નિકળવું જોખમી બન્યું છે. દીપડાના હુમલામાં બે મહિલાઓ પૈકી એકનું મોત જ્યારે અન્ય એક 90 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હાહાકાર મચી ગયો છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આધેડ મહિલાનું મોત તથા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં 90 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


ગીર ગઢડામાં મહિલાનું મોત


ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી મચી ગઈ હતી. કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયાના પત્ની જયા બેન રાત્રે પોતાના મકાનમાં આરામ કરી રહ્યાં હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો ત્યારે જયાબેનએ રાડો પડતાં લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય જયાબેનનું મોત થતા પરિનારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું, આખો શોકમગ્ન બન્યો છે.


90 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલો


જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં ગત મોડી રાત્રીના 90 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પિયાવા ગામમાં મકાનની 12 ફૂટની દિવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો અને ઘરના રૂમમાં સુતેલા વૃદ્ધ દંપતિ માંથી દુધીબેન ઘેલાભાઈ વાળા નામના વૃદ્ધાને માથાના ભાગે પકડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાથી બચવા માટે બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટ્યો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે વિસાવદર બાદમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. દુધીબેન વાળા નામના દાદીમાને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમના શરીર પર 120 જેટલા ટાંકા આવતા ICUમાં રખાયા છે.


દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ


દીપડાના હુમલાને પગલે હાલ વન વિભાગની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ગીર ગઢડા તાલુકામાં વારંવાર અને વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક વન વિભાગના અધિકારીઓ સામે રોજ જોવા મળી રહ્યો છે. જંગલમાંથી રહેતાં વિસ્તારમાં વન્યપ્રાણીના કારણે ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.