ગીર પંથકમાં દીપડાનો આતંક, ગીર ગઢડામાં મહિલાનું મોત, વીસાવદરમાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 18:40:13

રાજ્યના ગીર પંથકમાં હિંસક સિંહો અને દીપડાનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગીર આસપાસના વિસ્તારના લોકો માટે રાત્રે ઘરની બહાર નિકળવું જોખમી બન્યું છે. દીપડાના હુમલામાં બે મહિલાઓ પૈકી એકનું મોત જ્યારે અન્ય એક 90 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હાહાકાર મચી ગયો છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આધેડ મહિલાનું મોત તથા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં 90 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


ગીર ગઢડામાં મહિલાનું મોત


ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી મચી ગઈ હતી. કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયાના પત્ની જયા બેન રાત્રે પોતાના મકાનમાં આરામ કરી રહ્યાં હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો ત્યારે જયાબેનએ રાડો પડતાં લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય જયાબેનનું મોત થતા પરિનારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું, આખો શોકમગ્ન બન્યો છે.


90 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલો


જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં ગત મોડી રાત્રીના 90 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પિયાવા ગામમાં મકાનની 12 ફૂટની દિવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો અને ઘરના રૂમમાં સુતેલા વૃદ્ધ દંપતિ માંથી દુધીબેન ઘેલાભાઈ વાળા નામના વૃદ્ધાને માથાના ભાગે પકડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાથી બચવા માટે બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટ્યો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે વિસાવદર બાદમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. દુધીબેન વાળા નામના દાદીમાને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમના શરીર પર 120 જેટલા ટાંકા આવતા ICUમાં રખાયા છે.


દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ


દીપડાના હુમલાને પગલે હાલ વન વિભાગની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ગીર ગઢડા તાલુકામાં વારંવાર અને વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક વન વિભાગના અધિકારીઓ સામે રોજ જોવા મળી રહ્યો છે. જંગલમાંથી રહેતાં વિસ્તારમાં વન્યપ્રાણીના કારણે ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.