ગીર પંથકમાં દીપડાનો આતંક, ગીર ગઢડામાં મહિલાનું મોત, વીસાવદરમાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-06 18:40:13

રાજ્યના ગીર પંથકમાં હિંસક સિંહો અને દીપડાનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગીર આસપાસના વિસ્તારના લોકો માટે રાત્રે ઘરની બહાર નિકળવું જોખમી બન્યું છે. દીપડાના હુમલામાં બે મહિલાઓ પૈકી એકનું મોત જ્યારે અન્ય એક 90 વર્ષના વૃધ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હાહાકાર મચી ગયો છે. ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આધેડ મહિલાનું મોત તથા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં 90 વર્ષીય વૃદ્ધા ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


ગીર ગઢડામાં મહિલાનું મોત


ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામમાં આદમખોર દીપડાએ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા અરેરાટી મચી ગઈ હતી. કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયાના પત્ની જયા બેન રાત્રે પોતાના મકાનમાં આરામ કરી રહ્યાં હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ દીપડાએ ગળાના ભાગે હુમલો કર્યો ત્યારે જયાબેનએ રાડો પડતાં લોકો દોડી આવ્યા હતા અને દીપડાને ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 65 વર્ષીય જયાબેનનું મોત થતા પરિનારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું, આખો શોકમગ્ન બન્યો છે.


90 વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલો


જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના પિયાવા ગામમાં ગત મોડી રાત્રીના 90 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પિયાવા ગામમાં મકાનની 12 ફૂટની દિવાલ કૂદીને દીપડો ઘરમાં ઘૂસી ગયો અને ઘરના રૂમમાં સુતેલા વૃદ્ધ દંપતિ માંથી દુધીબેન ઘેલાભાઈ વાળા નામના વૃદ્ધાને માથાના ભાગે પકડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દીપડાથી બચવા માટે બૂમાબૂમ કરતા દિપડો નાસી છૂટ્યો હતો. હાલ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે વિસાવદર બાદમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. દુધીબેન વાળા નામના દાદીમાને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમના શરીર પર 120 જેટલા ટાંકા આવતા ICUમાં રખાયા છે.


દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ


દીપડાના હુમલાને પગલે હાલ વન વિભાગની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી આજુબાજુના વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો હતો. ગીર ગઢડા તાલુકામાં વારંવાર અને વન્ય પ્રાણીઓના હુમલાના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક વન વિભાગના અધિકારીઓ સામે રોજ જોવા મળી રહ્યો છે. જંગલમાંથી રહેતાં વિસ્તારમાં વન્યપ્રાણીના કારણે ક્યાંક સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી