લાલા લાજપતરાયની પુણ્યતિથિ પર જાણીએ તેમની વિચારધારા વિશે


  • Published By :
  • Published Date : 2022-11-17 17:14:32

દેશને આઝાદી મળે તે માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી. પોતાના પ્રાણોની આહુતિ આપનારાની સંખ્યા તો અનેકોની છે. આંગળીઓના વેઢે ગણાય એવા અનેકો છે. દરેક સ્વતંત્ર સેનાનીઓને આપણે બીરુદ આપ્યા છે. જેમ કે મોહન દાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. વલ્લભભાઈ પટેલને આપણે સરદાર તરીકે ઓળખીયે છે જ્યારે સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી તરીકે સંબોધીએ છીએ. આવા જ એક સ્વાતંત્ર સેનાની આજે વાત કરવી છે જેમને પંજાબ કેસરી તરીકે આપણે ઓળખીયે છીએ. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલ પણ ગચા 

પંજાબ કેસરી તરીકે આપણે લાલા લાજપતરાયને ઓળખીયે છીએ. આજે તેમની પુણ્યતીથી છે. સ્વાતંત્ર સેનાની તરીકે તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષને કારણે આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે. લાલા લાજપતરાય કોંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા.તેમના સમયમાં ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નેતૃત્વ કરતા હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ તેમજ અરવિંદ ઘોષ સાથે ભેગા મળી બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું. પોતાના આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલમાં પણ ગયા હતા. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

ત્યારે આજે આંદોલનકારી અને આર્ય સમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતીના અનુયાયી લાલા લાજપત રાયના એવા 10 વિચારો તેમને જણાવા છે જેમાંથી જીવનને જોવાનો નજરીયો બદલાઈ શકે છે.  

1. सार्वजनिक जीवन में अनुशासन का होना बहुत जरुरी है, वरना प्रगति के रास्ते में बाधा आ जाएगी।

2. अतीत को देखते रहना व्यर्थ है, जब तक उस अतीत पर गर्व करने योग्य भविष्य के निर्माण के लिए कार्य न किया जाए।

3. पराजय और असफलता कभी कभी विजय की ओर बढ़ने के लिए जरूरी कदम होते है।

4. वह समाज कदापि नही टिक सकता जो आज की प्रतियोगिता और शिक्षा के समय में अपने सदस्यों को प्रगति का पूरा-पूरा अवसर प्रदान नही करता है।

5. त्रुटियों का संशोधन का नाम ही उन्नति है।

6. हर चीज की एक निश्चित कीमत होती है, जिससे चुकाना ही पड़ता है, हमें अपनी आजादी के लिए, वह कीमत चुकाना पड़ेगा।

7. दूसरों की बजाय खुद पर विश्वास रखो, फिर देखना आप अपने ही प्रयत्नों से कामयाब हो सकते है।

8. देशभक्ति का निर्माण न्याय और सत्य की दृढ़ चट्टान पर ही किया जा सकता है।

9. मेरे शरीर पर पड़ी एक एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक एक कील का काम करेगी।

10. मनुष्य हमेशा प्रगति के मार्ग में अपने गुणों से आगे बढ़ता है किसी दुसरे के भरोसे रहकर आगे नही बढ़ा जा सकता है।

લાલા લાજપત રાયના આવા તો અનેક વિચારો છે જેનાથી આપણે જીવન જીવવાની કલા શીખી શકીયે છીએ. તેમના પ્રમાણે અતિત પર વિચાર કરવું વ્યર્થ છે જ્યાં સુધી આપણે તેમાથી કંઈ શીખી ન જઈએ. આપણા અતિતનો ઉપયોગ ભવિષ્યનું નિર્માણ કરવામાં ઉપયોગી ન થાય. ઉપરાંત તેઓ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. બીજાની જગ્યા પર પોતાના પર વિશ્વાસ રાખી સફળતા મેળવી શકાય છે. 

દરેક વસ્તુ મેળવવા કોઈને કોઈ કિંમત ચૂકવવી પડે છે. દરેક વસ્તુની એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. આપણે આપણા આઝાદી માટે પણ કિંમત ચૂકવવી પડશે. દેશભક્તિનું નિર્માણ ન્યાય અને સત્યની ચટ્ટાન પર થઈ શકે છે. ત્યારે આવી વિચારધારા ધરવનાર સ્વતંત્ર સેનાનીને શત-શત નમન કરીએ છીએ.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.