લાલા લાજપતરાયની પુણ્યતિથિ પર જાણીએ તેમની વિચારધારા વિશે


  • Published By :
  • Published Date : 2022-11-17 17:14:32

દેશને આઝાદી મળે તે માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી. પોતાના પ્રાણોની આહુતિ આપનારાની સંખ્યા તો અનેકોની છે. આંગળીઓના વેઢે ગણાય એવા અનેકો છે. દરેક સ્વતંત્ર સેનાનીઓને આપણે બીરુદ આપ્યા છે. જેમ કે મોહન દાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. વલ્લભભાઈ પટેલને આપણે સરદાર તરીકે ઓળખીયે છે જ્યારે સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી તરીકે સંબોધીએ છીએ. આવા જ એક સ્વાતંત્ર સેનાની આજે વાત કરવી છે જેમને પંજાબ કેસરી તરીકે આપણે ઓળખીયે છીએ. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલ પણ ગચા 

પંજાબ કેસરી તરીકે આપણે લાલા લાજપતરાયને ઓળખીયે છીએ. આજે તેમની પુણ્યતીથી છે. સ્વાતંત્ર સેનાની તરીકે તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષને કારણે આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે. લાલા લાજપતરાય કોંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા.તેમના સમયમાં ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નેતૃત્વ કરતા હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ તેમજ અરવિંદ ઘોષ સાથે ભેગા મળી બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું. પોતાના આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલમાં પણ ગયા હતા. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

ત્યારે આજે આંદોલનકારી અને આર્ય સમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતીના અનુયાયી લાલા લાજપત રાયના એવા 10 વિચારો તેમને જણાવા છે જેમાંથી જીવનને જોવાનો નજરીયો બદલાઈ શકે છે.  

1. सार्वजनिक जीवन में अनुशासन का होना बहुत जरुरी है, वरना प्रगति के रास्ते में बाधा आ जाएगी।

2. अतीत को देखते रहना व्यर्थ है, जब तक उस अतीत पर गर्व करने योग्य भविष्य के निर्माण के लिए कार्य न किया जाए।

3. पराजय और असफलता कभी कभी विजय की ओर बढ़ने के लिए जरूरी कदम होते है।

4. वह समाज कदापि नही टिक सकता जो आज की प्रतियोगिता और शिक्षा के समय में अपने सदस्यों को प्रगति का पूरा-पूरा अवसर प्रदान नही करता है।

5. त्रुटियों का संशोधन का नाम ही उन्नति है।

6. हर चीज की एक निश्चित कीमत होती है, जिससे चुकाना ही पड़ता है, हमें अपनी आजादी के लिए, वह कीमत चुकाना पड़ेगा।

7. दूसरों की बजाय खुद पर विश्वास रखो, फिर देखना आप अपने ही प्रयत्नों से कामयाब हो सकते है।

8. देशभक्ति का निर्माण न्याय और सत्य की दृढ़ चट्टान पर ही किया जा सकता है।

9. मेरे शरीर पर पड़ी एक एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक एक कील का काम करेगी।

10. मनुष्य हमेशा प्रगति के मार्ग में अपने गुणों से आगे बढ़ता है किसी दुसरे के भरोसे रहकर आगे नही बढ़ा जा सकता है।

લાલા લાજપત રાયના આવા તો અનેક વિચારો છે જેનાથી આપણે જીવન જીવવાની કલા શીખી શકીયે છીએ. તેમના પ્રમાણે અતિત પર વિચાર કરવું વ્યર્થ છે જ્યાં સુધી આપણે તેમાથી કંઈ શીખી ન જઈએ. આપણા અતિતનો ઉપયોગ ભવિષ્યનું નિર્માણ કરવામાં ઉપયોગી ન થાય. ઉપરાંત તેઓ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. બીજાની જગ્યા પર પોતાના પર વિશ્વાસ રાખી સફળતા મેળવી શકાય છે. 

દરેક વસ્તુ મેળવવા કોઈને કોઈ કિંમત ચૂકવવી પડે છે. દરેક વસ્તુની એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. આપણે આપણા આઝાદી માટે પણ કિંમત ચૂકવવી પડશે. દેશભક્તિનું નિર્માણ ન્યાય અને સત્યની ચટ્ટાન પર થઈ શકે છે. ત્યારે આવી વિચારધારા ધરવનાર સ્વતંત્ર સેનાનીને શત-શત નમન કરીએ છીએ.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .