સાહિત્યના સમીપમાં આજે એ બાળકોને યાદ કરીએ જેમણે વડોદરા હરણી લેકમાં જીવ ગુમાવ્યો છે - જે જીવ આવ્યો આપ પાસે....


  • Published By :
  • Published Date : 2024-01-19 09:44:56

ગઈકાલે વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. પિકનીક મનાવવા ગયેલા બાળકો માટે તે યાત્રા અંતિમ બની ગઈ. હરખ-શોખથી માતા પિતાએ બાળકને પિકનીક મનાવવા મોકલ્યા હતા, બાળક પોતાના જીવનને માણી શકે તેવી આશા સાથે તેમણે પોતાના બાળકોને મોકલ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના સંતાનો પાછા તો આવશે પરંતુ નશ્વર દેહ બની. તે માતા પિતાનું રૂદન, તેમનું કલ્પાન્ત, તેમની પીડાની અનુભુતી આપણે નહીં કરી શકીએ, પરંતુ માસુમ બાળકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના તો કરી શકીએ છીએને.   


દુર્ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો...

સાહિત્યના સમીપમાં સામાન્ય રીતે અમે કવિતા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આજે એક પ્રાર્થના એ બાળકોને સમર્પિત કરવી છે જેમણે વડોદરાના હરણી લેકમાં કરૂણાંતિકા સર્જાઈ. આજે એ બાળકોને શબ્દાંજલિ આપવી છે જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણે તો પ્રાર્થના સિવાય કંઈ કરી પણ નહીં કરી શકીએ...!



હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ

શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે

લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો

જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો

આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી

ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.