એક એવા પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ જેમણે આજ સુધી લાખો વૃક્ષોનું કર્યું છે રોપણ, લોકો તેમને ટ્રી મેન તરીકે ઓળખે છે...


  • Published By :
  • Published Date : 2024-06-14 15:48:03

અનેક વખત પોલીસની નેગેટિવ વાતોની ચર્ચા થતી હોય છે.. પરંતુ આજે પોલીસના એક એવા ચહેરાની વાત કરવી છે જે જોઈ તમે પણ કહેશો વાહ... શું વાત છે.. એક એવા પોલીસની વાત કરવી છે જેમણે પોતાના ક્ષેત્રમાં લાખો વૃક્ષો વાવ્યા છે. આ પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતના નથી પરંતુ ચંડીગઢના છે.. અને તે ટ્રી મેન તરીકે જાણીતા છે...આજ સુધી તેમણે લાખો વૃક્ષો વાવ્યા છે અને તે પોતાની બધી કમાણી વૃક્ષોના ઉછેર પાછળ કરી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે... ચંદીગઢના પોલીસ કોન્સ્ટેબલ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે.. 

અનેક લોકો કરે છે વૃક્ષારોપણ...

આ વખતનો ઉનાળો કપરો સાબિત થયો હતો. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો... ગરમી વધે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે વૃક્ષો વાવવા જોઈએ.. પર્યાયવરણનું જતન કરવું જોઈએ. વૃક્ષો વાવો વરસાદ લાવો.. અનેક સંસ્થાઓ વૃક્ષો વાવવાનું કામ કરે છે.. અનેક લોકો પણ વૃક્ષારોપણનું કાર્ય કરે છે. બધા પોત પોતાની ક્ષમતા મુજબ પર્યાયવરણને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.


ગ્લોબલ વોર્મિંગ બન્યો છે ચિંતાનો વિષય

સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા છે. નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે. ઘણા દેશો આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. પર્યાયવરણને બચાવવા માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચંદીગઢમાં તૈનાત એક કોન્સ્ટેબલ એક ઉદાહરણ બનીને સામે આવ્યો છે. તેમણે બતાવ્યું કે કેવી રીતે દરેક માનવી પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે છે...  વ્યક્તિ ધારે તો શું ના કરી શકે તેનું ઉદાહરણ તેમણે પૂરૂં પાડ્યું છે. 


વૃક્ષો વાવવા માટે લીધી બેન્ક પાસેથી લોન...!

અનેક લોકો હોય છે જેમની પાસે પૈસા હોય છે અને પછી આવી સેવાકીય કાર્ય પાછળ વાપરે છે. પરંતુ અનેક લોકો એવા પણ છે જેમની કમાણી ઓછી હોય છે અને આવા સેવાકીય કાર્યો કરે છે.. જે પોલીસ કોન્સ્ટેબલની વાત કરી રહ્યા છીએ તેમણે બેન્ક પાસેથી લોન પણ લીધી છે વૃક્ષારોપણનું કામ કરવા માટે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.... તેમણે સોનિપતમાં નર્સરી ઉભી કરી છે જેનું નામ જનતા નર્સરી છે. તેમણે આ કાર્ય એવા લોકો સાથે ભેગા મળીને શરૂ કર્યું હતું જેમને પ્રકૃતિ સાથે લગાવ છે.. ત્યારે તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .