એક એવા પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ જેમણે આજ સુધી લાખો વૃક્ષોનું કર્યું છે રોપણ, લોકો તેમને ટ્રી મેન તરીકે ઓળખે છે...


  • Published By :
  • Published Date : 2024-06-14 15:48:03

અનેક વખત પોલીસની નેગેટિવ વાતોની ચર્ચા થતી હોય છે.. પરંતુ આજે પોલીસના એક એવા ચહેરાની વાત કરવી છે જે જોઈ તમે પણ કહેશો વાહ... શું વાત છે.. એક એવા પોલીસની વાત કરવી છે જેમણે પોતાના ક્ષેત્રમાં લાખો વૃક્ષો વાવ્યા છે. આ પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતના નથી પરંતુ ચંડીગઢના છે.. અને તે ટ્રી મેન તરીકે જાણીતા છે...આજ સુધી તેમણે લાખો વૃક્ષો વાવ્યા છે અને તે પોતાની બધી કમાણી વૃક્ષોના ઉછેર પાછળ કરી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે... ચંદીગઢના પોલીસ કોન્સ્ટેબલ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે.. 

અનેક લોકો કરે છે વૃક્ષારોપણ...

આ વખતનો ઉનાળો કપરો સાબિત થયો હતો. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો... ગરમી વધે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે વૃક્ષો વાવવા જોઈએ.. પર્યાયવરણનું જતન કરવું જોઈએ. વૃક્ષો વાવો વરસાદ લાવો.. અનેક સંસ્થાઓ વૃક્ષો વાવવાનું કામ કરે છે.. અનેક લોકો પણ વૃક્ષારોપણનું કાર્ય કરે છે. બધા પોત પોતાની ક્ષમતા મુજબ પર્યાયવરણને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.


ગ્લોબલ વોર્મિંગ બન્યો છે ચિંતાનો વિષય

સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચર્ચા છે. નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે. ઘણા દેશો આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. પર્યાયવરણને બચાવવા માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચંદીગઢમાં તૈનાત એક કોન્સ્ટેબલ એક ઉદાહરણ બનીને સામે આવ્યો છે. તેમણે બતાવ્યું કે કેવી રીતે દરેક માનવી પર્યાવરણ માટે પોતાનું યોગદાન આપી શકે છે...  વ્યક્તિ ધારે તો શું ના કરી શકે તેનું ઉદાહરણ તેમણે પૂરૂં પાડ્યું છે. 


વૃક્ષો વાવવા માટે લીધી બેન્ક પાસેથી લોન...!

અનેક લોકો હોય છે જેમની પાસે પૈસા હોય છે અને પછી આવી સેવાકીય કાર્ય પાછળ વાપરે છે. પરંતુ અનેક લોકો એવા પણ છે જેમની કમાણી ઓછી હોય છે અને આવા સેવાકીય કાર્યો કરે છે.. જે પોલીસ કોન્સ્ટેબલની વાત કરી રહ્યા છીએ તેમણે બેન્ક પાસેથી લોન પણ લીધી છે વૃક્ષારોપણનું કામ કરવા માટે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.... તેમણે સોનિપતમાં નર્સરી ઉભી કરી છે જેનું નામ જનતા નર્સરી છે. તેમણે આ કાર્ય એવા લોકો સાથે ભેગા મળીને શરૂ કર્યું હતું જેમને પ્રકૃતિ સાથે લગાવ છે.. ત્યારે તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..     



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.