સમજીએ Patan Loksabha Seatનું રાજકીય ગણિત કારણ કે અહીંયા જો Congress મહેનત કરે તો જીતી શકે એમ છે...!


  • Published By :
  • Published Date : 2024-03-09 17:07:16

લોકસભા ઇલેકશન માટે ગમે તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપે તો ગુજરાતમાં ૨૬ સે ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા કમર કસી છે . તો બીજી બાજુ AAM આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે . પણ આપને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા પર લોકતાંત્રિક યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે એ નિશ્ચિત છે. આવો સમજીએ ત્યાંના રાજકારણ વિશે... 


વિધાનસભાની આટલી સીટો હતી કોંગ્રેસ પાસે 

એવું માનવામાં આવે છે કે જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા રાખે અને મહેનત કરે તો પાટણ લોકસભા બેઠક પર જીત થઈ શકે છે! ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ની સરસાઈથી જીત મેળવાઈ હતી ,તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આમાં કુલ ૭ વિધાનસભાઓ આવે છે જે છે વડગામ , કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર ,ખેરાલુ . કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ, ચાણસ્મા ,પાટણ જીતી હતી. જ્યારે BJPએ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . 



આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તેની પર સૌની નજર!

આ તરફ આપને જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી .પાટણ લોકસભા પર લગભગ ૪૧૦૦૦૦ જેટલા ઠાકોર સમાજના લોકો છે જે કોંગ્રેસ પાર્ટીના કોર વોટ કહેવાય છે. જો ખરેખર કોંગ્રેસે આ મરણતોલ અવસ્થામાંથી બહાર આવું હોય તો મેહનત તો કરવીજ રહી . હવે જોવાનું એ છે કે , કોંગ્રેસ આ બેઠક જીતવા શું પ્રયાસો કરે છે , ઉપરાંત કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર દિનેશભાઇ ઠાકોર છે .



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે