સમજીએ Patan Loksabha Seatનું રાજકીય ગણિત કારણ કે અહીંયા જો Congress મહેનત કરે તો જીતી શકે એમ છે...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 17:07:16

લોકસભા ઇલેકશન માટે ગમે તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપે તો ગુજરાતમાં ૨૬ સે ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા કમર કસી છે . તો બીજી બાજુ AAM આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે . પણ આપને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા પર લોકતાંત્રિક યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે એ નિશ્ચિત છે. આવો સમજીએ ત્યાંના રાજકારણ વિશે... 


વિધાનસભાની આટલી સીટો હતી કોંગ્રેસ પાસે 

એવું માનવામાં આવે છે કે જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા રાખે અને મહેનત કરે તો પાટણ લોકસભા બેઠક પર જીત થઈ શકે છે! ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ની સરસાઈથી જીત મેળવાઈ હતી ,તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આમાં કુલ ૭ વિધાનસભાઓ આવે છે જે છે વડગામ , કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર ,ખેરાલુ . કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ, ચાણસ્મા ,પાટણ જીતી હતી. જ્યારે BJPએ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . 



આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તેની પર સૌની નજર!

આ તરફ આપને જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી .પાટણ લોકસભા પર લગભગ ૪૧૦૦૦૦ જેટલા ઠાકોર સમાજના લોકો છે જે કોંગ્રેસ પાર્ટીના કોર વોટ કહેવાય છે. જો ખરેખર કોંગ્રેસે આ મરણતોલ અવસ્થામાંથી બહાર આવું હોય તો મેહનત તો કરવીજ રહી . હવે જોવાનું એ છે કે , કોંગ્રેસ આ બેઠક જીતવા શું પ્રયાસો કરે છે , ઉપરાંત કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર દિનેશભાઇ ઠાકોર છે .



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..