સમજીએ Patan Loksabha Seatનું રાજકીય ગણિત કારણ કે અહીંયા જો Congress મહેનત કરે તો જીતી શકે એમ છે...!


  • Published By :
  • Published Date : 2024-03-09 17:07:16

લોકસભા ઇલેકશન માટે ગમે તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. ભાજપે તો ગુજરાતમાં ૨૬ સે ૨૬ બેઠકો ૫ લાખની લીડથી જીતવા કમર કસી છે . તો બીજી બાજુ AAM આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે . પણ આપને જણાવી દઈએ કે આ વખતે ઉત્તર ગુજરાતમાં પાટણ લોકસભા પર લોકતાંત્રિક યુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે એ નિશ્ચિત છે. આવો સમજીએ ત્યાંના રાજકારણ વિશે... 


વિધાનસભાની આટલી સીટો હતી કોંગ્રેસ પાસે 

એવું માનવામાં આવે છે કે જો કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા રાખે અને મહેનત કરે તો પાટણ લોકસભા બેઠક પર જીત થઈ શકે છે! ૨૦૧૯માં પાટણ લોકસભામાં  BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ની સરસાઈથી જીત મેળવાઈ હતી ,તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આમાં કુલ ૭ વિધાનસભાઓ આવે છે જે છે વડગામ , કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર ,ખેરાલુ . કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ, ચાણસ્મા ,પાટણ જીતી હતી. જ્યારે BJPએ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . 



આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તેની પર સૌની નજર!

આ તરફ આપને જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી .પાટણ લોકસભા પર લગભગ ૪૧૦૦૦૦ જેટલા ઠાકોર સમાજના લોકો છે જે કોંગ્રેસ પાર્ટીના કોર વોટ કહેવાય છે. જો ખરેખર કોંગ્રેસે આ મરણતોલ અવસ્થામાંથી બહાર આવું હોય તો મેહનત તો કરવીજ રહી . હવે જોવાનું એ છે કે , કોંગ્રેસ આ બેઠક જીતવા શું પ્રયાસો કરે છે , ઉપરાંત કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર દિનેશભાઇ ઠાકોર છે .



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.