અમદાવાદની LG મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:38:22

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે કે એલજી મેટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બાદ કોલેજનું નામ 17 સપ્ટેમ્બરના રોજ બદલવાનો નિર્ણય લીધો છે. 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે શું કહ્યું 

એલજી મેડિકલ અને એલજી હોસ્પિટલ કોલેજનું નામ એલજી મેટ કોલેજથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવાનો ગઈકાલની અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદ મેટ કોલેજની સ્થાપના કરાવી હતી. ગઈકાલે મેટની બેઠકમાં નામકરણ માટે દરખાસ્ત કરતવામાં આવી હતી જેમાં મેટ કોલેજે પણ હા પાડી હતી જેના કારણે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. 


શું છે એલજી મેટ કોલેજ?

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેટ કોલેજ આવેલી છે. જેમાં અત્યારે નરેન્દ્ર મોદી મેટ કોલેજમાં 200 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ સેવા આપે છે, 59થી વધુ એમએસ ડોક્ટર્સ સેવા આપે છે. મેટ કોલેજમાં નર્સિંગ કોલેજની પણ સુવિધા આપવામાં આવી છે. 


અત્યાર સુધી ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે રાખવામાં આવતા ઈમારતો અને સંસ્થાઓના નામનો વાંધો ઉઠાવતી ભારતીય જનતા પાર્ટી પણ એ જ પરંપરા પર આગળ વધી રહી છે જ્યાં પક્ષ અને વિચાર કરતા વ્યક્તિ અને એના નામથી થતા ફાયદા પર આધાર રખાતો હોય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અનેક સળગતા મુદ્દાઓ સરકારની સામે મોં ફાડીને ઉભા છે, સરકાર પોતાના ઘર એટલે કે ગાંધીનગરમાં દરરોજ આંદોલનકારીઓથી ઘેરાઈ રહી છે ત્યારે એમની પાસે આ દરેક સવાલોને ટાળવાનો કાં તો બચવાનો એક જ રસ્તો છે નરેન્દ્ર મોદીનું જાદુઈ નામ, એએમસીએ એ.એમ.સી.મેટ કૉલેજનું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ કરવાનો નિર્ણય લીધો છે, આ પીએમને ખુશ કરવા લીધેલો નિર્ણય છે...પીએમને આ વાતની જાણ છે કે કેમ એ સવાલ છે, પણ આ પહેલા ગાંધીનગર કૉર્પોરેશને પ્રધાનમંત્રીના માતા હિરાબાના 100માં જન્મદિવસે રાયસણના રસ્તાનું નામ હિરાબા માર્ગ કરવાનું નક્કી કર્યુ હતુ પણ કૉર્પોરેશન પાસે એ સત્તા જ નહોતી અને રાજ્ય સરકારે આવી કોઈ પ્રોસેસ કરી નહોતી ત્યારે ગાંધીનગરના મેયરનો ફજેતો થયો હતો, આ વખતે કૉલેજનું નામ નરેન્દ્ર મોદી કૉલેજ કરાયું છે ત્યારે વિપક્ષ શું પ્રતિક્રીયા આપે છે એ કરતા પણ વિશેષ પીએમ કેવી પ્રતિક્રીયા આપે છે એ જોવાનું રહેશે.




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.