અમદાવાદની LG મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:38:22

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે કે એલજી મેટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બાદ કોલેજનું નામ 17 સપ્ટેમ્બરના રોજ બદલવાનો નિર્ણય લીધો છે. 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે શું કહ્યું 

એલજી મેડિકલ અને એલજી હોસ્પિટલ કોલેજનું નામ એલજી મેટ કોલેજથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવાનો ગઈકાલની અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદ મેટ કોલેજની સ્થાપના કરાવી હતી. ગઈકાલે મેટની બેઠકમાં નામકરણ માટે દરખાસ્ત કરતવામાં આવી હતી જેમાં મેટ કોલેજે પણ હા પાડી હતી જેના કારણે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. 


શું છે એલજી મેટ કોલેજ?

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેટ કોલેજ આવેલી છે. જેમાં અત્યારે નરેન્દ્ર મોદી મેટ કોલેજમાં 200 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ સેવા આપે છે, 59થી વધુ એમએસ ડોક્ટર્સ સેવા આપે છે. મેટ કોલેજમાં નર્સિંગ કોલેજની પણ સુવિધા આપવામાં આવી છે. 


અત્યાર સુધી ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે રાખવામાં આવતા ઈમારતો અને સંસ્થાઓના નામનો વાંધો ઉઠાવતી ભારતીય જનતા પાર્ટી પણ એ જ પરંપરા પર આગળ વધી રહી છે જ્યાં પક્ષ અને વિચાર કરતા વ્યક્તિ અને એના નામથી થતા ફાયદા પર આધાર રખાતો હોય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અનેક સળગતા મુદ્દાઓ સરકારની સામે મોં ફાડીને ઉભા છે, સરકાર પોતાના ઘર એટલે કે ગાંધીનગરમાં દરરોજ આંદોલનકારીઓથી ઘેરાઈ રહી છે ત્યારે એમની પાસે આ દરેક સવાલોને ટાળવાનો કાં તો બચવાનો એક જ રસ્તો છે નરેન્દ્ર મોદીનું જાદુઈ નામ, એએમસીએ એ.એમ.સી.મેટ કૉલેજનું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ કરવાનો નિર્ણય લીધો છે, આ પીએમને ખુશ કરવા લીધેલો નિર્ણય છે...પીએમને આ વાતની જાણ છે કે કેમ એ સવાલ છે, પણ આ પહેલા ગાંધીનગર કૉર્પોરેશને પ્રધાનમંત્રીના માતા હિરાબાના 100માં જન્મદિવસે રાયસણના રસ્તાનું નામ હિરાબા માર્ગ કરવાનું નક્કી કર્યુ હતુ પણ કૉર્પોરેશન પાસે એ સત્તા જ નહોતી અને રાજ્ય સરકારે આવી કોઈ પ્રોસેસ કરી નહોતી ત્યારે ગાંધીનગરના મેયરનો ફજેતો થયો હતો, આ વખતે કૉલેજનું નામ નરેન્દ્ર મોદી કૉલેજ કરાયું છે ત્યારે વિપક્ષ શું પ્રતિક્રીયા આપે છે એ કરતા પણ વિશેષ પીએમ કેવી પ્રતિક્રીયા આપે છે એ જોવાનું રહેશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.