અમદાવાદની LG મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:38:22

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરથી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાએ નિર્ણય લીધો છે કે એલજી મેટ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બાદ કોલેજનું નામ 17 સપ્ટેમ્બરના રોજ બદલવાનો નિર્ણય લીધો છે. 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે શું કહ્યું 

એલજી મેડિકલ અને એલજી હોસ્પિટલ કોલેજનું નામ એલજી મેટ કોલેજથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવાનો ગઈકાલની અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદ મેટ કોલેજની સ્થાપના કરાવી હતી. ગઈકાલે મેટની બેઠકમાં નામકરણ માટે દરખાસ્ત કરતવામાં આવી હતી જેમાં મેટ કોલેજે પણ હા પાડી હતી જેના કારણે અમે આ નિર્ણય પર પહોંચ્યા છીએ. 


શું છે એલજી મેટ કોલેજ?

અમદાવાદના મણિનગર વિસ્તારમાં મેટ કોલેજ આવેલી છે. જેમાં અત્યારે નરેન્દ્ર મોદી મેટ કોલેજમાં 200 જેટલા એમબીબીએસ ડોક્ટર્સ સેવા આપે છે, 59થી વધુ એમએસ ડોક્ટર્સ સેવા આપે છે. મેટ કોલેજમાં નર્સિંગ કોલેજની પણ સુવિધા આપવામાં આવી છે. 


અત્યાર સુધી ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે રાખવામાં આવતા ઈમારતો અને સંસ્થાઓના નામનો વાંધો ઉઠાવતી ભારતીય જનતા પાર્ટી પણ એ જ પરંપરા પર આગળ વધી રહી છે જ્યાં પક્ષ અને વિચાર કરતા વ્યક્તિ અને એના નામથી થતા ફાયદા પર આધાર રખાતો હોય. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અનેક સળગતા મુદ્દાઓ સરકારની સામે મોં ફાડીને ઉભા છે, સરકાર પોતાના ઘર એટલે કે ગાંધીનગરમાં દરરોજ આંદોલનકારીઓથી ઘેરાઈ રહી છે ત્યારે એમની પાસે આ દરેક સવાલોને ટાળવાનો કાં તો બચવાનો એક જ રસ્તો છે નરેન્દ્ર મોદીનું જાદુઈ નામ, એએમસીએ એ.એમ.સી.મેટ કૉલેજનું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કૉલેજ કરવાનો નિર્ણય લીધો છે, આ પીએમને ખુશ કરવા લીધેલો નિર્ણય છે...પીએમને આ વાતની જાણ છે કે કેમ એ સવાલ છે, પણ આ પહેલા ગાંધીનગર કૉર્પોરેશને પ્રધાનમંત્રીના માતા હિરાબાના 100માં જન્મદિવસે રાયસણના રસ્તાનું નામ હિરાબા માર્ગ કરવાનું નક્કી કર્યુ હતુ પણ કૉર્પોરેશન પાસે એ સત્તા જ નહોતી અને રાજ્ય સરકારે આવી કોઈ પ્રોસેસ કરી નહોતી ત્યારે ગાંધીનગરના મેયરનો ફજેતો થયો હતો, આ વખતે કૉલેજનું નામ નરેન્દ્ર મોદી કૉલેજ કરાયું છે ત્યારે વિપક્ષ શું પ્રતિક્રીયા આપે છે એ કરતા પણ વિશેષ પીએમ કેવી પ્રતિક્રીયા આપે છે એ જોવાનું રહેશે.




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..