Libya Flood: લીબિયામાં વિનાશકારી પૂરથી 5200થી વધુ લોકોના મોત, 10 હજાર લોકો ગુમ


  • Published By :
  • Published Date : 2023-09-13 14:39:40

લીબિયામાં પૂરના પગલે અનેક શહેરોમાં ભારે વિનાશ સર્જાયો છે. પૂરના કારણે સૌથી વધુ અસર ડેર શહેરમાં થઈ છે. જ્યાં 700 લોકોને અત્યાર સુધીમાં દફનાવવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજું વધી શકે છે. કેમ કે 10 હજાર લોકો ગુમ થયા છે. ભારે વરસાદના સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં  5,200થી વધુના મોત નિપજ્યા હોવાની આશંકા છે. ભયાનક પૂરના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્ષેપ આવી રહ્યો છે.   


હોસ્પિટલોમાં મૃતદેહોની ભરમાર


ભારે પૂરના કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેરનામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેરનામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા તો દરિયામાં વહી ગયા છે.


ડેરના શહેરમાં 2,300 લોકોના મોત


લીબિયાના અધિકારીઓનું અનુમાન છે કે એકલા ડેરના શહેરમાં 2,300 લોકો માર્યા ગયા હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ માટે લિબિયાના રાજદૂત તામેર રમદાને જણાવ્યું હતું કે ભયાનક પૂર બાદ 10,000 લોકો ગુમ થયા છે.  પ્રધાનમંત્રી ઓસામા હમદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના બચવાની શક્યતા ઓછી છે.


હજારો પરિવારો વિસ્થાપિત...


લિબિયાની સરકારના જણાવ્યા અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહટનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે, બેનગાઝી શહેર અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો છે.


બહુમાળી ઈમારતો ધરાશાઈ,  મૃતદેહો વિખરાયેલા


ડેરના શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેરનાના બંધ તૂટ્યા બાદ રહેણાંક બ્લોક્સ સંપુર્ણપણે નાશ પામ્યા છે. બહુમાળી ઇમારતો, જે એક સમયે નદીથી દૂર ઉભી હતી, તે આંશિક રીતે કાદવમાં પડી ગઈ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.