Libya Flood: લીબિયામાં વિનાશકારી પૂરથી 5200થી વધુ લોકોના મોત, 10 હજાર લોકો ગુમ


  • Published By :
  • Published Date : 2023-09-13 14:39:40

લીબિયામાં પૂરના પગલે અનેક શહેરોમાં ભારે વિનાશ સર્જાયો છે. પૂરના કારણે સૌથી વધુ અસર ડેર શહેરમાં થઈ છે. જ્યાં 700 લોકોને અત્યાર સુધીમાં દફનાવવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજું વધી શકે છે. કેમ કે 10 હજાર લોકો ગુમ થયા છે. ભારે વરસાદના સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં  5,200થી વધુના મોત નિપજ્યા હોવાની આશંકા છે. ભયાનક પૂરના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વિક્ષેપ આવી રહ્યો છે.   


હોસ્પિટલોમાં મૃતદેહોની ભરમાર


ભારે પૂરના કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેરનામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેરનામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા તો દરિયામાં વહી ગયા છે.


ડેરના શહેરમાં 2,300 લોકોના મોત


લીબિયાના અધિકારીઓનું અનુમાન છે કે એકલા ડેરના શહેરમાં 2,300 લોકો માર્યા ગયા હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ માટે લિબિયાના રાજદૂત તામેર રમદાને જણાવ્યું હતું કે ભયાનક પૂર બાદ 10,000 લોકો ગુમ થયા છે.  પ્રધાનમંત્રી ઓસામા હમદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના બચવાની શક્યતા ઓછી છે.


હજારો પરિવારો વિસ્થાપિત...


લિબિયાની સરકારના જણાવ્યા અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહટનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે, બેનગાઝી શહેર અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો છે.


બહુમાળી ઈમારતો ધરાશાઈ,  મૃતદેહો વિખરાયેલા


ડેરના શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેરનાના બંધ તૂટ્યા બાદ રહેણાંક બ્લોક્સ સંપુર્ણપણે નાશ પામ્યા છે. બહુમાળી ઇમારતો, જે એક સમયે નદીથી દૂર ઉભી હતી, તે આંશિક રીતે કાદવમાં પડી ગઈ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.