અદાણી ગ્રુપના શેરોમાં LICનું કરોડોનું નુકસાન, છતાં અધિકારીઓ ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-02-27 16:55:28

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના દિવસે અદાણી ગ્રુપ પર તેની રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હડકંપ મચાવી દીધો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ બજાર ખુલતા જ કેટલાક શેરમાં તો નીચલી સર્કિટ લાગી ગઈ હતી. ગૌતમ અદાણી પણ ફોર્બ્સની યાદીમાં 35ના ક્રમે પહોંચી ગયા છે. હવે અદાણીની સંપત્તી માત્ર 34 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. જો કે સૌથી મોટો ફટકો તો LICને પડ્યો છે. આમ છતાં પણ LIC કોઈ પણ ખુલાસો કરવાનું ટાળી રહી છે.


અદાણી ગ્રુપમાં રૂ. 30,127 કરોડનું રોકાણ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્યસભામાં LICના રોકાણ વિશે મહત્વની માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન LICએ અદાણી જૂથના શેરની ખરીદીમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરી, 2023 ના રોજ બજાર બંધ થવા પર આ શેરોનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. કરાડે જણાવ્યું હતું કે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.  


LIC કંઈ પણ કહેવાનું ટાળી રહી છે


અદાણી ગ્રુપનો વિવાદ ખુલ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ LIC આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. જોકે, 10 ફેબ્રુઆરીએ LICના ચેરમેન એમ.આર. કુમારે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યા નથી. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેર વેચીને બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે ભલે તમે કોઈ પણ કંપનીના શેર ન વેચો, પરંતુ તમે કહી શકો કે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરીને અત્યાર સુધીમાં કેટલો નફો કે નુકસાન થયું છે?.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.