અદાણી ગ્રુપના શેરોમાં LICનું કરોડોનું નુકસાન, છતાં અધિકારીઓ ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-02-27 16:55:28

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના દિવસે અદાણી ગ્રુપ પર તેની રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હડકંપ મચાવી દીધો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ બજાર ખુલતા જ કેટલાક શેરમાં તો નીચલી સર્કિટ લાગી ગઈ હતી. ગૌતમ અદાણી પણ ફોર્બ્સની યાદીમાં 35ના ક્રમે પહોંચી ગયા છે. હવે અદાણીની સંપત્તી માત્ર 34 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. જો કે સૌથી મોટો ફટકો તો LICને પડ્યો છે. આમ છતાં પણ LIC કોઈ પણ ખુલાસો કરવાનું ટાળી રહી છે.


અદાણી ગ્રુપમાં રૂ. 30,127 કરોડનું રોકાણ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્યસભામાં LICના રોકાણ વિશે મહત્વની માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન LICએ અદાણી જૂથના શેરની ખરીદીમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરી, 2023 ના રોજ બજાર બંધ થવા પર આ શેરોનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. કરાડે જણાવ્યું હતું કે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.  


LIC કંઈ પણ કહેવાનું ટાળી રહી છે


અદાણી ગ્રુપનો વિવાદ ખુલ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ LIC આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. જોકે, 10 ફેબ્રુઆરીએ LICના ચેરમેન એમ.આર. કુમારે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યા નથી. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેર વેચીને બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે ભલે તમે કોઈ પણ કંપનીના શેર ન વેચો, પરંતુ તમે કહી શકો કે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરીને અત્યાર સુધીમાં કેટલો નફો કે નુકસાન થયું છે?.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.