અદાણી ગ્રુપના શેરોમાં LICનું કરોડોનું નુકસાન, છતાં અધિકારીઓ ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-02-27 16:55:28

અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના દિવસે અદાણી ગ્રુપ પર તેની રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હડકંપ મચાવી દીધો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ બજાર ખુલતા જ કેટલાક શેરમાં તો નીચલી સર્કિટ લાગી ગઈ હતી. ગૌતમ અદાણી પણ ફોર્બ્સની યાદીમાં 35ના ક્રમે પહોંચી ગયા છે. હવે અદાણીની સંપત્તી માત્ર 34 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. જો કે સૌથી મોટો ફટકો તો LICને પડ્યો છે. આમ છતાં પણ LIC કોઈ પણ ખુલાસો કરવાનું ટાળી રહી છે.


અદાણી ગ્રુપમાં રૂ. 30,127 કરોડનું રોકાણ


કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્યસભામાં LICના રોકાણ વિશે મહત્વની માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન LICએ અદાણી જૂથના શેરની ખરીદીમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરી, 2023 ના રોજ બજાર બંધ થવા પર આ શેરોનું બજાર મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. કરાડે જણાવ્યું હતું કે LICની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 41.66 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.  


LIC કંઈ પણ કહેવાનું ટાળી રહી છે


અદાણી ગ્રુપનો વિવાદ ખુલ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ LIC આ અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. જોકે, 10 ફેબ્રુઆરીએ LICના ચેરમેન એમ.આર. કુમારે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે તેઓ અદાણી ગ્રૂપમાંથી બહાર નીકળી રહ્યા નથી. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેર વેચીને બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અહીં સવાલ એ ઊભો થાય છે કે ભલે તમે કોઈ પણ કંપનીના શેર ન વેચો, પરંતુ તમે કહી શકો કે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરીને અત્યાર સુધીમાં કેટલો નફો કે નુકસાન થયું છે?.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.