Adani Groupના શેરમાં ઘટાડાને કારણે LICને રૂ. 1,439.8નું નુકસાન, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-09-01 17:20:57

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ બાગ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના એક રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના રિપોર્ટમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. ગુરુવારે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો અને થોડા જ સમયમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ OCCRPના રિપોર્ટ પછી, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સમાચારોમાં છે. કારણ કે આ વીમા કંપનીએ અદાણી જૂથની કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે અને અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ઘટાડા પછી LICને પણ જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.


અદાણી ગ્રૂપના તમામ શેરમાં ઘટાડો


NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.51 ટકા ઘટીને બંધ થયા. અદાણી ટોટલ ગેસનો શેર 2.24 ટકા ઘટીને બંધ રહ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ 3.53 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.76 ટકા નીચામાં બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિકના શેર 3.18 ટકા ઘટીને બંધ થયા હતા. 31 ઓગસ્ટે ACCના શેર 0.73 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.66 ટકા, NDTV 1.92 ટકા, અદાણી પાવર 1.93 ટકા અને અદાણી વિલ્મર 2.70 ટકા ઘટીને બંધ થયા હતા.


અદાણી ગ્રુપને કેટલો મોટો ઝટકો?


અદાણી ગ્રુપને ગુરુવારે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ તમામ 10 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 10.84 લાખ કરોડ હતું પરંતુ 31 ઓગસ્ટે તે ઘટીને લગભગ 10.49 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે અદાણી ગ્રુપને એક જ દિવસમાં લગભગ 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


LICને કેટલું નુકસાન થયું? 


 જીવન વીમા નિગમ (LIC) ને માત્ર એક સત્રમાં 1,439.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC એ અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. ડેટા અનુસાર, 30 જૂનના રોજ, LIC પાસે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિકમાં 9.12 ટકા હિસ્સો, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4.26 ટકા, અદાણી ટોટલ ગેસ, ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાથી વધુ હિસ્સો હતો. અદાણી ગ્રુપને અત્યાર સુધી લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા દ્વારા જાણકારી મળે છે કે 30 ઓગસ્ટ 2023ના તમામ 10 શેરોના કુલ માર્કેટ કેપિટાઈઝેશનના લગભગ 10.84 લાખ કરોડ રૂપિયા હતું. ત્યારે 31 ઓગસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તે ઘટીને 10.49 લાખ કરોડ પર આવી ગયું છે. આ હિસાબથી 35 હજાર કરોડનું નુકસાન થયું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.