Adani Groupના શેરમાં ઘટાડાને કારણે LICને રૂ. 1,439.8નું નુકસાન, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-09-01 17:20:57

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ બાગ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના એક રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના રિપોર્ટમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. ગુરુવારે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો અને થોડા જ સમયમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ OCCRPના રિપોર્ટ પછી, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સમાચારોમાં છે. કારણ કે આ વીમા કંપનીએ અદાણી જૂથની કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે અને અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ઘટાડા પછી LICને પણ જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.


અદાણી ગ્રૂપના તમામ શેરમાં ઘટાડો


NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.51 ટકા ઘટીને બંધ થયા. અદાણી ટોટલ ગેસનો શેર 2.24 ટકા ઘટીને બંધ રહ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ 3.53 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.76 ટકા નીચામાં બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિકના શેર 3.18 ટકા ઘટીને બંધ થયા હતા. 31 ઓગસ્ટે ACCના શેર 0.73 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.66 ટકા, NDTV 1.92 ટકા, અદાણી પાવર 1.93 ટકા અને અદાણી વિલ્મર 2.70 ટકા ઘટીને બંધ થયા હતા.


અદાણી ગ્રુપને કેટલો મોટો ઝટકો?


અદાણી ગ્રુપને ગુરુવારે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ તમામ 10 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 10.84 લાખ કરોડ હતું પરંતુ 31 ઓગસ્ટે તે ઘટીને લગભગ 10.49 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે અદાણી ગ્રુપને એક જ દિવસમાં લગભગ 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


LICને કેટલું નુકસાન થયું? 


 જીવન વીમા નિગમ (LIC) ને માત્ર એક સત્રમાં 1,439.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC એ અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. ડેટા અનુસાર, 30 જૂનના રોજ, LIC પાસે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિકમાં 9.12 ટકા હિસ્સો, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4.26 ટકા, અદાણી ટોટલ ગેસ, ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાથી વધુ હિસ્સો હતો. અદાણી ગ્રુપને અત્યાર સુધી લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા દ્વારા જાણકારી મળે છે કે 30 ઓગસ્ટ 2023ના તમામ 10 શેરોના કુલ માર્કેટ કેપિટાઈઝેશનના લગભગ 10.84 લાખ કરોડ રૂપિયા હતું. ત્યારે 31 ઓગસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તે ઘટીને 10.49 લાખ કરોડ પર આવી ગયું છે. આ હિસાબથી 35 હજાર કરોડનું નુકસાન થયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.