Adani Groupના શેરમાં ઘટાડાને કારણે LICને રૂ. 1,439.8નું નુકસાન, જાણો બંને વચ્ચે શું છે કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-09-01 17:20:57

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ બાગ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ્સ (OCCRP)ના એક રિપોર્ટે અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો છે. OCCRPએ તેના રિપોર્ટમાં અબજોપતિ ગૌતમ અદાણી અને તેમના પોર્ટ-ટુ-એનર્જી ગ્રૂપ સામે સ્ટોક મેનીપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. ગુરુવારે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો શરૂ થયો હતો અને થોડા જ સમયમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ OCCRPના રિપોર્ટ પછી, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સમાચારોમાં છે. કારણ કે આ વીમા કંપનીએ અદાણી જૂથની કંપનીઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે અને અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ઘટાડા પછી LICને પણ જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.


અદાણી ગ્રૂપના તમામ શેરમાં ઘટાડો


NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 3.51 ટકા ઘટીને બંધ થયા. અદાણી ટોટલ ગેસનો શેર 2.24 ટકા ઘટીને બંધ રહ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરનો ભાવ 3.53 ટકા ઘટીને બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.76 ટકા નીચામાં બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિકના શેર 3.18 ટકા ઘટીને બંધ થયા હતા. 31 ઓગસ્ટે ACCના શેર 0.73 ટકા, અંબુજા સિમેન્ટ્સ 3.66 ટકા, NDTV 1.92 ટકા, અદાણી પાવર 1.93 ટકા અને અદાણી વિલ્મર 2.70 ટકા ઘટીને બંધ થયા હતા.


અદાણી ગ્રુપને કેટલો મોટો ઝટકો?


અદાણી ગ્રુપને ગુરુવારે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ તમામ 10 શેરોની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ રૂ. 10.84 લાખ કરોડ હતું પરંતુ 31 ઓગસ્ટે તે ઘટીને લગભગ 10.49 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે અદાણી ગ્રુપને એક જ દિવસમાં લગભગ 35,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


LICને કેટલું નુકસાન થયું? 


 જીવન વીમા નિગમ (LIC) ને માત્ર એક સત્રમાં 1,439.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC એ અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. ડેટા અનુસાર, 30 જૂનના રોજ, LIC પાસે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિકમાં 9.12 ટકા હિસ્સો, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4.26 ટકા, અદાણી ટોટલ ગેસ, ACC અને અંબુજા સિમેન્ટ્સમાં 6 ટકાથી વધુ હિસ્સો હતો. અદાણી ગ્રુપને અત્યાર સુધી લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંકડા દ્વારા જાણકારી મળે છે કે 30 ઓગસ્ટ 2023ના તમામ 10 શેરોના કુલ માર્કેટ કેપિટાઈઝેશનના લગભગ 10.84 લાખ કરોડ રૂપિયા હતું. ત્યારે 31 ઓગસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તે ઘટીને 10.49 લાખ કરોડ પર આવી ગયું છે. આ હિસાબથી 35 હજાર કરોડનું નુકસાન થયું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .