LICનો નફો 49 ટકા ઉછાળ્યો, પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની, 40% ડિવિડન્ડ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-09 17:49:20

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે ગુરુવાર ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીના નફામાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, ટ્રેડિંગ દરમિયાન શેર્સમાં ભારે વધારો થયો અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICના બોર્ડે શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 40% એટલે કે રૂ. 4 ડિવિડન્ડ ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. ડિવિડન્ડ આગામી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.


શેરનો ભાવ 1,144.45ના રેકોર્ડ સ્તરે 


LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી. ગુરુવારે પરિણામો જાહેર થયા તે પહેલાં, કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે લગભગ છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.


કેટલું છે LICનું માર્કેટ કેપ? 


આ સાથે જ LICનું માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. દેશની સૌથી મોટી વીમા કંપનીનો શેર BSE પર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. NSE પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો. શેરના ભાવમાં આ વધારાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. આ સાથે જ LIC, ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.