LICનો નફો 49 ટકા ઉછાળ્યો, પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની, 40% ડિવિડન્ડ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-09 17:49:20

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે ગુરુવાર ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીના નફામાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, ટ્રેડિંગ દરમિયાન શેર્સમાં ભારે વધારો થયો અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICના બોર્ડે શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 40% એટલે કે રૂ. 4 ડિવિડન્ડ ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. ડિવિડન્ડ આગામી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.


શેરનો ભાવ 1,144.45ના રેકોર્ડ સ્તરે 


LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી. ગુરુવારે પરિણામો જાહેર થયા તે પહેલાં, કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે લગભગ છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.


કેટલું છે LICનું માર્કેટ કેપ? 


આ સાથે જ LICનું માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. દેશની સૌથી મોટી વીમા કંપનીનો શેર BSE પર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. NSE પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો. શેરના ભાવમાં આ વધારાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. આ સાથે જ LIC, ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.