LICનો નફો 49 ટકા ઉછાળ્યો, પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની, 40% ડિવિડન્ડ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-09 17:49:20

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે ગુરુવાર ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીના નફામાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, ટ્રેડિંગ દરમિયાન શેર્સમાં ભારે વધારો થયો અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICના બોર્ડે શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 40% એટલે કે રૂ. 4 ડિવિડન્ડ ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. ડિવિડન્ડ આગામી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.


શેરનો ભાવ 1,144.45ના રેકોર્ડ સ્તરે 


LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી. ગુરુવારે પરિણામો જાહેર થયા તે પહેલાં, કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે લગભગ છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.


કેટલું છે LICનું માર્કેટ કેપ? 


આ સાથે જ LICનું માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. દેશની સૌથી મોટી વીમા કંપનીનો શેર BSE પર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. NSE પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો. શેરના ભાવમાં આ વધારાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. આ સાથે જ LIC, ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.