LICનો નફો 49 ટકા ઉછાળ્યો, પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની, 40% ડિવિડન્ડ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-09 17:49:20

દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે ગુરુવાર ઘણા સારા સમાચાર લઈને આવ્યો છે. કંપનીના નફામાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, ટ્રેડિંગ દરમિયાન શેર્સમાં ભારે વધારો થયો અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો 49 ટકા વધીને રૂ. 9,444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 6,334 કરોડ હતો. LICના બોર્ડે શેરધારકોને રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ 40% એટલે કે રૂ. 4 ડિવિડન્ડ ચૂકવવાનું પણ નક્કી કર્યું છે. ડિવિડન્ડ આગામી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.


શેરનો ભાવ 1,144.45ના રેકોર્ડ સ્તરે 


LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી. ગુરુવારે પરિણામો જાહેર થયા તે પહેલાં, કંપનીના શેર ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે 9.51 ટકા વધીને રૂ. 1,144.45ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે લગભગ છ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.


કેટલું છે LICનું માર્કેટ કેપ? 


આ સાથે જ LICનું માર્કેટ કેપ વધીને રૂ. 6.99 લાખ કરોડ થયું અને તે દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. દેશની સૌથી મોટી વીમા કંપનીનો શેર BSE પર 5.86 ટકા વધીને રૂ. 1,106.25 પર બંધ થયો હતો. NSE પર કંપનીનો શેર 6.46 ટકાના ઉછાળા સાથે રૂ. 1,112 પર બંધ થયો હતો. શેરના ભાવમાં આ વધારાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 38,740.62 કરોડ વધીને રૂ. 6,99,702.87 કરોડ થયું છે. આ સાથે જ LIC, ICICI બેંકને પાછળ છોડી દેશની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.