'લાઈટ બિલ ભરતો નથી' Vs 'લાઈટ બિલ ક્યાંથી ભરે'... વીજ અધિકારીના વાયરલ થયેલા વીડિયો પર ખેડૂતનો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-03-18 11:50:23

થોડા સમય પહેલા વીજ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રંગ રસિયો રૂપાળો રંગરેલિયો ગીતનો સહારો લઈ લોકોને લાઈટબિલ ભરવા જાગૃત કરાઈ રહ્યા હતા. અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ત્યારે વીજ અધિકારીને જવાબ આપતા એક ખેડૂતનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગીત એક જ છે પરંતુ શબ્દોમાં થોડો ફેરફાર કરી ખેડૂતે પોતાની વ્યથા દર્શાવી છે.  

વીજ અધિકારીનો વીડિયો થયો હતો વાયરલ 

સોશિયલ મીડિયા પર વીજ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતી ગીત રસિયો રુપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત ગાયું હતું. આ અનોખો પ્રયોગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજકર્મચારીને જવાબ ખેડૂત આપી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતનો ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  


જગતના તાતે ગીતના સહારે આપ્યો જવાબ 

વીડિયોમાં જગતના તાતે ગીતના માધ્યમથી શબ્દોમાં ફેરફાર કરી પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. દુખ વ્યક્ત કરતા ખેડૂત કહી રહ્યો છે કે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે, નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ, નથી ઘઉંના ભાવ, રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.


બંને વીડિયો લોકોને આવી રહ્યા છે પસંદ  

પહેલા વીજઅધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોને ખુબ પસંદ આવ્યો હતો ત્યારે હવે આ ખેડૂતોનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે. જે ગીતથી લોકોને લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી તે જ ગીત ગાઈ ધરતી પુત્રએ જડબાતોડ જવાબ આપ્યો છે. ખેડૂતના જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.