'લાઈટ બિલ ભરતો નથી' Vs 'લાઈટ બિલ ક્યાંથી ભરે'... વીજ અધિકારીના વાયરલ થયેલા વીડિયો પર ખેડૂતનો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-03-18 11:50:23

થોડા સમય પહેલા વીજ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રંગ રસિયો રૂપાળો રંગરેલિયો ગીતનો સહારો લઈ લોકોને લાઈટબિલ ભરવા જાગૃત કરાઈ રહ્યા હતા. અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ત્યારે વીજ અધિકારીને જવાબ આપતા એક ખેડૂતનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગીત એક જ છે પરંતુ શબ્દોમાં થોડો ફેરફાર કરી ખેડૂતે પોતાની વ્યથા દર્શાવી છે.  

વીજ અધિકારીનો વીડિયો થયો હતો વાયરલ 

સોશિયલ મીડિયા પર વીજ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતી ગીત રસિયો રુપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત ગાયું હતું. આ અનોખો પ્રયોગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજકર્મચારીને જવાબ ખેડૂત આપી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતનો ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  


જગતના તાતે ગીતના સહારે આપ્યો જવાબ 

વીડિયોમાં જગતના તાતે ગીતના માધ્યમથી શબ્દોમાં ફેરફાર કરી પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. દુખ વ્યક્ત કરતા ખેડૂત કહી રહ્યો છે કે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે, નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ, નથી ઘઉંના ભાવ, રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.


બંને વીડિયો લોકોને આવી રહ્યા છે પસંદ  

પહેલા વીજઅધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોને ખુબ પસંદ આવ્યો હતો ત્યારે હવે આ ખેડૂતોનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે. જે ગીતથી લોકોને લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી તે જ ગીત ગાઈ ધરતી પુત્રએ જડબાતોડ જવાબ આપ્યો છે. ખેડૂતના જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.