'લાઈટ બિલ ભરતો નથી' Vs 'લાઈટ બિલ ક્યાંથી ભરે'... વીજ અધિકારીના વાયરલ થયેલા વીડિયો પર ખેડૂતનો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-03-18 11:50:23

થોડા સમય પહેલા વીજ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રંગ રસિયો રૂપાળો રંગરેલિયો ગીતનો સહારો લઈ લોકોને લાઈટબિલ ભરવા જાગૃત કરાઈ રહ્યા હતા. અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ત્યારે વીજ અધિકારીને જવાબ આપતા એક ખેડૂતનો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગીત એક જ છે પરંતુ શબ્દોમાં થોડો ફેરફાર કરી ખેડૂતે પોતાની વ્યથા દર્શાવી છે.  

વીજ અધિકારીનો વીડિયો થયો હતો વાયરલ 

સોશિયલ મીડિયા પર વીજ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગીતના માધ્યમથી લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતી ગીત રસિયો રુપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી ગીત ગાયું હતું. આ અનોખો પ્રયોગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વીજકર્મચારીને જવાબ ખેડૂત આપી રહ્યો હોય તેવું લાગે છે. ખેડૂતનો ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે જેમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય તેવું લાગી રહ્યું છે.  


જગતના તાતે ગીતના સહારે આપ્યો જવાબ 

વીડિયોમાં જગતના તાતે ગીતના માધ્યમથી શબ્દોમાં ફેરફાર કરી પોતાને પડતી મુશ્કેલી રજૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. દુખ વ્યક્ત કરતા ખેડૂત કહી રહ્યો છે કે રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે, નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ, નથી ઘઉંના ભાવ, રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.


બંને વીડિયો લોકોને આવી રહ્યા છે પસંદ  

પહેલા વીજઅધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોને ખુબ પસંદ આવ્યો હતો ત્યારે હવે આ ખેડૂતોનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો પણ પસંદ આવી રહ્યો છે. જે ગીતથી લોકોને લાઈટ બિલ ભરવા અપીલ કરવામાં આવી હતી તે જ ગીત ગાઈ ધરતી પુત્રએ જડબાતોડ જવાબ આપ્યો છે. ખેડૂતના જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.