રાજ્યમાં સિંહોની સંખ્યા અને બે વર્ષમાં કેટલા વનરાજ મોતને ભેટ્યા? સરકારે વિધાનસભામાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-06 20:00:40

ગુજરાતના એશિયાટિક સિંહો જગવિખ્યાત છે, આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ પ્રદેશના ગીર જંગલમાં જ સિંહોની વસ્તી છે. સિંહોની વસ્તી વધે તે માટે સરકાર ખાસ પ્રયત્નો કરે છે. જો કે તેમ છતાં પણ ગીરના સિંહોના મૃત્યું ચિંતાનો વિષય બન્યો છે. આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. તેના જવાબમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા છે.

કેટલા સિંહો મોતને ભેટ્યા?


કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુના આંકડા  અંગે સવાલ પૂછ્યો હતો. જેનો વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જે મુજબ વર્ષ 2020 - 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 - 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ 2022 - 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 - 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.


રાજ્યમાં કેટલા સિંહો છે?


વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.


સિંહોનો જીવ બચાવવા પ્રયાસો


રાજ્ય સરકારે સિંહોનું અકુદરતી મૃત્યુ અટકાવવા સિંહોની સારવાર, રેપીડ એક્શન ટીમ તથા વિવિધ પગલાઓ ભર્યા છે. જે અંતર્ગત વન્યપ્રાણીઓની બિમારી કે અકસ્માત થાય તો સારવાર આપવા માટે અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી જે માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સિવાય રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી છે. સરકારે સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા નાઈટ પેટ્રોલીંગ અને રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને વોલ બાંધી સુરક્ષિત કર્યાં છે.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.