રાજ્યમાં સિંહોની સંખ્યા અને બે વર્ષમાં કેટલા વનરાજ મોતને ભેટ્યા? સરકારે વિધાનસભામાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-06 20:00:40

ગુજરાતના એશિયાટિક સિંહો જગવિખ્યાત છે, આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ પ્રદેશના ગીર જંગલમાં જ સિંહોની વસ્તી છે. સિંહોની વસ્તી વધે તે માટે સરકાર ખાસ પ્રયત્નો કરે છે. જો કે તેમ છતાં પણ ગીરના સિંહોના મૃત્યું ચિંતાનો વિષય બન્યો છે. આજે વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા ગીરમાં સિંહોની વસ્તી અને છેલ્લા બે વર્ષમાં સિંહોના મૃત્યું અંગેની વિગત માંગવામાં આવ્યા હતી હતી. તેના જવાબમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં કેટલાં સિંહો છે અને સિંહોના મોત અંગેના આંકડા સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યા છે.

કેટલા સિંહો મોતને ભેટ્યા?


કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુના આંકડા  અંગે સવાલ પૂછ્યો હતો. જેનો વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જે મુજબ વર્ષ 2020 - 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 - 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ 2022 - 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 - 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.


રાજ્યમાં કેટલા સિંહો છે?


વનવિભાગ દ્વારા વર્ષ 2020 માં પૂનમ અવલોકનના આધારે સિહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે અનુસાર નર સિંહ 206, સિંહણ 309, બાળસિંહ 29 અને 130 વણઓળખાયેલા મળી કુલ 674 સિંહો છે. જણાવી દઈએ કે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.


સિંહોનો જીવ બચાવવા પ્રયાસો


રાજ્ય સરકારે સિંહોનું અકુદરતી મૃત્યુ અટકાવવા સિંહોની સારવાર, રેપીડ એક્શન ટીમ તથા વિવિધ પગલાઓ ભર્યા છે. જે અંતર્ગત વન્યપ્રાણીઓની બિમારી કે અકસ્માત થાય તો સારવાર આપવા માટે અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી જે માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સિવાય રેસ્કયુ માટે રેપિડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરી છે. સરકારે સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યા અટકાવવા નાઈટ પેટ્રોલીંગ અને રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કુવાઓને વોલ બાંધી સુરક્ષિત કર્યાં છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.