દારૂબંધી માત્ર કાગળ પર તેનો વધુ એક પૂરાવો, લુણાવાડાથી પકડાયો દારૂનો જથ્થો, સ્થાનીક પોલીસ ભૂગર્ભમાં ઉતરી!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:26:33

અનેક વખત આપણી સામે કિસ્સાઓ આવતા હોય છે કે આટલી બોટલો દારૂનો નાશ કરાયો, આ જગ્યાએથી આટલી બોટલો દારૂની મળી આવી. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને વિરણીયાં ચોકડી પાસેથી વિદેશી દારૂની 20 પેટી  બોટલો મળી આવી. 


મહિસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા 

સ્ટેટ મોનિટરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી થયા બાદ સ્થાનિક પોલીસ જાણે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. મહત્વનું છે કે અનેક વખત મહીસાગર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લામાં 20 જેટલી વખત રેડ પાડવામાં આવી છે. આ વખતની રેડમાં 4 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અનેક વખત વિજીલન્સની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા લુણાવાડા ટાઉન પોલીસ પણ અચંબામાં મૂકાઈ છે. અનેક વખત રેડ થતાં તર્ક વિતર્કો ઉભા થયા છે.  


દારૂ ક્યાં મળે છે તેની જાણકારી હોવા છતાંય નથી કરાતી કાર્યવાહી!

ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાયસ્ટેટ છે તેવી વાતો માત્ર કાગળ પૂરતી જ સિમીત છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. વાત સાચી પણ છે દિવસમાં અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં જાણવા મળે છે કે આ જગ્યાઓ પરથી દારૂનો આટલો જથ્થો ઝડપાયો. અનેક લોકો નશાની હાલતમાં પણ મળી આવે છે. દારૂબંધીને પર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થતું હોય છે કે પોલીસને પણ જાણ હોય છે તો પણ કાર્યવાહી નથી કરાતી. 


બુટલેગરો વિરૂદ્ધ પોલીસે કરવી જોઈએ કાર્યવાહી 

શહેરોમાં તેમજ ગામડાઓમાં અનેક એવી જગ્યાઓ છે જેની જાણ પોલીસને હોય છે.  ક્યાં દારૂ વેચાય છે, કોણ દારૂ વેચે છે તેની જાણ પોલીસને હોય જ છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મણિનગરમાં જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ અમે કહ્યું હતું કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ પણ થવી જોઈએ. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.