દારૂબંધી માત્ર કાગળ પર તેનો વધુ એક પૂરાવો, લુણાવાડાથી પકડાયો દારૂનો જથ્થો, સ્થાનીક પોલીસ ભૂગર્ભમાં ઉતરી!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:26:33

અનેક વખત આપણી સામે કિસ્સાઓ આવતા હોય છે કે આટલી બોટલો દારૂનો નાશ કરાયો, આ જગ્યાએથી આટલી બોટલો દારૂની મળી આવી. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને વિરણીયાં ચોકડી પાસેથી વિદેશી દારૂની 20 પેટી  બોટલો મળી આવી. 


મહિસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા 

સ્ટેટ મોનિટરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી થયા બાદ સ્થાનિક પોલીસ જાણે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. મહત્વનું છે કે અનેક વખત મહીસાગર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લામાં 20 જેટલી વખત રેડ પાડવામાં આવી છે. આ વખતની રેડમાં 4 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અનેક વખત વિજીલન્સની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા લુણાવાડા ટાઉન પોલીસ પણ અચંબામાં મૂકાઈ છે. અનેક વખત રેડ થતાં તર્ક વિતર્કો ઉભા થયા છે.  


દારૂ ક્યાં મળે છે તેની જાણકારી હોવા છતાંય નથી કરાતી કાર્યવાહી!

ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાયસ્ટેટ છે તેવી વાતો માત્ર કાગળ પૂરતી જ સિમીત છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. વાત સાચી પણ છે દિવસમાં અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં જાણવા મળે છે કે આ જગ્યાઓ પરથી દારૂનો આટલો જથ્થો ઝડપાયો. અનેક લોકો નશાની હાલતમાં પણ મળી આવે છે. દારૂબંધીને પર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થતું હોય છે કે પોલીસને પણ જાણ હોય છે તો પણ કાર્યવાહી નથી કરાતી. 


બુટલેગરો વિરૂદ્ધ પોલીસે કરવી જોઈએ કાર્યવાહી 

શહેરોમાં તેમજ ગામડાઓમાં અનેક એવી જગ્યાઓ છે જેની જાણ પોલીસને હોય છે.  ક્યાં દારૂ વેચાય છે, કોણ દારૂ વેચે છે તેની જાણ પોલીસને હોય જ છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મણિનગરમાં જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ અમે કહ્યું હતું કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ પણ થવી જોઈએ. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.