દારૂબંધી માત્ર કાગળ પર તેનો વધુ એક પૂરાવો, લુણાવાડાથી પકડાયો દારૂનો જથ્થો, સ્થાનીક પોલીસ ભૂગર્ભમાં ઉતરી!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:26:33

અનેક વખત આપણી સામે કિસ્સાઓ આવતા હોય છે કે આટલી બોટલો દારૂનો નાશ કરાયો, આ જગ્યાએથી આટલી બોટલો દારૂની મળી આવી. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને વિરણીયાં ચોકડી પાસેથી વિદેશી દારૂની 20 પેટી  બોટલો મળી આવી. 


મહિસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા 

સ્ટેટ મોનિટરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી થયા બાદ સ્થાનિક પોલીસ જાણે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. મહત્વનું છે કે અનેક વખત મહીસાગર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લામાં 20 જેટલી વખત રેડ પાડવામાં આવી છે. આ વખતની રેડમાં 4 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અનેક વખત વિજીલન્સની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા લુણાવાડા ટાઉન પોલીસ પણ અચંબામાં મૂકાઈ છે. અનેક વખત રેડ થતાં તર્ક વિતર્કો ઉભા થયા છે.  


દારૂ ક્યાં મળે છે તેની જાણકારી હોવા છતાંય નથી કરાતી કાર્યવાહી!

ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાયસ્ટેટ છે તેવી વાતો માત્ર કાગળ પૂરતી જ સિમીત છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. વાત સાચી પણ છે દિવસમાં અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં જાણવા મળે છે કે આ જગ્યાઓ પરથી દારૂનો આટલો જથ્થો ઝડપાયો. અનેક લોકો નશાની હાલતમાં પણ મળી આવે છે. દારૂબંધીને પર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થતું હોય છે કે પોલીસને પણ જાણ હોય છે તો પણ કાર્યવાહી નથી કરાતી. 


બુટલેગરો વિરૂદ્ધ પોલીસે કરવી જોઈએ કાર્યવાહી 

શહેરોમાં તેમજ ગામડાઓમાં અનેક એવી જગ્યાઓ છે જેની જાણ પોલીસને હોય છે.  ક્યાં દારૂ વેચાય છે, કોણ દારૂ વેચે છે તેની જાણ પોલીસને હોય જ છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મણિનગરમાં જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ અમે કહ્યું હતું કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ પણ થવી જોઈએ. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.