દારૂબંધી માત્ર કાગળ પર તેનો વધુ એક પૂરાવો, લુણાવાડાથી પકડાયો દારૂનો જથ્થો, સ્થાનીક પોલીસ ભૂગર્ભમાં ઉતરી!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:26:33

અનેક વખત આપણી સામે કિસ્સાઓ આવતા હોય છે કે આટલી બોટલો દારૂનો નાશ કરાયો, આ જગ્યાએથી આટલી બોટલો દારૂની મળી આવી. ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને વિરણીયાં ચોકડી પાસેથી વિદેશી દારૂની 20 પેટી  બોટલો મળી આવી. 


મહિસાગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા 

સ્ટેટ મોનિટરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી થયા બાદ સ્થાનિક પોલીસ જાણે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. મહત્વનું છે કે અનેક વખત મહીસાગર જિલ્લામાં સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વર્ષમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લામાં 20 જેટલી વખત રેડ પાડવામાં આવી છે. આ વખતની રેડમાં 4 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અનેક વખત વિજીલન્સની ટીમ દ્વારા કાર્યવાહી કરાતા લુણાવાડા ટાઉન પોલીસ પણ અચંબામાં મૂકાઈ છે. અનેક વખત રેડ થતાં તર્ક વિતર્કો ઉભા થયા છે.  


દારૂ ક્યાં મળે છે તેની જાણકારી હોવા છતાંય નથી કરાતી કાર્યવાહી!

ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાયસ્ટેટ છે તેવી વાતો માત્ર કાગળ પૂરતી જ સિમીત છે તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. વાત સાચી પણ છે દિવસમાં અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં જાણવા મળે છે કે આ જગ્યાઓ પરથી દારૂનો આટલો જથ્થો ઝડપાયો. અનેક લોકો નશાની હાલતમાં પણ મળી આવે છે. દારૂબંધીને પર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશન નજીક જ દારૂનું વેચાણ થતું હોય છે કે પોલીસને પણ જાણ હોય છે તો પણ કાર્યવાહી નથી કરાતી. 


બુટલેગરો વિરૂદ્ધ પોલીસે કરવી જોઈએ કાર્યવાહી 

શહેરોમાં તેમજ ગામડાઓમાં અનેક એવી જગ્યાઓ છે જેની જાણ પોલીસને હોય છે.  ક્યાં દારૂ વેચાય છે, કોણ દારૂ વેચે છે તેની જાણ પોલીસને હોય જ છે. તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મણિનગરમાં જે રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ અમે કહ્યું હતું કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ પણ થવી જોઈએ. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.