સિમેન્ટ મિક્ષર ટેન્કરની અંદર 49.32 લાખનો દારૂ ઝડપાયો, પોલીસ પણ દારૂ તસ્કરીની આ મોડસ ઓપરેન્ડી જોઈ ચોંકી ઉઠી


  • Published By :
  • Published Date : 2023-07-18 17:58:41

ગુજરાતમાં દારૂબંધી હવે નામની જ રહી છે, રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં દારૂનું બિન્દાસ્ત વેચાણ થાય જ છે. બુટલેગરો પણ દારૂની તસ્કરી માટે વિવિધ પ્રકારની ટેકનિક અપનાવતા રહે છે. જેમ કે ખેડા જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન પાસીંગ ધરાવતા સીમેન્ટ મિક્ષર ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે વંડર સીમેન્ટ વાહન ટાટા ટેન્કર નંબર આર.જે.27.જી.ઈ.2639ની નડિયાદથી વડોદરા તરફ એક્સપ્રેસ હાઇવે ઉપર જવાનું છે. જેમા વંડર સીમેન્ટની ટેન્કરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ટેન્કરમાંથી પકડાયેલા વિદેશી દારૂની બજાર કિંમત લગભગ રૂ. 49.32 જેટલી થાય છે.


બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી


ખેડા પોલીસના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે પોલીસે નડિયાદ એક્સપ્રેસ વે ઉપર આણંદ તરફ જતા ઉત્તરસંડા ચકલાસી ઓવરબ્રીજની પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ચકલાસી ઓવરબ્રીજની પાસે કેવલનગર તાબે ચકલાસી સીમ પીલ્લર નંબર-15 નજીક જતા પ્રાપ્ત માહિતી પ્રમાણેની નંબરવાળી ટાટા ટેન્કર રનીંગમાં હતી. જેથી ચાલુ ગાડીએ પોલીસે હાથનો ઇશારો કરી ટેંન્કરને રોકાવી સાઇડમાં કરાવી અને ટેન્કરના કેબીનમાં જોતા ડ્રાઇવર બેઠો હતો. જેની પાસે ગાડી બંધ કરાવી ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વિરેન્દ્રકુમાર રામ સ્વરૂપ કાનારામ જાટ હોવાનું જણાવ્યું હતું. જે રાજસ્થાનના સીકર જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વંડર સીમેન્ટ વાહન ટાટા કંપનીની ટેન્કરમાં પોલીસે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ટેન્કરમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની મોટી 9864 નંગ બોટલો ભરેલા બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપીયા 49,32,000 જેટલી થાય છે. પોલીસે ડ્રાઈવર વિરેન્દ્રકુમારની તલાસી લેતા તેની પાસેથી રોકડા 1000 રૂપીયા તથા એક 5 હજાર રૂપીયાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, મોબાઈલ તથા 10 લાખ રૂપીયાની ટાટા ટેન્કર મળી કુલ રૂપીયા 59.38 હજાર રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની વધુ પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના મેવાડ જિલ્લાના તાવડુનો રહેવાસી સામીરખાન આબીદખાને મોકલ્યો છે. જેને લઈ ખેડા LCB પોલીસે બન્ને ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેન્કરના ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર સમીરખાનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.