31st પહેલા Vadodaraથી દારૂની મહેફિલ ઝડપાઈ, પાર્ટી કરતા આટલા લોકોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યા. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 11:44:02

ગુજરાતમાં દારૂબંધી છે... આ વાક્ય વાંચ્યા બાદ તમારા રિએક્શન હશે કે દારૂબંધી ગુજરાતમાં છે? માત્ર કાગળ પર જ છે તેવો તમે જવાબ પણ આપશો. વાત સાચી પણ છે. ખુલ્લેઆમ દારૂબંધી કાયદાના ધજાગરા ઉડે છે. ગાંધીનગર ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપી છે પરંતુ તે નિયમો સાથે.. અલગ અલગ નિયમો જાહેર કરાયા છે આ અંગે. ત્યારે 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે. 

    વડોદરામાં અન્ય એક કિસ્સામાં પોલીસ સાથે ઝઘડો કરીને લાફો ઝીંકી દીધો હતો. પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, બાપોદ જકાતનાકા જોગણી માતાના મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં પ્રકાશભાઇ દારૂ પીને હેરાન કરે છે. પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી પોલીસે નશાની હાલતમાં પ્રકાશ વિનોદભાઇને ઝડપી લીધો હતો. પ્રકાશને પકડીને પોલીસ વાનમાં બેસવા માટે કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસ સાથે ઝઘડો કરીને કહેવા લાગ્યો હતો કે, હું ગાડીમાં નહીં બેસુ, તમારાથી થાય તે કરી લો.

વડોદરામાં પોલીસે ઝડપી પાડી દારૂની મહેફિલ!  

31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પણ એક્ટિવ દેખાઈ રહી છે. બોર્ડર પર ચેકિંગ કરે છે, અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવે છે અને દારૂનો મુદ્દામાલ તેમજ દારૂ પીનારા લોકોને ઝડપી પાડવામાં આવે છે. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં સરકારે દારૂ અંગે છૂટ આપી છે. સરકાર ભલે ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે પરંતુ અનેક એવી જગ્યાઓ છે જ્યાં દારૂ આરામથી, ખુલ્લેઆમ વેચાતો હોય છે. દેશી દારૂની પોટલીઓ મળી આવે છે અને પોલીસ મુકપ્રેક્ષક બની જોતી રહી જાય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે વડોદરાથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસે દારૂની મહેફિલ કરતા લોકોને ઝડપી પાડ્યા છે.  

 આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, 31 ડિસેમ્બર પહેલા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પાદરા પોલીસે સાધી ગામ નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારૂની બોટલ અને બિયરના ટીન પણ જપ્ત કર્યા હતા.

13 લોકોને પોલીસે ઝડપી પાડ્યા નશાની હાલતમાં!

મળતી માહિતી અનુસાર વડોદરાના પાદરામાંથી ગુરૂવારે મોડી રાતે દારૂની મહેફિલ પકડી પાડવામાં આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મેહફીલ માણતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મહેફિલમાં 13 દારૂડિયાઓને પોલીસે નશાની હાલતમાં દબોચ્યા હતા. મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદા અનેક વખત ધજાગરા ઉડતા દેખાયા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.