GIFT Cityમાં મળેલી દારૂ છૂટને લઈ બહાર પડાઈ ગઈડલાઈન્સ, Devanshi Joshiએ સમજાવ્યા દારૂબંધી કાયદાના ફાયદા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-27 11:16:42

જે દિવસથી ગિફ્ટ સીટીમાં દારૂને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારથી લોકોમાં આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એવું લાગતું હતું લોકોને કે સામાન્ય માણસ ત્યાં જઈને દારૂ પી શકે છે. પરંતુ આ અંગેની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે બાદ ચોક્કસ લોકોને જ દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આને લઈ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે હેતુથી સરકાર દ્વારા આ નિર્ણય લાવવામાં આવ્યો તે સફળ થતો દેખાઈ રહ્યો છે. મેમ્બરશીપ લેવા માટે લોકો આવી રહ્યા છે. આ નિર્ણયને લઈ જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે એક વાત પણ સામે આવી કે સુરક્ષા વ્યવસ્થા પર આની સીધી અસર થશે. વાત સાચી પણ છે. 

કાયદો હોવા છતાંય લોકો દારૂ પીતા પકડાય છે...

ગુજરાતમાં દારૂબંધી છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે અને અનેક વખત અમે પણ કહેતા હોઈએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો જ છે. માત્ર કહેવા માટે જ આ કાયદાનું પાલન થઈ રહ્યું છે. વાત સાચી પણ છે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં આ કાયદાના ધજાગરા ઉડતા નજરે પડે છે. પ્રતિદિન આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પકડાય છે અથવા તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. ત્યારે પ્રશ્ન છે થાય કે દારૂબંધી હોવા છતાંય લોકો આટલું દારૂ પીવે છે તો જો દારૂબંધીનો કાયદો ન હોય તો શું થાય?


દારૂ પીને બહાર નીકળતા પહેલા લોકોમાં ડર રહેતો હોય છે 

આપણા રાજ્યને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાયસ્ટેટ એટલે કે જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ હોય. અનેક વખત આ દારૂના કાયદાના ધજાગરા ઉડતા દેખાયા છે પરંતુ એક પ્રશ્ન થાય કે જો આ કાયદો ન હોત તો શું થાય? આજે પણ જ્યારે દારૂ પીને લોકો બહાર જાય છે તો તેમના મનમાં એક ડર હોય છે કે તે પકડાઈ તો નહીં જાયને? જો તેમના વિરૂદ્ધ કોઈ કેસ થઈ જશે તો તેમના આબરૂ પર તેની અસર થશે તે વાતનો ડર રહેતો હોય છે. દારૂ પીને ડ્રાઈવ કરતા પણ ડરે છે કારણ કે તેમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ભલે કાયદાનું પાલન કડકપણે નથી થતું પરંતુ કાયદો તો છે જ...


જો દારૂબંધીનો કાયદો ન હોત તો... 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કાયદો એટલા માટે જ બને છે કે તેને તોડી શકાય. તોડવા માટે કાયદો બનતો હોય છે તેવું આપણા માનસ પર અંકિત થયેલું છે. દારૂબંધીના કાયદાનું પણ આવું છે અનેક લોકો કાયદો તોડે છે પરંતુ કાયદો તો છે જ. એક વખત બચી ગયા તો બીજી વખત પણ બચી જ જશે તેવું નથી હોતું. દારૂ ભલે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને પીવે છે પરંતુ તેના મનમાં ડર હોય છે પકડાઈ જવાનો. જો આ કાયદો નહીં હોય તો દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવવા વાળા બેફામ બનશે. 


દારૂની છૂટ માત્ર ગિફ્ટ પૂરતી સીમિત રહેશે કે... 

આ શક્ય બન્યું છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. દારૂ પીને ગાડી ચલાવતા પહેલા તે વિચારે છે જો પકડાઈ જઈશું તો. આપણે માનીએ કે ના માનીએ પરંતુ આ કાયદાને કારણે ગુજરાતનું હીત જળવાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા જે નિર્ણય ગાંધીનગર માટે લેવામાં આવ્યો છે તે ગિફ્ટ સીટી પોરતું સીમિત છે કે પછી અલગ અલગ જગ્યાઓ પર આ છૂટ આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.