GIFT Cityમાં મળેલી દારૂ છૂટને લઈ બહાર પડાઈ ગઈડલાઈન્સ, Devanshi Joshiએ સમજાવ્યા દારૂબંધી કાયદાના ફાયદા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-27 11:16:42

જે દિવસથી ગિફ્ટ સીટીમાં દારૂને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારથી લોકોમાં આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એવું લાગતું હતું લોકોને કે સામાન્ય માણસ ત્યાં જઈને દારૂ પી શકે છે. પરંતુ આ અંગેની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે બાદ ચોક્કસ લોકોને જ દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આને લઈ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે હેતુથી સરકાર દ્વારા આ નિર્ણય લાવવામાં આવ્યો તે સફળ થતો દેખાઈ રહ્યો છે. મેમ્બરશીપ લેવા માટે લોકો આવી રહ્યા છે. આ નિર્ણયને લઈ જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે એક વાત પણ સામે આવી કે સુરક્ષા વ્યવસ્થા પર આની સીધી અસર થશે. વાત સાચી પણ છે. 

કાયદો હોવા છતાંય લોકો દારૂ પીતા પકડાય છે...

ગુજરાતમાં દારૂબંધી છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે અને અનેક વખત અમે પણ કહેતા હોઈએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો જ છે. માત્ર કહેવા માટે જ આ કાયદાનું પાલન થઈ રહ્યું છે. વાત સાચી પણ છે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં આ કાયદાના ધજાગરા ઉડતા નજરે પડે છે. પ્રતિદિન આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પકડાય છે અથવા તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. ત્યારે પ્રશ્ન છે થાય કે દારૂબંધી હોવા છતાંય લોકો આટલું દારૂ પીવે છે તો જો દારૂબંધીનો કાયદો ન હોય તો શું થાય?


દારૂ પીને બહાર નીકળતા પહેલા લોકોમાં ડર રહેતો હોય છે 

આપણા રાજ્યને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાયસ્ટેટ એટલે કે જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ હોય. અનેક વખત આ દારૂના કાયદાના ધજાગરા ઉડતા દેખાયા છે પરંતુ એક પ્રશ્ન થાય કે જો આ કાયદો ન હોત તો શું થાય? આજે પણ જ્યારે દારૂ પીને લોકો બહાર જાય છે તો તેમના મનમાં એક ડર હોય છે કે તે પકડાઈ તો નહીં જાયને? જો તેમના વિરૂદ્ધ કોઈ કેસ થઈ જશે તો તેમના આબરૂ પર તેની અસર થશે તે વાતનો ડર રહેતો હોય છે. દારૂ પીને ડ્રાઈવ કરતા પણ ડરે છે કારણ કે તેમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ભલે કાયદાનું પાલન કડકપણે નથી થતું પરંતુ કાયદો તો છે જ...


જો દારૂબંધીનો કાયદો ન હોત તો... 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કાયદો એટલા માટે જ બને છે કે તેને તોડી શકાય. તોડવા માટે કાયદો બનતો હોય છે તેવું આપણા માનસ પર અંકિત થયેલું છે. દારૂબંધીના કાયદાનું પણ આવું છે અનેક લોકો કાયદો તોડે છે પરંતુ કાયદો તો છે જ. એક વખત બચી ગયા તો બીજી વખત પણ બચી જ જશે તેવું નથી હોતું. દારૂ ભલે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને પીવે છે પરંતુ તેના મનમાં ડર હોય છે પકડાઈ જવાનો. જો આ કાયદો નહીં હોય તો દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવવા વાળા બેફામ બનશે. 


દારૂની છૂટ માત્ર ગિફ્ટ પૂરતી સીમિત રહેશે કે... 

આ શક્ય બન્યું છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. દારૂ પીને ગાડી ચલાવતા પહેલા તે વિચારે છે જો પકડાઈ જઈશું તો. આપણે માનીએ કે ના માનીએ પરંતુ આ કાયદાને કારણે ગુજરાતનું હીત જળવાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા જે નિર્ણય ગાંધીનગર માટે લેવામાં આવ્યો છે તે ગિફ્ટ સીટી પોરતું સીમિત છે કે પછી અલગ અલગ જગ્યાઓ પર આ છૂટ આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર છે.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.