GIFT Cityમાં મળેલી દારૂ છૂટને લઈ બહાર પડાઈ ગઈડલાઈન્સ, Devanshi Joshiએ સમજાવ્યા દારૂબંધી કાયદાના ફાયદા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-27 11:16:42

જે દિવસથી ગિફ્ટ સીટીમાં દારૂને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારથી લોકોમાં આને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એવું લાગતું હતું લોકોને કે સામાન્ય માણસ ત્યાં જઈને દારૂ પી શકે છે. પરંતુ આ અંગેની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. જે બાદ ચોક્કસ લોકોને જ દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આને લઈ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે હેતુથી સરકાર દ્વારા આ નિર્ણય લાવવામાં આવ્યો તે સફળ થતો દેખાઈ રહ્યો છે. મેમ્બરશીપ લેવા માટે લોકો આવી રહ્યા છે. આ નિર્ણયને લઈ જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે એક વાત પણ સામે આવી કે સુરક્ષા વ્યવસ્થા પર આની સીધી અસર થશે. વાત સાચી પણ છે. 

કાયદો હોવા છતાંય લોકો દારૂ પીતા પકડાય છે...

ગુજરાતમાં દારૂબંધી છે. અનેક લોકોને કહેતા સાંભળ્યા હશે અને અનેક વખત અમે પણ કહેતા હોઈએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો જ છે. માત્ર કહેવા માટે જ આ કાયદાનું પાલન થઈ રહ્યું છે. વાત સાચી પણ છે અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં આ કાયદાના ધજાગરા ઉડતા નજરે પડે છે. પ્રતિદિન આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પકડાય છે અથવા તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. ત્યારે પ્રશ્ન છે થાય કે દારૂબંધી હોવા છતાંય લોકો આટલું દારૂ પીવે છે તો જો દારૂબંધીનો કાયદો ન હોય તો શું થાય?


દારૂ પીને બહાર નીકળતા પહેલા લોકોમાં ડર રહેતો હોય છે 

આપણા રાજ્યને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાયસ્ટેટ એટલે કે જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ હોય. અનેક વખત આ દારૂના કાયદાના ધજાગરા ઉડતા દેખાયા છે પરંતુ એક પ્રશ્ન થાય કે જો આ કાયદો ન હોત તો શું થાય? આજે પણ જ્યારે દારૂ પીને લોકો બહાર જાય છે તો તેમના મનમાં એક ડર હોય છે કે તે પકડાઈ તો નહીં જાયને? જો તેમના વિરૂદ્ધ કોઈ કેસ થઈ જશે તો તેમના આબરૂ પર તેની અસર થશે તે વાતનો ડર રહેતો હોય છે. દારૂ પીને ડ્રાઈવ કરતા પણ ડરે છે કારણ કે તેમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ભલે કાયદાનું પાલન કડકપણે નથી થતું પરંતુ કાયદો તો છે જ...


જો દારૂબંધીનો કાયદો ન હોત તો... 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કાયદો એટલા માટે જ બને છે કે તેને તોડી શકાય. તોડવા માટે કાયદો બનતો હોય છે તેવું આપણા માનસ પર અંકિત થયેલું છે. દારૂબંધીના કાયદાનું પણ આવું છે અનેક લોકો કાયદો તોડે છે પરંતુ કાયદો તો છે જ. એક વખત બચી ગયા તો બીજી વખત પણ બચી જ જશે તેવું નથી હોતું. દારૂ ભલે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને પીવે છે પરંતુ તેના મનમાં ડર હોય છે પકડાઈ જવાનો. જો આ કાયદો નહીં હોય તો દારૂ પીને બેફામ રીતે ગાડી ચલાવવા વાળા બેફામ બનશે. 


દારૂની છૂટ માત્ર ગિફ્ટ પૂરતી સીમિત રહેશે કે... 

આ શક્ય બન્યું છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. દારૂ પીને ગાડી ચલાવતા પહેલા તે વિચારે છે જો પકડાઈ જઈશું તો. આપણે માનીએ કે ના માનીએ પરંતુ આ કાયદાને કારણે ગુજરાતનું હીત જળવાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર દ્વારા જે નિર્ણય ગાંધીનગર માટે લેવામાં આવ્યો છે તે ગિફ્ટ સીટી પોરતું સીમિત છે કે પછી અલગ અલગ જગ્યાઓ પર આ છૂટ આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર છે.     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.