અમદાવાદના હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી દારૂનો જથ્થો જપ્ત, BJP નેતા અક્ષય વેગડની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-02-16 22:03:06

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડતા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. બુટલેગરો દારૂની તસ્કરી અને દારૂનો જથ્થો છુપાવવા માટે નીતનવા તિકડમ કરતા રહે છે. જેમ કે અમદાવાદ પોલીસે શહેરના હાટકેશ્વરમાં આવેલા સ્મશાન ગૃહમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે 2.62 લાખનો વિદેશી દારૂ અને 11,000નો બિયર કબજે કરી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી છે, આ અક્ષય વેગડ પણ ભાજપનો સ્થાનિક નેતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ CNG ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

 


કઈ રીતે થયો પર્દાફાસ


હાટકેશ્વર સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અક્ષય વેગડ દારૂના ધંધામાં સામેલ હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખોખરા પોલીસે હાટકેશ્વર સ્મશાન ગૃહમાં રેડ પાડી હતી. પોલીસને સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.


અક્ષય વેગડ  અને તેનો ભાઈ દારૂનું વેચાણ કરતા


મળતી માહિતી મુજબ, ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, હાટકેશ્વર સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાં કેટલોક દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. ઉલ્લેખનિય છે કે આ ઘટના સામે આવ્યા બાદ આરોપી અક્ષય વેગડનો ભાજપના હોદ્દેદારો જેવા કે ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પરમારથી લઈ શહેર ભાજપના અનેક હોદ્દેદારો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.