સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો, ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:06:32

શું બીજું ગિફ્ટ સિટી સૌરાષ્ટ્રમાં બનાવવું પડશે? આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કારણ કે, સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયા છે. ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકીંગ કરતા ભાંડો ફુટ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયનનું નામ દેશભરમાં આદરથી લેવાય છે પણ આ નામને કલંક લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ક્રિકેટરો ઝડપાયા


સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે નાયડું ટ્રોફીની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે  ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. જો કે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જે પણ ક્રિકટરોની કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું છે તેમાંથી મોટા કેટલાક ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સીધો ઘરોબો ધરાવે છે. 


દારૂની 27 બોટલ મળી


આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પણ આ વાત ઉપર કથિત રીતે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. ટીમના પાંચ ખેલાડીની ક્રિકેટ કિટમાંથી 27 બોટલ દારૂ અને 2 પેટી બિયર ટીન મળ્યા હોવાની વાત છે. આ વાતને લઈ હવે જીતની ખુશી વિવાદમાં બદલાઈ ગઈ છે.


આ ક્રિકેટરોના નામ આવ્યા


જો સૂત્રોનું માનીયે તો જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી.  


સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.નું મૌન


એવી ચર્ચા છે કે રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયર પાસેથી દારૂ અને બિયર મંગાવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે. ત્યારે રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે જુનિયર ખેલાડીઓ દારૂ લઈને આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહૈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.