સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો, ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:06:32

શું બીજું ગિફ્ટ સિટી સૌરાષ્ટ્રમાં બનાવવું પડશે? આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કારણ કે, સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયા છે. ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકીંગ કરતા ભાંડો ફુટ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયનનું નામ દેશભરમાં આદરથી લેવાય છે પણ આ નામને કલંક લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ક્રિકેટરો ઝડપાયા


સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે નાયડું ટ્રોફીની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે  ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. જો કે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જે પણ ક્રિકટરોની કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું છે તેમાંથી મોટા કેટલાક ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સીધો ઘરોબો ધરાવે છે. 


દારૂની 27 બોટલ મળી


આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પણ આ વાત ઉપર કથિત રીતે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. ટીમના પાંચ ખેલાડીની ક્રિકેટ કિટમાંથી 27 બોટલ દારૂ અને 2 પેટી બિયર ટીન મળ્યા હોવાની વાત છે. આ વાતને લઈ હવે જીતની ખુશી વિવાદમાં બદલાઈ ગઈ છે.


આ ક્રિકેટરોના નામ આવ્યા


જો સૂત્રોનું માનીયે તો જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી.  


સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.નું મૌન


એવી ચર્ચા છે કે રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયર પાસેથી દારૂ અને બિયર મંગાવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે. ત્યારે રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે જુનિયર ખેલાડીઓ દારૂ લઈને આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહૈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.