સૌરાષ્ટ્રના આ 5 ક્રિકેટરની કીટમાંથી દારુ ઝડપાયો, ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતા થયો પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:06:32

શું બીજું ગિફ્ટ સિટી સૌરાષ્ટ્રમાં બનાવવું પડશે? આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કારણ કે, સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયા છે. ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકીંગ કરતા ભાંડો ફુટ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયનનું નામ દેશભરમાં આદરથી લેવાય છે પણ આ નામને કલંક લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ 5 ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. સમગ્ર મામલે ઝીંણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ક્રિકેટરો ઝડપાયા


સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે નાયડું ટ્રોફીની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ પરત ફરતા હતા ત્યારે  ક્રિકેટરોના કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું. સૌરાષ્ટ્રના અંડર 23 ટીમના ખેલાડીઓ સી કે નાયડુ ટ્રોફી રમવા ચંદીગઢ ગયા હતા જે બાદ સિનિયરે જુનિયર ક્રિકેટર જોડે દારૂ-બિયર મંગાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે. જો કે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જે પણ ક્રિકટરોની કીટમાંથી દારૂ અને બિયર ઝડપાયું છે તેમાંથી મોટા કેટલાક ક્રિકેટરો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સીધો ઘરોબો ધરાવે છે. 


દારૂની 27 બોટલ મળી


આ મામલે એસસીએને જાણ કરતાં એસસીએ પણ આ વાત ઉપર કથિત રીતે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. ટીમના પાંચ ખેલાડીની ક્રિકેટ કિટમાંથી 27 બોટલ દારૂ અને 2 પેટી બિયર ટીન મળ્યા હોવાની વાત છે. આ વાતને લઈ હવે જીતની ખુશી વિવાદમાં બદલાઈ ગઈ છે.


આ ક્રિકેટરોના નામ આવ્યા


જો સૂત્રોનું માનીયે તો જે પાંચ ક્રિકેટરોના કીટમાંથી દારૂ ઝડપાયો છે તેમના નામ પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મેહતા, પાર્શ્વરાજ રાણા, સ્મિતરાજ ઝાલા છે. જેમાંથી પ્રશમ રાજદેવ અને સ્મિતરાજ ઝાલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશનના હોદેદારો અને સ્ટાફ જોડે સબંધ ધરાવે છે. જો કે આ બાબતે કોઈ આધિકારીત માહિતી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવી નથી.  


સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.નું મૌન


એવી ચર્ચા છે કે રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયર પાસેથી દારૂ અને બિયર મંગાવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોશીએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે. ત્યારે રણજી ટીમના સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે જુનિયર ખેલાડીઓ દારૂ લઈને આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહૈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે