Bhopalના પ્રવાસે PM Modi, પોતાના સંબોધનમાં તેમણે કૉંગ્રેસ વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:01:34

પીએમ મોદી હાલ ભોપાલના પ્રવાસે છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને પીએમ મોદી સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓ પર વિપક્ષને ઘેરી હતી. કોંગ્રેસની સરખામણી તેમણે નકસલવાદીઓ સાથે કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, પછી નાદાર થઈ અને હવે તેણે શહેરી નક્સલવાદીઓને પાર્ટી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોંગ્રેસમાં હવે માત્ર શહેરી નક્સલીઓ જ ચાલે છે.

  

ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે - પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આજે પીએમ મોદી છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તો નિશાન સાધ્યું હતું પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની જનતા માટે પણ તેમણે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણું બધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને ભાજપના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.


પીએમ મોદીએ મધ્યપ્રદેશને દેશનું દિલ કહ્યું  

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથેનું જોડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશા ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસ યાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. 


કોંગ્રેસ મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે - પીએમ મોદી 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતમાં વિકાસના કાર્યોને પચાવી શકતી નથી... તેઓ નથી ઈચ્છતા કે દેશનો વિકાસ થાય... તેઓને દેશની સિદ્ધિઓ પર ક્યારેય ગર્વ નથી કારણ કે ન તો તેઓ બદલાવા ઈચ્છે છે અને ન તો દેશ બદલાય કે વિકાસ ઈચ્છે છે... કોંગ્રેસ જો તક મળશે તો મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લક્ષી પણ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આવનારા વર્ષો ખૂબ જ નિર્ણાયક છે... જો આ નિર્ણાયક સમયમાં કોંગ્રેસ, એક રાજવંશી પાર્ટી, ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટીને (સત્તામાં આવવાની) તક મળે છે, તો આ રાજ્ય માટે ઘણું મોટું નુકસાન હશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.