Bhopalના પ્રવાસે PM Modi, પોતાના સંબોધનમાં તેમણે કૉંગ્રેસ વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:01:34

પીએમ મોદી હાલ ભોપાલના પ્રવાસે છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને પીએમ મોદી સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓ પર વિપક્ષને ઘેરી હતી. કોંગ્રેસની સરખામણી તેમણે નકસલવાદીઓ સાથે કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, પછી નાદાર થઈ અને હવે તેણે શહેરી નક્સલવાદીઓને પાર્ટી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોંગ્રેસમાં હવે માત્ર શહેરી નક્સલીઓ જ ચાલે છે.

  

ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે - પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આજે પીએમ મોદી છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તો નિશાન સાધ્યું હતું પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની જનતા માટે પણ તેમણે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણું બધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને ભાજપના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.


પીએમ મોદીએ મધ્યપ્રદેશને દેશનું દિલ કહ્યું  

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથેનું જોડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશા ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસ યાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. 


કોંગ્રેસ મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે - પીએમ મોદી 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતમાં વિકાસના કાર્યોને પચાવી શકતી નથી... તેઓ નથી ઈચ્છતા કે દેશનો વિકાસ થાય... તેઓને દેશની સિદ્ધિઓ પર ક્યારેય ગર્વ નથી કારણ કે ન તો તેઓ બદલાવા ઈચ્છે છે અને ન તો દેશ બદલાય કે વિકાસ ઈચ્છે છે... કોંગ્રેસ જો તક મળશે તો મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લક્ષી પણ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આવનારા વર્ષો ખૂબ જ નિર્ણાયક છે... જો આ નિર્ણાયક સમયમાં કોંગ્રેસ, એક રાજવંશી પાર્ટી, ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટીને (સત્તામાં આવવાની) તક મળે છે, તો આ રાજ્ય માટે ઘણું મોટું નુકસાન હશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .