Bhopalના પ્રવાસે PM Modi, પોતાના સંબોધનમાં તેમણે કૉંગ્રેસ વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:01:34

પીએમ મોદી હાલ ભોપાલના પ્રવાસે છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને પીએમ મોદી સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓ પર વિપક્ષને ઘેરી હતી. કોંગ્રેસની સરખામણી તેમણે નકસલવાદીઓ સાથે કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, પછી નાદાર થઈ અને હવે તેણે શહેરી નક્સલવાદીઓને પાર્ટી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોંગ્રેસમાં હવે માત્ર શહેરી નક્સલીઓ જ ચાલે છે.

  

ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે - પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આજે પીએમ મોદી છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તો નિશાન સાધ્યું હતું પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની જનતા માટે પણ તેમણે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણું બધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને ભાજપના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.


પીએમ મોદીએ મધ્યપ્રદેશને દેશનું દિલ કહ્યું  

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથેનું જોડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશા ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસ યાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. 


કોંગ્રેસ મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે - પીએમ મોદી 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતમાં વિકાસના કાર્યોને પચાવી શકતી નથી... તેઓ નથી ઈચ્છતા કે દેશનો વિકાસ થાય... તેઓને દેશની સિદ્ધિઓ પર ક્યારેય ગર્વ નથી કારણ કે ન તો તેઓ બદલાવા ઈચ્છે છે અને ન તો દેશ બદલાય કે વિકાસ ઈચ્છે છે... કોંગ્રેસ જો તક મળશે તો મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લક્ષી પણ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આવનારા વર્ષો ખૂબ જ નિર્ણાયક છે... જો આ નિર્ણાયક સમયમાં કોંગ્રેસ, એક રાજવંશી પાર્ટી, ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટીને (સત્તામાં આવવાની) તક મળે છે, તો આ રાજ્ય માટે ઘણું મોટું નુકસાન હશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.