Bhopalના પ્રવાસે PM Modi, પોતાના સંબોધનમાં તેમણે કૉંગ્રેસ વિશે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:01:34

પીએમ મોદી હાલ ભોપાલના પ્રવાસે છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભને પીએમ મોદી સંબોધી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓ પર વિપક્ષને ઘેરી હતી. કોંગ્રેસની સરખામણી તેમણે નકસલવાદીઓ સાથે કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, પછી નાદાર થઈ અને હવે તેણે શહેરી નક્સલવાદીઓને પાર્ટી ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોંગ્રેસમાં હવે માત્ર શહેરી નક્સલીઓ જ ચાલે છે.

  

ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે - પીએમ મોદી 

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આજે પીએમ મોદી છે. ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તો નિશાન સાધ્યું હતું પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની જનતા માટે પણ તેમણે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભીડ, ઉમંગ, ઉત્સાહ, મહાકુંભ, મહાન સંકલ્પ વિશે ઘણું બધું કહે છે. આ બતાવે છે કે મધ્યપ્રદેશના મનમાં શું છે? આ દર્શાવે છે કે ભાજપ નવી ઉર્જાથી ભરપૂર છે. આ ભાજપ અને ભાજપના દરેક કાર્યકર્તાનું બુલંદ મનોબળ દર્શાવે છે.


પીએમ મોદીએ મધ્યપ્રદેશને દેશનું દિલ કહ્યું  

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથેનું જોડાણ કંઈક ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી એમપીની જનતાએ હંમેશા ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. મધ્યપ્રદેશ માત્ર ભાજપના વિચારોનું જ નહીં પરંતુ તેના વિકાસના વિઝનનું પણ મહત્વનું કેન્દ્ર છે. આજે જ્યારે દેશ અમૃતકાળની નવી વિકાસ યાત્રા પર નીકળ્યો છે ત્યારે મધ્યપ્રદેશની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. 


કોંગ્રેસ મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે - પીએમ મોદી 

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતમાં વિકાસના કાર્યોને પચાવી શકતી નથી... તેઓ નથી ઈચ્છતા કે દેશનો વિકાસ થાય... તેઓને દેશની સિદ્ધિઓ પર ક્યારેય ગર્વ નથી કારણ કે ન તો તેઓ બદલાવા ઈચ્છે છે અને ન તો દેશ બદલાય કે વિકાસ ઈચ્છે છે... કોંગ્રેસ જો તક મળશે તો મધ્યપ્રદેશને 'બિમારુ રાજ્ય' બનાવશે. આવનાર સમયમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લક્ષી પણ તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આવનારા વર્ષો ખૂબ જ નિર્ણાયક છે... જો આ નિર્ણાયક સમયમાં કોંગ્રેસ, એક રાજવંશી પાર્ટી, ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટીને (સત્તામાં આવવાની) તક મળે છે, તો આ રાજ્ય માટે ઘણું મોટું નુકસાન હશે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?