સાહિત્યપ્રેમીઓને મળશે મોટી ભેટ, કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનો થશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-20 17:14:36

અમદાવાદના ખાનપુર ખાતે સ્થિત ભવન્સ કેમ્પસમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર કાંતિ ભટ્ટનું સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ 21 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પુસ્તકાલયમાં કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો અને 16000થી વધારે લેખો એક સ્થળ પર વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા આ સ્મારક બનાવામાં આવ્યું છે. આ સ્મારકનું લોકાર્પણ મધુ રાયના હસ્તે થવાનું છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

પુસ્તકાલય તેમજ સ્મારક ભવનનું થશે લોકાર્પણ

ગુજરાતી સાહિત્યની કૃતિઓ એક સ્થળે મળી રહે તે માટે  અનેક પુસ્તકાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર કાંતિ ભટ્ટની કૃતિઓ તેમજ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય એક સ્થળ પર મળી રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભવન્સ કેમ્પસમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો તેમજ લેખો એક સ્થળ પર વાંચવા મળી રહેશે. એમ પણ કાંતિ ભટ્ટને વાંચવાનો એક લ્હાવો છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

એક સ્થળ પર વાંચવા મળશે કાંતિ ભટ્ટનું સાહિત્ય 

1931માં ભાવનગર ખાતે કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમના આર્ટિકલ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેમના આર્ટિકલે સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમ પર શાસન કર્યું હતું, એવું માનવામાં આવતું હતું કે તેઓ ડર્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હતા. પોતાના લેખમાં વાંચકોને વિષયને લઈ ડિટેલ માહિતી આપતા અને એવું કહેવાતું હતું કે કોઈ પણ એવો વિષય નહીં હોય જેની જાણકારી કાંતિ ભટ્ટને ન હોય. ત્યારે અમદાવાદમાં તેમની યાદમાં સ્મારક ભવન તેમજ પુસ્તકાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જ્યાં એક સ્થળ પર જ તેમની 1600 પુસ્તકો રાખવામાં આવશે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.