સાહિત્યપ્રેમીઓને મળશે મોટી ભેટ, કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનો થશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2023-02-20 17:14:36

અમદાવાદના ખાનપુર ખાતે સ્થિત ભવન્સ કેમ્પસમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર કાંતિ ભટ્ટનું સ્મારક ભવન અને વાંચનાલયનું લોકાર્પણ 21 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. પુસ્તકાલયમાં કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો અને 16000થી વધારે લેખો એક સ્થળ પર વાંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટ દ્વારા આ સ્મારક બનાવામાં આવ્યું છે. આ સ્મારકનું લોકાર્પણ મધુ રાયના હસ્તે થવાનું છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

પુસ્તકાલય તેમજ સ્મારક ભવનનું થશે લોકાર્પણ

ગુજરાતી સાહિત્યની કૃતિઓ એક સ્થળે મળી રહે તે માટે  અનેક પુસ્તકાલયોનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર કાંતિ ભટ્ટની કૃતિઓ તેમજ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય એક સ્થળ પર મળી રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભવન્સ કેમ્પસમાં કાંતિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. કાંતિ ભટ્ટના 1600 પુસ્તકો તેમજ લેખો એક સ્થળ પર વાંચવા મળી રહેશે. એમ પણ કાંતિ ભટ્ટને વાંચવાનો એક લ્હાવો છે. 

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

kanti bhatt, KANTI BHATT MEMORIAL, KANTI BHATT MEMORIAL  news

એક સ્થળ પર વાંચવા મળશે કાંતિ ભટ્ટનું સાહિત્ય 

1931માં ભાવનગર ખાતે કાંતિ ભટ્ટનો જન્મ થયો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ તેમના આર્ટિકલ દેશભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેમના આર્ટિકલે સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે લાંબા સમય સુધી મેગેઝિન જર્નાલિઝમ પર શાસન કર્યું હતું, એવું માનવામાં આવતું હતું કે તેઓ ડર્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હતા. પોતાના લેખમાં વાંચકોને વિષયને લઈ ડિટેલ માહિતી આપતા અને એવું કહેવાતું હતું કે કોઈ પણ એવો વિષય નહીં હોય જેની જાણકારી કાંતિ ભટ્ટને ન હોય. ત્યારે અમદાવાદમાં તેમની યાદમાં સ્મારક ભવન તેમજ પુસ્તકાલયનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જ્યાં એક સ્થળ પર જ તેમની 1600 પુસ્તકો રાખવામાં આવશે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.