મિલકતની લાલચે પુત્રએ માતાને જીવતે જીવ મારી નાખી, જીવીત માતાનો મરણનો દાખલો મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-04-12 19:58:12

લોકો મિલકત પચાવી પાડવા માટે અનેક પ્રકારના ગોરખધંધા કરતા હોય છે. જો કે સગો પુત્ર મિલકતની લાલચે માતાને જીવતા જીવે મારી નાંખે ત્યારે કહેવું જ શું? મહીસાગરના બાલાસિનોરમાં જીવીત મહિલાનો મરણ દાખલો આપ્યાનું સામે આવ્યો છે. વિમળાબેન પરમાર હયાત હોવા છતાં ઓપરેટરે મરણનો દાખલો કાઢી આપતા ફરિયાદ નોંધાવી છે. વિમળા બેનના નાના પુત્રએ તેઓ જીવતા હોવા છતાં મિલકત માટે મારી નાખ્યાં હતાં.


સમગ્ર મામલો શું હતો?


બાલાસિનોરમાં માતાની મિલકત પડાવી લેવા પુત્રે માતાનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ તેની હયાત માતા વિમળાબેન પરમારના 21 ફેબ્રુઆરી 2023ના રોજ મરણ થયું હોવાનો દાખલો કઢાવી લીધો હતો. તેણે તલાટીના સહી સિક્કા વાળો દાખલો ઓપરેટર પાસેથી લીધો હતો. તલાટી અને TDOએ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ કૃત્યને લઈ પુત્ર પર ફિટકાર 


બાલાસિનોરમાં મિલકતની લાલચે પુત્રે માતાને જીવતા જીવે મારી નાંખી છે. કોમ્પ્યુટર આપરેટર જોડેથી જીવતી માતાનો મરણનો દાખલો કઢાવી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, સમગ્ર પંઠકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ નાલાયક પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..