મિલકતની લાલચે પુત્રએ માતાને જીવતે જીવ મારી નાખી, જીવીત માતાનો મરણનો દાખલો મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-04-12 19:58:12

લોકો મિલકત પચાવી પાડવા માટે અનેક પ્રકારના ગોરખધંધા કરતા હોય છે. જો કે સગો પુત્ર મિલકતની લાલચે માતાને જીવતા જીવે મારી નાંખે ત્યારે કહેવું જ શું? મહીસાગરના બાલાસિનોરમાં જીવીત મહિલાનો મરણ દાખલો આપ્યાનું સામે આવ્યો છે. વિમળાબેન પરમાર હયાત હોવા છતાં ઓપરેટરે મરણનો દાખલો કાઢી આપતા ફરિયાદ નોંધાવી છે. વિમળા બેનના નાના પુત્રએ તેઓ જીવતા હોવા છતાં મિલકત માટે મારી નાખ્યાં હતાં.


સમગ્ર મામલો શું હતો?


બાલાસિનોરમાં માતાની મિલકત પડાવી લેવા પુત્રે માતાનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ તેની હયાત માતા વિમળાબેન પરમારના 21 ફેબ્રુઆરી 2023ના રોજ મરણ થયું હોવાનો દાખલો કઢાવી લીધો હતો. તેણે તલાટીના સહી સિક્કા વાળો દાખલો ઓપરેટર પાસેથી લીધો હતો. તલાટી અને TDOએ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ કૃત્યને લઈ પુત્ર પર ફિટકાર 


બાલાસિનોરમાં મિલકતની લાલચે પુત્રે માતાને જીવતા જીવે મારી નાંખી છે. કોમ્પ્યુટર આપરેટર જોડેથી જીવતી માતાનો મરણનો દાખલો કઢાવી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, સમગ્ર પંઠકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ નાલાયક પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.