મિલકતની લાલચે પુત્રએ માતાને જીવતે જીવ મારી નાખી, જીવીત માતાનો મરણનો દાખલો મેળવ્યો


  • Published By :
  • Published Date : 2023-04-12 19:58:12

લોકો મિલકત પચાવી પાડવા માટે અનેક પ્રકારના ગોરખધંધા કરતા હોય છે. જો કે સગો પુત્ર મિલકતની લાલચે માતાને જીવતા જીવે મારી નાંખે ત્યારે કહેવું જ શું? મહીસાગરના બાલાસિનોરમાં જીવીત મહિલાનો મરણ દાખલો આપ્યાનું સામે આવ્યો છે. વિમળાબેન પરમાર હયાત હોવા છતાં ઓપરેટરે મરણનો દાખલો કાઢી આપતા ફરિયાદ નોંધાવી છે. વિમળા બેનના નાના પુત્રએ તેઓ જીવતા હોવા છતાં મિલકત માટે મારી નાખ્યાં હતાં.


સમગ્ર મામલો શું હતો?


બાલાસિનોરમાં માતાની મિલકત પડાવી લેવા પુત્રે માતાનો મરણનો દાખલો કઢાવ્યો હતો. પુત્રએ તેની હયાત માતા વિમળાબેન પરમારના 21 ફેબ્રુઆરી 2023ના રોજ મરણ થયું હોવાનો દાખલો કઢાવી લીધો હતો. તેણે તલાટીના સહી સિક્કા વાળો દાખલો ઓપરેટર પાસેથી લીધો હતો. તલાટી અને TDOએ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ કૃત્યને લઈ પુત્ર પર ફિટકાર 


બાલાસિનોરમાં મિલકતની લાલચે પુત્રે માતાને જીવતા જીવે મારી નાંખી છે. કોમ્પ્યુટર આપરેટર જોડેથી જીવતી માતાનો મરણનો દાખલો કઢાવી લેતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે, સમગ્ર પંઠકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ નાલાયક પુત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.