સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન, 1677 બેઠક પર મતદાન થયુ, ઐતિહાસિક પરિણામ આવ્યુ. જાણો તમામ બેઠકોનુ પરિણામ


  • Published By :
  • Published Date : 2025-02-19 12:40:43

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થતા તારીખ 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યભરમાં મતદાનનો માહોલ હતો. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં, 66 નગરપાલિકામાં સામાન્ય અને 2 નગરપાલિકામાં મધ્યવર્તી એમ કુલ 68 નગરપાલિકામાં ચૂંટણી માટે મતદાન થયુ હતુ. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને મોટા ભાગની બેઠકો પરથી કોંગ્રેસનાં કાસળ નીકળી ગયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક  પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે. 


68 નગરપાલિકાઓનાં ચૂંટણીનાં પરિણામ:


જિલ્લો: અમદાવાદ

બાવળા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 પર ભાજપ અને 13 પર કોંગ્રેસ અને 1 પર બસપા

સાણંદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપ અને 3 પર કોંગ્રેસ

ધંધૂકા  નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 20 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 1 પર અન્ય


જિલ્લો: મહેસાણા

વડનગરમાં  કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ

ખેરાલુમાં  કુલ 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 7 પર કોંગ્રેસ અને 4 પર અન્ય


જિલ્લો: રાજકોટ

જેતપુર-નવાગઢમાં કુલ 44 બેઠકમાંથી 32 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય

ધોરાજીમાં કુલ 36 બેઠકમાંથી 24 પર ભાજપ, 12 પર કોંગ્રેસ

ભાયાવદરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 9 પર કોંગ્રેસ

ઉપલેટામાં કુલ 36 બેઠકમાંથી 27 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય

જસદણમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય 


જિલ્લો: મોરબી

હળવદમાં કુલ 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ

વાંકાનેરમાં કુલ 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 2 પર અન્ય


જિલ્લો: વલસાડ

વલસાડ નગરપાલિકામાં કુલ 44 બેઠકમાંથી 42 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

પારડીમાં કુલ 28 બેઠકમાંથી 22 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય

ધરમપુરમાં કુલ 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર અન્ય


જિલ્લો: સાબરકાંઠા

ખેડબ્રહ્મામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ

તલોદમાં કુલ 24 બેઠકમાંથી 22 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 1 પર અન્ય

પ્રાંતિજમાં કુલ 24 બેઠકમાંથી 19 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 3 પર અન્ય


જિલ્લો: વડોદરા

કરજણમાં કુલ 28 બેઠકમાંથી 19 પર ભાજપ, 8 પર આપ, 1 પર અન્ય


જિલ્લો: સુરેન્દ્રનગર

થાનગઢમાં કુલ 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર અન્ય


જિલ્લો: મહિસાગર

બાલાસિનોરમાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 9 પર કોંગ્રેસ, 3 પર અન્ય

લૂણાવાડામાં કુલ 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય

સંતરામપુરમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 2 પર અન્ય


જિલ્લો: ભાવનગર

શિહોરમાં કુલ 36 બેઠકમાંથી 25 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 3 પર અન્ય

ગારિયાધારમાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 7 પર કોંગ્રેસ, 3 પર આપ

તળાજામાં કુલ 28 બેઠકમાંથી 17 પર ભાજપ, 11 પર કોંગ્રેસ


જિલ્લો: બોટાદ

બોટાદમાં કુલ 44 બેઠકમાંથી 41 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

ગઢડામાં કુલ 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર કોંગ્રેસ


જિલ્લો: અમરેલી

રાજૂલામાં કુલ 28 બેઠકમાં તમામ પર ભાજપ

જાફરાબાદમાં તમામ 28 બેઠક પર ભાજપ

લાઠીમાં કુલ 24 બેઠકમાંથી 18 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 1 પર અન્ય 

ચલાલામાં તમામ 24 બેઠક પર ભાજપ


જિલ્લો: આણંદ

આંકલાવમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર અન્ય 

બોરિયાવીમાં કુલ 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 6 પર કોંગ્રેસ, 3 પર અન્ય 

ઓડમાં તમામ 24 બેઠક પર ભાજપ


જિલ્લો: કચ્છ

ભચાઉમાં  તમામ 28 બેઠક પર ભાજપ

રાપરમાં 28 બેઠકમાંથી 21 પર ભાજપ, 7 પર કોંગ્રેસ


જિલ્લો: ખેડા

ખેડામાં 28 બેઠકમાંથી 14 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 13 પર અન્ય

ચકલાસીમાં 28 બેઠકમાંથી 16 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 11 પર અન્ય 

મહેમદાવાદમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ, 10 પર અન્ય  

ડાકોરમાં ટાઈ, કુલ 28 બેઠકો પૈકી 14 ભાજપને અને 14 અન્યનાં ફાળે

મહુધામાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર અન્ય

 

જિલ્લો: ગાંધીનગર

માણસામાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસ


જિલ્લો: ગીરસોમનાથ

કોડીનારમાં તમામ 28 બેઠકો પર ભાજપ


જિલ્લો: છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 1 પર કોંગ્રેસ, 6 પર સપા, 4 પર બસપા અને 9 પર અન્ય


જિલ્લો: જામનગર

કાલાવાડમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

જામજોધપુરમાં 28 બેઠકમાંથી 27 પર ભાજપ, 1 પર અન્ય

ધ્રોલમાં 28 બેઠકમાંથી 15 પર ભાજપ, 8 પર કોંગ્રેસ, 1 પર અન્ય


જિલ્લો: જૂનાગઢ

જૂનાગઢ મનપામાં 60 બેઠકમાંથી 48 પર ભાજપ, 11 પર કોંગ્રેસ, 1 પર અન્ય     

માંગરોળમાં 36 બેઠકમાંથી 15 પર ભાજપ, 15 પર કોંગ્રેસ, 6 પર અન્ય 

માણાવદરમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ

ચોરવાડમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ

વિસાવદરમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

વંથલીમાં 24 બેઠકમાંથી 20 પર ભાજપ, 4 પર કોંગ્રેસ

બાંટવામાં તમામ 24 બેઠક પર ભાજપનો વિજય 


જિલ્લો: તાપી

સોનગઢમાં 28 બેઠકમાંથી 26 પર ભાજપ, 2 પર કોંગ્રેસ


જિલ્લો: દાહોદ

ઝાલોદમાં 28 બેઠકમાંથી 17 પર ભાજપ,11 પર અન્ય 

દેવગઢ બારિયામાં 24 બેઠકમાંથી 13 પર ભાજપ, 3 પર કોંગ્રેસ, 8 પર અન્ય 


જિલ્લો:  દેવભૂમિ દ્વારકા

દ્વારકામાં તમામ 28 બેઠક પર ભાજપનો વિજય 

સલાયામાં 24 બેઠકમાંથી, 15 પર કોંગ્રેસ, 13 પર આપ

ભાણવડમાં 24 બેઠકમાંથી 21 પર ભાજપ, 3 પર કોંગ્રેસ


જિલ્લો: નવસારી

બીલિમોરામાં 36 બેઠકમાંથી 29 પર ભાજપ, 2 પર કોંગ્રેસ, 5 પર અન્ય 


જિલ્લો: પંચમહાલ

હાલોલમાં 36 બેઠકમાંથી 34 પર ભાજપ, 2 પર અન્ય 

કાલોલમાં 28 બેઠકમાંથી 18 પર ભાજપ,10 પર અન્ય


જિલ્લો: પાટણ

રાધનપુરમાં 28 બેઠકમાંથી 25 પર ભાજપ, 3 પર કોંગ્રેસ

હારીજમાં 24 બેઠકમાંથી 14 પર ભાજપ, 10 પર કોંગ્રેસ

ચાણસ્મામાં 24 બેઠકમાંથી 15 પર ભાજપ, 5 પર કોંગ્રેસ, 4 પર અન્ય 


જિલ્લો: પોરબંદર

રાણાવાવમાં કુલ 28 બેઠકમાંથી 8 પર ભાજપ, 20 પર સપા

કુતિયાણાંમાં કુલ 24 બેઠકમાંથી 10 પર ભાજપ, 14 પર સપા

 

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. કુલ 68 નગરપાલિકાઓમાંથી જૂનાગઢ મનપા  સહિત 61 પર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસે એકમાત્ર સલાયા નગરપાલિકા પર જીત હાંસિલ કરી છે. દેવભૂમિ દ્વારકાની 28 બેઠકવાળી આ નગરપાલિકામાં ભાજપનાં ફાળે એકપણ બેઠક નથી આવી. 

પોરબંદર જિલ્લાની બે નગરપાલિકા કુતિયાણા અને રાણાવાવનાં પરિણામો સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યા છે. આ બન્ને નગરપાલિકા પર સમાજવાદી પાર્ટી ભાજપને મ્હાત આપીને પોતાનુ સામ્રાજ્ય સ્થાપવામાં સફળ રહી છે.


નગરપાલિકાઓમાં આ વખતે 61.65% મતદાન થયુ 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.