'નલ સે જલ યોજના'માં થતાં કૌભાંડ અંગે સ્થાનિકોએ કરી ફરિયાદ! મહીસાગરમાં વાસ્મો યુનિટ મેનેજર સહિત અધિકારીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:04:13

નલ સે જલ યોજનાની શરૂઆત સરકારે સારા હેતુથી કરી હતી. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને ઘરમાં નળના માધ્યમથી પાણી આવે તેવી આશા સાથે આ યોજનાનો આરંભ  કરાવવામાં આવ્યો હતો. સરકારી ચોપડે તો 100 ટકા નલ સે જલ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આ મામલે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વાસ્તવિક્તા સામે આવી તે ચોંકાવનારી હતી. ગામોમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. નળ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં આ યોજનામાં કૌભાંડ આચરનારા વાસ્મો યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.    

જમાવટની ટીમ ઘણા મહિનાઓથી નલ સે જલ યોજના ગામડાઓ સુધી નથી પહોંચી તેવી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી ચોપડે આ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં આ યોજના નથી પહોંચી. સરકાર ભલે આવું કહી શાબાશી લેવા માગતી હોય પરંતુ વાસ્તવિક્તા કંઈક જૂદી જ છે. જ્યારે દેવાંષી જોષી અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગામડાઓમાં ગયા ત્યારે તેમણે વાસ્મો પ્રોજેક્ટ અંગે પૂછ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. નળ તો પહોંચી ગયા છે પરંતુ અનેક વર્ષો થયા પણ પાણી નથી પહોંચ્યું. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.     

મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં નલ સે જલની કામગીરીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં વાસ્મોના યુનિટ મેનેજર સહિતના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે મહીસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદો મળતા ગુજરાત  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોકના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ જ છે ગામના લોકોએ મોકલે છે.  

મહત્વનું છે કે આ એક એવો વિષય છે જેમાં સરકારને અધિકારી અને Contractorએ ભેગા થઈને મૂરખ બનાવી રહ્યા છે. હવે એમાં કરાતી કાર્યવાહી બતાવે છે કે આખા ગુજરાતના કૌભાંડીઓની ખૈર નથી. જમાવટની ટીમ તો રિપોર્ટીંગ કરે છે પરંતુ હવે સ્થાનિકો પણ જાગૃત થવાની છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચવાની જરૂર છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.