'નલ સે જલ યોજના'માં થતાં કૌભાંડ અંગે સ્થાનિકોએ કરી ફરિયાદ! મહીસાગરમાં વાસ્મો યુનિટ મેનેજર સહિત અધિકારીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:04:13

નલ સે જલ યોજનાની શરૂઆત સરકારે સારા હેતુથી કરી હતી. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને ઘરમાં નળના માધ્યમથી પાણી આવે તેવી આશા સાથે આ યોજનાનો આરંભ  કરાવવામાં આવ્યો હતો. સરકારી ચોપડે તો 100 ટકા નલ સે જલ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આ મામલે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વાસ્તવિક્તા સામે આવી તે ચોંકાવનારી હતી. ગામોમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. નળ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં આ યોજનામાં કૌભાંડ આચરનારા વાસ્મો યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.    

જમાવટની ટીમ ઘણા મહિનાઓથી નલ સે જલ યોજના ગામડાઓ સુધી નથી પહોંચી તેવી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી ચોપડે આ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં આ યોજના નથી પહોંચી. સરકાર ભલે આવું કહી શાબાશી લેવા માગતી હોય પરંતુ વાસ્તવિક્તા કંઈક જૂદી જ છે. જ્યારે દેવાંષી જોષી અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગામડાઓમાં ગયા ત્યારે તેમણે વાસ્મો પ્રોજેક્ટ અંગે પૂછ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. નળ તો પહોંચી ગયા છે પરંતુ અનેક વર્ષો થયા પણ પાણી નથી પહોંચ્યું. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.     

મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં નલ સે જલની કામગીરીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં વાસ્મોના યુનિટ મેનેજર સહિતના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે મહીસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદો મળતા ગુજરાત  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોકના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ જ છે ગામના લોકોએ મોકલે છે.  

મહત્વનું છે કે આ એક એવો વિષય છે જેમાં સરકારને અધિકારી અને Contractorએ ભેગા થઈને મૂરખ બનાવી રહ્યા છે. હવે એમાં કરાતી કાર્યવાહી બતાવે છે કે આખા ગુજરાતના કૌભાંડીઓની ખૈર નથી. જમાવટની ટીમ તો રિપોર્ટીંગ કરે છે પરંતુ હવે સ્થાનિકો પણ જાગૃત થવાની છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચવાની જરૂર છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.