'નલ સે જલ યોજના'માં થતાં કૌભાંડ અંગે સ્થાનિકોએ કરી ફરિયાદ! મહીસાગરમાં વાસ્મો યુનિટ મેનેજર સહિત અધિકારીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!


  • Published By :
  • Published Date : 2023-07-07 13:04:13

નલ સે જલ યોજનાની શરૂઆત સરકારે સારા હેતુથી કરી હતી. પાણી માટે લોકોને વલખા ન મારવા પડે અને ઘરમાં નળના માધ્યમથી પાણી આવે તેવી આશા સાથે આ યોજનાનો આરંભ  કરાવવામાં આવ્યો હતો. સરકારી ચોપડે તો 100 ટકા નલ સે જલ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે આ મામલે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે વાસ્તવિક્તા સામે આવી તે ચોંકાવનારી હતી. ગામોમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. નળ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં આ યોજનામાં કૌભાંડ આચરનારા વાસ્મો યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.    

જમાવટની ટીમ ઘણા મહિનાઓથી નલ સે જલ યોજના ગામડાઓ સુધી નથી પહોંચી તેવી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી ચોપડે આ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં આ યોજના નથી પહોંચી. સરકાર ભલે આવું કહી શાબાશી લેવા માગતી હોય પરંતુ વાસ્તવિક્તા કંઈક જૂદી જ છે. જ્યારે દેવાંષી જોષી અંતરિયાળ વિસ્તારોમાં અથવા તો ગામડાઓમાં ગયા ત્યારે તેમણે વાસ્મો પ્રોજેક્ટ અંગે પૂછ્યું ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. નળ તો પહોંચી ગયા છે પરંતુ અનેક વર્ષો થયા પણ પાણી નથી પહોંચ્યું. ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.     

મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે આવેલી વાસ્મો કચેરીમાં નલ સે જલની કામગીરીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થતાં વાસ્મોના યુનિટ મેનેજર સહિતના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે મહીસાગર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ખાતે નલ સે જલની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદો મળતા ગુજરાત  પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઇપના બદલે તકલાદી પાઇપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોકના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ જ છે ગામના લોકોએ મોકલે છે.  

મહત્વનું છે કે આ એક એવો વિષય છે જેમાં સરકારને અધિકારી અને Contractorએ ભેગા થઈને મૂરખ બનાવી રહ્યા છે. હવે એમાં કરાતી કાર્યવાહી બતાવે છે કે આખા ગુજરાતના કૌભાંડીઓની ખૈર નથી. જમાવટની ટીમ તો રિપોર્ટીંગ કરે છે પરંતુ હવે સ્થાનિકો પણ જાગૃત થવાની છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચવાની જરૂર છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.