સોમનાથ પાસે વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી જગ્યા ખાલી કરવાની સૂચના સામે સ્થાનિકોનો વિરોધ


  • Published By :
  • Published Date : 2024-11-17 14:25:36

ફરી એકવાર સોમનાથમાં ડિમોલિશનને લઈને વિવાદ થયો છે.... સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જગ્યાને ખાલી કરવાતા વિવાદ થયો છે... અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા ફરી એકવાર લોકોની વહારે ગયા છે... ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રામક દેખાયા છે.... 

શું છે સમગ્ર મુદ્દો?

સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જ્ઞાતિની જગ્યા પર રામદેવપીર મહારાજનું મંદિર અને અહીં જ ગૌશાળા બનાવવામાં આવી છે. આ જગ્યા હવે કોળી સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદનું કેન્દ્ર બની રહી છે. પાછલા કેટલાક દિવસોથી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વારા આ જગ્યા ખાલી કરવામાં આવે તેવી સ્થળ તપાસ પર પર હાજર કોળી સમાજના વ્યક્તિને જાણ કરવામાં આવી હતી... આ આખા કેસમાં હવે આ વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાનમાં આવ્યા છે તેમણે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને આપવામાં આવેલી જગ્યાને લઈને દાવો કર્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ખોટી રીતે રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળાને હટાવવાની જે પેરવી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કર્યો છે.


શું કહે છે કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ?

વેણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી કોળી સમાજની જગ્યાનો મામલો આગામી દિવસોમાં વધુ પેચીદો બની શકે છે. હાલ તો સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 1993માં આ જમીન કે જેને આજે ખાલી કરાવવા માટે તંત્રના અધિકારી અને કર્મચારીઓ આવી રહ્યા છે. તેના દસ્તાવેજી પુરાવા પણ કોળી સમાજ પાસે છે. તેઓ દાવો કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા કરી રહ્યા છે. તેની વચ્ચે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન કુડિયાએ આ મામલામાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જેને લઈને હવે આગળ દિવસોમાં આ જગ્યા પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવે છે કે કેમ. જો કોળી સમાજ સમગ્ર જગ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલું કોઈ પણ લેખિત બાહેધરીપત્ર રજૂ ન કરી શકે તો આવનારા દિવસોમાં આ જગ્યા પર પણ ડિમોલેશન હાથ ધરાય તેવી પણ શક્યતાઓ છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.