ભાજપ તરફથી વી.ડી.ઝાલાને ટિકિટ અપાતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોઘ, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા ક્ષત્રિય ઠાકોર સમાજે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-11-15 12:48:18

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારને બેઠક આપવાની માગ કરવામાં આવી છે.  હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાના નામની પસંદગી કરવામાં આવી છે જેને લઈ સ્થાનિકોએ વિરોધમાં બેનર લગાવ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ

ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક સમાજ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરેધ કરવામાં આવી રહ્યો છે. સમાજના પ્રેશરને કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે ભાજપે વી.ડી.ઝાલાને ટિકિટ આપી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ થયો છે અને ઠેર-ઠેર ઉમેદવારના વિરોધના બેનર લાગ્યા હતા. 

Bengal BJP prepares for rural polls with an eye one Lok Sabha elections

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની કરાઈ માગ

વિરોધમાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ બહારથી આવેલા ઉમેદવારનું સમર્થન નહીં કરે. ઉપરાંત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માગ કરવામાં આવી હતી. અને જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ સરકાર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેવું લખવામાં આવ્યું છે. આ બેનર અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.           




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"