ભાજપ તરફથી વી.ડી.ઝાલાને ટિકિટ અપાતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોઘ, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા ક્ષત્રિય ઠાકોર સમાજે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-11-15 12:48:18

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારને બેઠક આપવાની માગ કરવામાં આવી છે.  હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાના નામની પસંદગી કરવામાં આવી છે જેને લઈ સ્થાનિકોએ વિરોધમાં બેનર લગાવ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ

ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક સમાજ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરેધ કરવામાં આવી રહ્યો છે. સમાજના પ્રેશરને કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે ભાજપે વી.ડી.ઝાલાને ટિકિટ આપી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ થયો છે અને ઠેર-ઠેર ઉમેદવારના વિરોધના બેનર લાગ્યા હતા. 

Bengal BJP prepares for rural polls with an eye one Lok Sabha elections

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની કરાઈ માગ

વિરોધમાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ બહારથી આવેલા ઉમેદવારનું સમર્થન નહીં કરે. ઉપરાંત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માગ કરવામાં આવી હતી. અને જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ સરકાર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેવું લખવામાં આવ્યું છે. આ બેનર અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.           




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.