ભાજપ તરફથી વી.ડી.ઝાલાને ટિકિટ અપાતા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોઘ, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા ક્ષત્રિય ઠાકોર સમાજે કરી માગ


  • Published By :
  • Published Date : 2022-11-15 12:48:18

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારને બેઠક આપવાની માગ કરવામાં આવી છે.  હિંમતનગર બેઠક માટે વી.ડી.ઝાલાના નામની પસંદગી કરવામાં આવી છે જેને લઈ સ્થાનિકોએ વિરોધમાં બેનર લગાવ્યા હતા અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.


ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ

ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ અનેક સમાજ દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરેધ કરવામાં આવી રહ્યો છે. સમાજના પ્રેશરને કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલી બીજા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. હિંમતનગર બેઠક માટે ભાજપે વી.ડી.ઝાલાને ટિકિટ આપી છે જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પરંતુ પાર્ટીના આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ થયો છે અને ઠેર-ઠેર ઉમેદવારના વિરોધના બેનર લાગ્યા હતા. 

Bengal BJP prepares for rural polls with an eye one Lok Sabha elections

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની કરાઈ માગ

વિરોધમાં લગાવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ બહારથી આવેલા ઉમેદવારનું સમર્થન નહીં કરે. ઉપરાંત સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માગ કરવામાં આવી હતી. અને જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ સરકાર ભયંકર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય તેવું લખવામાં આવ્યું છે. આ બેનર અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે.           




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.