રવિવારે OPD ચાલુ રાખવાના નિર્ણય બાદ પણ સિવિલના OPDમાં તાળાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:59:29

17  સપ્ટેમ્બરથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ જેવી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સુધી સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાત ઓપીડી ચાલુ રાખવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. પરંતુ રવિવારે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર તાળાં લાગેલા હતા. ઉપરાંત દૂર દૂર થી આવેલા દર્દીઓને સોમવારે આવવા જણાવ્યું 


OPD ચાલુ રાખવાનો નિર્ણય શનિવારેજ અમલ કરવામાં આવ્યો. 

આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ આરોગ્ય સંસ્થાનું opd સોમવારથી શનિવાર સવારે 9થી 1 અને સાંજે 3થી 5 હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને શનિવારે સાંજે 4થી8 કરવામાં આવ્યો છે. તેમજ રવિવાર ફરજિયાત સવારે 9થી 1 opd ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી. 


ક્યારે opd રહશે બંધ 

opd 14 જાહેર રજાના દિવસોએ બંધ રહશે જેમાં રમજાન ઈદ, સ્વતંત્ર દિન, બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, મહોર્રમ, ગાંધી જયંતી, દશેરા, દિવાળી બીજો દિવસ (નૂતન વર્ષ) અને નાતાલ.જેવી રજા સામેલ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.