રવિવારે OPD ચાલુ રાખવાના નિર્ણય બાદ પણ સિવિલના OPDમાં તાળાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:59:29

17  સપ્ટેમ્બરથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ જેવી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સુધી સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાત ઓપીડી ચાલુ રાખવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. પરંતુ રવિવારે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર તાળાં લાગેલા હતા. ઉપરાંત દૂર દૂર થી આવેલા દર્દીઓને સોમવારે આવવા જણાવ્યું 


OPD ચાલુ રાખવાનો નિર્ણય શનિવારેજ અમલ કરવામાં આવ્યો. 

આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ આરોગ્ય સંસ્થાનું opd સોમવારથી શનિવાર સવારે 9થી 1 અને સાંજે 3થી 5 હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને શનિવારે સાંજે 4થી8 કરવામાં આવ્યો છે. તેમજ રવિવાર ફરજિયાત સવારે 9થી 1 opd ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી. 


ક્યારે opd રહશે બંધ 

opd 14 જાહેર રજાના દિવસોએ બંધ રહશે જેમાં રમજાન ઈદ, સ્વતંત્ર દિન, બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, મહોર્રમ, ગાંધી જયંતી, દશેરા, દિવાળી બીજો દિવસ (નૂતન વર્ષ) અને નાતાલ.જેવી રજા સામેલ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.