રવિવારે OPD ચાલુ રાખવાના નિર્ણય બાદ પણ સિવિલના OPDમાં તાળાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:59:29

17  સપ્ટેમ્બરથી રાજ્યની આરોગ્ય સંસ્થાઓ જેવી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ અને ડેન્ટલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સુધી સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફરજિયાત ઓપીડી ચાલુ રાખવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. પરંતુ રવિવારે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર તાળાં લાગેલા હતા. ઉપરાંત દૂર દૂર થી આવેલા દર્દીઓને સોમવારે આવવા જણાવ્યું 


OPD ચાલુ રાખવાનો નિર્ણય શનિવારેજ અમલ કરવામાં આવ્યો. 

આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તમામ આરોગ્ય સંસ્થાનું opd સોમવારથી શનિવાર સવારે 9થી 1 અને સાંજે 3થી 5 હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને શનિવારે સાંજે 4થી8 કરવામાં આવ્યો છે. તેમજ રવિવાર ફરજિયાત સવારે 9થી 1 opd ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી. 


ક્યારે opd રહશે બંધ 

opd 14 જાહેર રજાના દિવસોએ બંધ રહશે જેમાં રમજાન ઈદ, સ્વતંત્ર દિન, બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, મહોર્રમ, ગાંધી જયંતી, દશેરા, દિવાળી બીજો દિવસ (નૂતન વર્ષ) અને નાતાલ.જેવી રજા સામેલ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે