મણિપુર મુદ્દે હોબાળો થતાં લોકસભા ફરી એક વખત કરાઈ સ્થગિત, પિયુષ ગોયલે કહ્યું 'અમે મણિપુર વિશે ચર્ચા કરવા તૈયાર'.. સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 12:27:31

જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી મણિપુર મુદ્દાને લઈ હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. આજે પણ સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો અને હંમેશાની જેમ આજે પણ ભારે હોબાળાને કારણે લોકસભાની તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન પિયુષ ગોયેલે નિવેદન આપ્યું છે કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મણિપુર અંગે બપોરે બે વાગ્યે ચર્ચા કરવામાં આવે તેવી અમારી ઈચ્છા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો કે વિપક્ષ આ ચર્ચાથી ભાગી રહી છે. મહત્વનું છે કે I.N.D.I.Aના સાંસદો મણિપુરની મુલાકાત લઈ દિલ્હી પરત ફર્યા છે અને મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષી દળોની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવે જોવું રહ્યું કે સાચે બે વાગ્યે મણિપુર મામલે સંસદમાં ચર્ચા થશે? જો સરકાર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા કરવા તૈયાર છે તો વાંધો ક્યાં છે તેવા પ્રશ્નો અનેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે... 

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .