મણિપુર મુદ્દે હોબાળો થતાં લોકસભા ફરી એક વખત કરાઈ સ્થગિત, પિયુષ ગોયલે કહ્યું 'અમે મણિપુર વિશે ચર્ચા કરવા તૈયાર'.. સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 12:27:31

જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી મણિપુર મુદ્દાને લઈ હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. આજે પણ સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠ્યો હતો અને હંમેશાની જેમ આજે પણ ભારે હોબાળાને કારણે લોકસભાની તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન પિયુષ ગોયેલે નિવેદન આપ્યું છે કે મણિપુર મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મણિપુર અંગે બપોરે બે વાગ્યે ચર્ચા કરવામાં આવે તેવી અમારી ઈચ્છા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો કે વિપક્ષ આ ચર્ચાથી ભાગી રહી છે. મહત્વનું છે કે I.N.D.I.Aના સાંસદો મણિપુરની મુલાકાત લઈ દિલ્હી પરત ફર્યા છે અને મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષી દળોની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવે જોવું રહ્યું કે સાચે બે વાગ્યે મણિપુર મામલે સંસદમાં ચર્ચા થશે? જો સરકાર ચર્ચા કરવા તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા કરવા તૈયાર છે તો વાંધો ક્યાં છે તેવા પ્રશ્નો અનેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે... 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.