Lok sabha Election : મંગળવારે BJP જાહેર કરી શકે છે વધુ 150 ઉમેદવારોના નામ, યાદીમાં Gujaratની બાકી રહેલી 11 બેઠકોના ઉમેદવારોના નામ હોવાની ચર્ચા...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:58:53

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્યારે બધાને ઈંતેઝારી છે બાકી રહેલા ઉમેદવારોના નામ ક્યારે આવશે એની? મળતી માહિતી અનુસાર ભાજપની બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં આવી શકે છે અને આ બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે. ગુજરાતની બાકી રહેલી 11 સીટોના ઉમેદવારોના નામ બીજી યાદીમાં હશે તેવી માહિતી સામે આવી રહી છે.   


પ્રથમ યાદીમાં ગુજરાતના 10 ઉમેદવારોને કરાયા છે રિપીટ!

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે હાલ દરેક બેઠક બીજેપી પાસે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાંચ લાખની લીડને લઈ. સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા સામ,દામ,દેડ, ભેદની રણનીતિ અપનાવામાં આવી રહી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને ટેન્શન ઓછું છે પરંતુ અનેક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને ટફ ફાઈટ મળી શકે છે. ગણતરી કર્યા બાદ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યું છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. એવું લાગતું હતું સરપ્રાઈઝ મળી શકે છે પરંતુ તેવું ના થયું. ભાજપે 15માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા જ્યારે પાંચ નવા ઉમેદવારોમાં એક નામ છે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા. તે સિવાય બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. 


આવતી કાલે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી!

મંગળવારે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોને લઈ મંથન કરવા માટે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. સી.એમ સાથે સી.આર.પાટીલ પણ હતા તેવી પણ માહિતી સામે  આવી હતી. એવી માહિતી સામે આવી છે કે આવતીકાલે સાંજે દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠક મોડી રાત સુધી ચાલી શકે છે અને મંગળવારે 150 સીટ માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 


11 બેઠકોમાંથી કેટલી બેઠકો માટે ભાજપ ઉતારશે મહિલા ઉમેદવાર? 

બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારો પણ હશે તેવું સૂત્રોનું કહેવું છે. 11 બેઠકો જે બાકી છે તેમાંથી અનેક બેઠકો પર હાલ મહિલા છે. ભાજપ દ્વારા ગુજરાત માટે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં માત્ર બે મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. એક છે પૂનમ માડમ અને બીજા છે રેખાબેન ચૌધરી. ત્યારે બાકી રહેલી બેઠકો પર મહિલા ઉમેદવાર આવે છે કે નહીં તે જોવું રહ્યું..       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.