Lok sabha Election : મંગળવારે BJP જાહેર કરી શકે છે વધુ 150 ઉમેદવારોના નામ, યાદીમાં Gujaratની બાકી રહેલી 11 બેઠકોના ઉમેદવારોના નામ હોવાની ચર્ચા...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:58:53

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્યારે બધાને ઈંતેઝારી છે બાકી રહેલા ઉમેદવારોના નામ ક્યારે આવશે એની? મળતી માહિતી અનુસાર ભાજપની બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં આવી શકે છે અને આ બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે. ગુજરાતની બાકી રહેલી 11 સીટોના ઉમેદવારોના નામ બીજી યાદીમાં હશે તેવી માહિતી સામે આવી રહી છે.   


પ્રથમ યાદીમાં ગુજરાતના 10 ઉમેદવારોને કરાયા છે રિપીટ!

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે હાલ દરેક બેઠક બીજેપી પાસે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાંચ લાખની લીડને લઈ. સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા સામ,દામ,દેડ, ભેદની રણનીતિ અપનાવામાં આવી રહી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને ટેન્શન ઓછું છે પરંતુ અનેક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને ટફ ફાઈટ મળી શકે છે. ગણતરી કર્યા બાદ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યું છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. એવું લાગતું હતું સરપ્રાઈઝ મળી શકે છે પરંતુ તેવું ના થયું. ભાજપે 15માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા જ્યારે પાંચ નવા ઉમેદવારોમાં એક નામ છે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા. તે સિવાય બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. 


આવતી કાલે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી!

મંગળવારે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોને લઈ મંથન કરવા માટે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. સી.એમ સાથે સી.આર.પાટીલ પણ હતા તેવી પણ માહિતી સામે  આવી હતી. એવી માહિતી સામે આવી છે કે આવતીકાલે સાંજે દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠક મોડી રાત સુધી ચાલી શકે છે અને મંગળવારે 150 સીટ માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 


11 બેઠકોમાંથી કેટલી બેઠકો માટે ભાજપ ઉતારશે મહિલા ઉમેદવાર? 

બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારો પણ હશે તેવું સૂત્રોનું કહેવું છે. 11 બેઠકો જે બાકી છે તેમાંથી અનેક બેઠકો પર હાલ મહિલા છે. ભાજપ દ્વારા ગુજરાત માટે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં માત્ર બે મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. એક છે પૂનમ માડમ અને બીજા છે રેખાબેન ચૌધરી. ત્યારે બાકી રહેલી બેઠકો પર મહિલા ઉમેદવાર આવે છે કે નહીં તે જોવું રહ્યું..       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.