Lok sabha Election : મંગળવારે BJP જાહેર કરી શકે છે વધુ 150 ઉમેદવારોના નામ, યાદીમાં Gujaratની બાકી રહેલી 11 બેઠકોના ઉમેદવારોના નામ હોવાની ચર્ચા...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:58:53

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્યારે બધાને ઈંતેઝારી છે બાકી રહેલા ઉમેદવારોના નામ ક્યારે આવશે એની? મળતી માહિતી અનુસાર ભાજપની બીજી યાદી મંગળવાર સાંજ સુધીમાં આવી શકે છે અને આ બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ હોઈ શકે છે. ગુજરાતની બાકી રહેલી 11 સીટોના ઉમેદવારોના નામ બીજી યાદીમાં હશે તેવી માહિતી સામે આવી રહી છે.   


પ્રથમ યાદીમાં ગુજરાતના 10 ઉમેદવારોને કરાયા છે રિપીટ!

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે હાલ દરેક બેઠક બીજેપી પાસે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પાંચ લાખની લીડને લઈ. સી.આર.પાટીલ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પૂર્ણ કરવા સામ,દામ,દેડ, ભેદની રણનીતિ અપનાવામાં આવી રહી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપને ટેન્શન ઓછું છે પરંતુ અનેક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને ટફ ફાઈટ મળી શકે છે. ગણતરી કર્યા બાદ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યું છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. એવું લાગતું હતું સરપ્રાઈઝ મળી શકે છે પરંતુ તેવું ના થયું. ભાજપે 15માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા જ્યારે પાંચ નવા ઉમેદવારોમાં એક નામ છે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા. તે સિવાય બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. 


આવતી કાલે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી!

મંગળવારે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોને લઈ મંથન કરવા માટે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. સી.એમ સાથે સી.આર.પાટીલ પણ હતા તેવી પણ માહિતી સામે  આવી હતી. એવી માહિતી સામે આવી છે કે આવતીકાલે સાંજે દિલ્હી ખાતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. આ બેઠક મોડી રાત સુધી ચાલી શકે છે અને મંગળવારે 150 સીટ માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 


11 બેઠકોમાંથી કેટલી બેઠકો માટે ભાજપ ઉતારશે મહિલા ઉમેદવાર? 

બીજી યાદીમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારો પણ હશે તેવું સૂત્રોનું કહેવું છે. 11 બેઠકો જે બાકી છે તેમાંથી અનેક બેઠકો પર હાલ મહિલા છે. ભાજપ દ્વારા ગુજરાત માટે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં માત્ર બે મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી છે. એક છે પૂનમ માડમ અને બીજા છે રેખાબેન ચૌધરી. ત્યારે બાકી રહેલી બેઠકો પર મહિલા ઉમેદવાર આવે છે કે નહીં તે જોવું રહ્યું..       



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.