Lok sabha Election : ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ નહી કરે ઉજવણી! જાણો શા માટે ભાજપે લીધો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-05-31 18:37:22

દેશમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આવતી કાલે ઈવીએમમાં કેદ થવાના છે.. 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે મતદાનના અને આવતી કાલે અંતિમ તબક્કો છે.. ચોથી તારીખે મતગણતરી થવાની છે.. ગુજરાતના રિઝલ્ટ પર સૌ કોઈની નજર રહેલી છે.. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. 


પરિણામો બાદ ગુજરાત ભાજપ નહીં કરે ઉજવણી 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે.. સાદગીથી જીતને વધાવવામાં આવશે.. કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી છે.. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈ આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે.. હજી સુધી એવી માહિતી સામે આવી હતી કે રાજકોટમાં ભાજપ ઉજવણી નહીં કરે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે જ્યાં ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે... મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા... 27 જેટલી જિંદગીઓ ભૂંજાઈ ગઈ..આ મામલે ભાજપના અનેક નેતાઓ મૌન છે. આ ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે..    


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતની તમામે તમામ 26 બઠકો ભાજપ પાસે છે.. આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગુજરાતના ભાજપના નેતાઓએ રાખ્યો છે.. આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સુરતની સીટ ભાજપના ફાળે આવી ગઈ છે.. મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.. ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બીજી બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.   


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર?

ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને.. આણંદમાં અમિત ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સૌ કોઈની નજર રાજકોટ બેઠકના પરિણામ પર પણ રહેશે કારણે કે ત્યાં ભાજપેના પરષોત્તમ રૂપાલા અનેક પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થવાની છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને કારણે ગુજરાત ભાજપ પરિણામ બાદ ઉજવણી નહીં કરે તેવી વાત સામે આવી છે.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.