Lok sabha Election : ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ નહી કરે ઉજવણી! જાણો શા માટે ભાજપે લીધો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-05-31 18:37:22

દેશમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આવતી કાલે ઈવીએમમાં કેદ થવાના છે.. 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે મતદાનના અને આવતી કાલે અંતિમ તબક્કો છે.. ચોથી તારીખે મતગણતરી થવાની છે.. ગુજરાતના રિઝલ્ટ પર સૌ કોઈની નજર રહેલી છે.. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. 


પરિણામો બાદ ગુજરાત ભાજપ નહીં કરે ઉજવણી 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે.. સાદગીથી જીતને વધાવવામાં આવશે.. કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી છે.. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈ આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે.. હજી સુધી એવી માહિતી સામે આવી હતી કે રાજકોટમાં ભાજપ ઉજવણી નહીં કરે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે જ્યાં ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે... મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા... 27 જેટલી જિંદગીઓ ભૂંજાઈ ગઈ..આ મામલે ભાજપના અનેક નેતાઓ મૌન છે. આ ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે..    


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતની તમામે તમામ 26 બઠકો ભાજપ પાસે છે.. આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગુજરાતના ભાજપના નેતાઓએ રાખ્યો છે.. આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સુરતની સીટ ભાજપના ફાળે આવી ગઈ છે.. મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.. ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બીજી બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.   


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર?

ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને.. આણંદમાં અમિત ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સૌ કોઈની નજર રાજકોટ બેઠકના પરિણામ પર પણ રહેશે કારણે કે ત્યાં ભાજપેના પરષોત્તમ રૂપાલા અનેક પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થવાની છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને કારણે ગુજરાત ભાજપ પરિણામ બાદ ઉજવણી નહીં કરે તેવી વાત સામે આવી છે.. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."