Lok sabha Election : ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ નહી કરે ઉજવણી! જાણો શા માટે ભાજપે લીધો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-05-31 18:37:22

દેશમાં આવતી કાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આવતી કાલે ઈવીએમમાં કેદ થવાના છે.. 6 તબક્કા પૂર્ણ થઈ ગયા છે મતદાનના અને આવતી કાલે અંતિમ તબક્કો છે.. ચોથી તારીખે મતગણતરી થવાની છે.. ગુજરાતના રિઝલ્ટ પર સૌ કોઈની નજર રહેલી છે.. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. 


પરિણામો બાદ ગુજરાત ભાજપ નહીં કરે ઉજવણી 

આ બધા વચ્ચે સૂત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે.. સાદગીથી જીતને વધાવવામાં આવશે.. કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી છે.. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈ આ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે.. હજી સુધી એવી માહિતી સામે આવી હતી કે રાજકોટમાં ભાજપ ઉજવણી નહીં કરે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે જ્યાં ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે... મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા... 27 જેટલી જિંદગીઓ ભૂંજાઈ ગઈ..આ મામલે ભાજપના અનેક નેતાઓ મૌન છે. આ ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે..    


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ગુજરાતની તમામે તમામ 26 બઠકો ભાજપ પાસે છે.. આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાંચ લાખની લીડનો ટાર્ગેટ ગુજરાતના ભાજપના નેતાઓએ રાખ્યો છે.. આ વખતે ચૂંટણી થાય તે પહેલા જ સુરતની સીટ ભાજપના ફાળે આવી ગઈ છે.. મહત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.. ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા બાકી બીજી બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.   


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર?

ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને.. આણંદમાં અમિત ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સૌ કોઈની નજર રાજકોટ બેઠકના પરિણામ પર પણ રહેશે કારણે કે ત્યાં ભાજપેના પરષોત્તમ રૂપાલા અનેક પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થવાની છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને કારણે ગુજરાત ભાજપ પરિણામ બાદ ઉજવણી નહીં કરે તેવી વાત સામે આવી છે.. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.