Lok Sabha Elections 2024: 97 કરોડ મતદાતા, 2019ની તુલનામાં છ ટકા મતદારો વધ્યા


  • Published By :
  • Published Date : 2024-02-09 18:30:08

ભારતના ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં અંદાજે 97 કરોડ લોકો મતદાન કરવા માટે લાયક હશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડથી વધુ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે. છેલ્લી લોકસભા ચૂંટણી 2019 થી નોંધાયેલા મતદારોમાં છ ટકાનો વધારો થયો છે.


વિશ્વમાં સૌથી વધુ મતદારો ભારતમાં 


ચૂંટણી પંચે કહ્યું કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ મતદારો છે. ભારતમાં આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે 96.88 કરોડ લોકો નોંધાયેલા છે. પોલ પેનલે જણાવ્યું કે લિંગ ગુણોત્તર 2023માં 940થી વધીને 2024માં 948 થયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દરેક તબક્કામાં રાજકીય પક્ષોની ભાગીદારી સાથે, મતદાર યાદીના તમામ કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


આ મતદારોના નામ હટાવ્યા


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 કરોડ 65 લાખ 76 હજાર 654 મૃતકોના નામ, જેઓ અન્ય જગ્યાએ શિફ્ટ થયા છે અને ડુપ્લિકેટ મતદારોના નામ પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં 67 લાખ 82 હજાર 642 મૃત મતદારો, 75 લાખ 11 હજાર 128 ગેરહાજર મતદારો અને 22,5,685 ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે.


2.63 કરોડથી વધુ નવા મતદારો


આ સાથે જ આ વખતે મતદાર યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં અંદાજે 1.41 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, 15 ટકા વધુ નોંધાયેલા પુરૂષ મતદારો (1.22 કરોડ) છે. મતદાર ડેટાબેઝમાં લગભગ 88.35 લાખ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. 17 વર્ષથી વધુ ઉંમરના 10.64 લાખ યુવાનોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે અરજી કરી હતી. તેમાં એવા યુવાનોનો સમાવેશ થાય છે જેઓ ત્રણ તારીખો 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે. 



ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...