લોકસભાની ચૂંટણી 52: દેશની સૌપ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના 14 પક્ષો વચ્ચે હતી સીધી ટક્કર, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-09-29 17:30:07

દેશની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કુલ 53 જેટલા રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું હતું, પણ મુખ્ય લડાઈ તો મુખ્ય 14 રાષ્ટ્રિય પક્ષો વચ્ચે જ હતી. કુલ 53 રાજકીય પક્ષોએ પ્રથમ ચૂંટણી લડી હતી, જેમાંથી 14ને 'રાષ્ટ્રીય પક્ષો' ગણવામાં આવ્યા હતા જ્યારે બાકીનાને 'રાજ્ય' પક્ષો ગણવામાં આવ્યા હતા. દેશભરના રાજકીય પક્ષોના ચૂંટણી પ્રતિક એટલા જાણીતા ન હોવા ઉપરાંત તે સમયે સાક્ષરતાનો નીચો દર પણ ચૂંટણી પંચ માટે મુખ્ય ચિંતાનો વિષય હતો.  દેશના નોંધપાત્ર ક્ષેત્રીય પાર્ટીઓમાં પંજાબમાં શિરોમણિ અકાલી દળનો સમાવેશ થાય છે, જે ચાર લોકસભા બેઠકો જીતવામાં સફળ રહી હતી, તેમજ મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય ગણતંત્ર પરિષદ હતી, જેણે આઠ બેઠકો જીતી હતી. જો કે, આ લેખ મુખ્ય વિજેતા રાષ્ટ્રીય પક્ષો પર  કેન્દ્રિત છે; તેમના મુખ્ય નેતાઓ, તેમના મૂલ્યો, 1952ની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન અને હાલમાં તેમનો કેટલો રાજકીય પ્રભાવ છે તે અંગે છે.



ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC):


ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ સ્પષ્ટ રીતે આગળ ચાલી રહી હતી, જેણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા અગ્રણી નામોને ગૌરવ અપાવ્યું હતું. પાર્ટીએ 479 બેઠકોમાંથી 364 બેઠકો જીતીને પ્રાપ્ત કરી હતીય જે અન્ય તમામ પક્ષો દ્વારા મળીને જીતવામાં આવેલી કુલ બેઠકોની સંખ્યા કરતાં વધુ હતી અને બીજા ક્રમે રહેલી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ને માત્ર 16 બેઠકો મળી હતી.  દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદ પૂર્વ કમ જૌનપુર પશ્ચિમ જિલ્લા મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડી હતી બાદમાં તેનું નામ બદલીને ફૂલપુર રાખવામાં આવ્યું હતું.


નેહરુ ઉપરાંત, કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓમાં અબુલ કલામ આઝાદનો સમાવેશ થાય છે, જેમણે રામપુર જિલ્લા કમ બરેલી જિલ્લા (પશ્ચિમ) મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને ભારતના પ્રથમ શિક્ષણ, રાષ્ટ્રીય સંસાધનો અને વૈજ્ઞાનિક સંશોધન મંત્રી બન્યા હતા અને ગુલઝારીલાલ નંદા, ભારતના પ્રથમ આયોજન અને નદી યોજના મંત્રી બન્યા હતા. જેમણે પાછળથી બે વખત દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી; એકવાર નેહરુના મૃત્યુ પછી અને ત્યાર બાદ ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી તેઓ કાર્યકારી વડા પ્રધાન બન્યા હતા.


પ્રથમ સામાન્ય ચૂંટણી પછી કોંગ્રેસનું વર્ચસ્વ લાંબા સમય સુધી જળવાઈ રહ્યું, કોંગ્રેસે વર્ષ 2014 સુધી 14માંથી 11 ચૂંટણી જીતી હતી, જો કે ત્યાર બાદ દેશનો પ્રવાહ નિર્ણાયક રીતે ભાજપની તરફેણમાં આવ્યો હતો.


આજની કોંગ્રેસ તેની કટ્ટર પ્રતિસ્પર્ધી ભાજપની આસપાસ પણ ક્યાય જોવા નથી મળતી , 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ની 303ની સરખામણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જ મેળવી શકી હતી.  


કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા   (CPI): 

 

ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં CPI રનર અપ તરીકે ઉભરી આવી હતી. માત્ર 16 બેઠકો જીતવા છતાં CPI દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ બની હતી. દેશમાં સામ્યવાદી હાજરી દર્શાવવા માટે વિવિધ જૂથોના એક દાયકાના પ્રયાસો પછી 1925માં કાનપુરમાં પક્ષની સત્તાવાર રીતે રચના કરવામાં આવી હતી. તેની રચના પછી, જો કે, શાસક અંગ્રેજોએ સમગ્ર ભારતમાં સામ્યવાદી પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી હતી અને તેને તેની પ્રવૃતિ ગુપ્ત રીતે ચલાવવાની ફરજ પાડવામાં આવી હતી, CPIએ ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી તેનું કાર્ય ગુપ્ત રીતે ચલાવ્યું હતું.


પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જનારા પક્ષની મુખ્ય માંગ "રાષ્ટ્રીય લોકશાહી" માટેની હતી. તે ઉપરાંત પક્ષના અન્ય મહત્વના મુદ્દાઓ જેવા કે મહિલાઓ માટે સામાજિક સમાનતા, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, જમીન સુધારણા અને તમામ ખાનગી માલિકીના સાહસોને સરકારના નિયંત્રણ હેઠળ લાવવા માટેનો હતો. 


પ્રથમ ચૂંટણીમાં CPIએ મદ્રાસમાંથી સૌથી મોટી સફળતા મેળવી હતી જ્યાં તેના આઠ ઉમેદવારોએ બેઠકો જીતી હતી, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, જ્યાં તેણે પાંચ બેઠકો જીતી હતી, ત્રિપુરા, જ્યાં તેણે બે અને ઓરિસ્સા, જ્યાં તેણે એક બેઠક જીતી હતી.


સોશિયાલિસ્ટ પાર્ટી (SOC): 


CPI પછી જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયાની Socialist Party હતી, જેણે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં લડેલી 254માંથી 12 બેઠક પર જીત મેળવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર રહેલું એક ડાબેરી વિચારસરણી ધરાવતું જૂથ આઝાદી બાદ કોંગ્રેસમાંથી અલગ થઈ ગયું હતું. જય પ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા અને આચાર્ય નરેન્દ્ર દેવ દ્વારા  Socialist Partyની રચના કરવામાં આવી હતી.


મહાત્મા ગાંધી અને નેહરુ સાથેના વૈચારિક મતભેદોને કારણે કોંગ્રેસ સાથે પક્ષનો અણબનાવ હોવા છતાં, લોહિયાએ અહિંસાના ગાંધીવાદી સિદ્ધાંતનું પાલન કરવાનું ચાલુ રાખ્યું હતું, જો કે જય પ્રકાશ નારાયણ વધુ અંતિમવાદી અભિગમના હિમાયતી હતા. પક્ષનો માર્ગદર્શક સિદ્ધાંત વિકેન્દ્રિત સમાજવાદમાંનો એક હતો જેમાં કેન્દ્ર સરકારની ભૂમિકા ઓછી કરીને સ્થાનિક સત્તાધીશોને વધુ આર્થિક સત્તા આપવાનો હતો.


કિસાન મજદુર પ્રજા પાર્ટી (KMPP): 


દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં  કોંગ્રેસ, CPI,  સોશિયાલિસ્ટ પાર્ટી, બાદ આચાર્ય કૃપલાણીની પાર્ટી કિસાન મજદુર પ્રજા પાર્ટી (KMPP)નો નંબર આવે છે. KMPPએ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 145 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી માત્ર 9 ઉમેદવારો જ જીતી શક્યા હતા. આ ચૂંટણીમાં પાર્ટીના પ્રમુખ આચાર્ય કૃપલાણી પણ ચૂંટણી હારી ગયા હતા. 


રસપ્રદ વાત એ છે કે, આચાર્ય કૃપલાણી ફૈઝાબાદ જિલ્લા (ઉત્તર પશ્ચિમ) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પન્ના લાલ સામે હારી ગયા હતા પરંતુ ત્યારબાદ ભાગલપુર મતવિસ્તારની પેટાચૂંટણીમાં લોકસભામાં ચૂંટાયા હતા. તેમની પત્ની સુચેતા કૃપાલાની નવી દિલ્હી લોકસભા સીટ પરથી જીત મેળવી હતી. ચૂંટણી પછી,  કૃપાલાનીની KMPPએ PSP નામનો નવો પક્ષ બનાવવા માટે સોશિયાલિસ્ટ પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા.


આચાર્ય કૃપલાણી જેપી ચળવળ દરમિયાન ઈન્દિરા ગાંધીના ઉગ્ર ટીકાકાર તરીકે પણ ઉભરી આવ્યા હતા અને એંસી વર્ષથી વધુ ઉંમરના હોવા છતાં તેમનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા નેતાઓમાં તેમનાનો સમાવેશ થતો હતો. તેમને નારાયણની સાથે જનતા પાર્ટીની સરકારના નેતાની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું.


અખિલ ભારતીય હિંદુ મહાસભા (HMS): 


અખિલ ભારતીય હિંદુ મહાસભા HMS પહેલા અનેક પ્રાદેશિક હિંદુ સભાઓ હતી જે 1915માં અખિલ ભારતીય હિંદુ સભાના બેનર હેઠળ એકત્ર થઈ હતી. 1921માં, હરિદ્વાર કુંભ મેળામાં સભાની છઠ્ઠી પરિષદમાં, તેણે અખિલ ભારતીય હિંદુ મહાસભા નામ અપનાવ્યું હતું. વર્ષ 1952માં યોજાયેલી દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં HMSને માત્ર ચાર બેઠકો મળી હતી.


વિભાજન પછી, હિંદુઓની થયેલી જાનહાનિ માટે ગાંધીજીની અહિંસાની વિચારધારાને દોષી ઠેરવી અને તેમના પક્ષના સભ્યોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા, આખરે HMS સભ્ય ગોડસેએ ગાંધીની હત્યા કરી હતી. ગાંધીની હત્યા પછી, શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મુખ્ય નેતાઓ, જેમણે આઝાદી પૂર્વે બંગાળમાં શાસક ગઠબંધનમાં અને નેહરુની પ્રથમ વચગાળાની સરકારમાં પણ સેવા આપી હતી, તેમણે ભારતીય જન સંઘ (BJS)ની રચના કરવા માટે પક્ષ છોડી દીધો હતો.


અખિલ ભારતીય રામ રાજ્ય પરિષદ (RRP):


વર્ષ 1948 માં હરિહરાનંદ 'સ્વામી' કરપાત્રી દ્વારા સ્થપાવામાં આવેલી, RRP, નામ પ્રમાણે, હિન્દુ પુનરુત્થાનવાદ અને હિન્દુ રાષ્ટ્રની માંગના સાથે ભારતની પ્રથમ ચૂંટણી લડી હતી. પાર્ટીએ પ્રથમ ચૂંટણીમાં  61 બેઠકો માટે ઉભા રાખેલા ઉમેદવારો પૈકી માત્ર ત્રણ જ જીતનો સ્વાદ ચાખી શક્યા હતા. જો કે, દેશના 'હિન્દી પટ્ટા'માં, ખાસ કરીને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં તેણે મધ્યમ સફળતા મેળવી હતી. કરપાત્રીએ 1940માં ધર્મ સંઘની સ્થાપના પણ કરી હતી, જે ઈસ્લામમાં કન્વર્ટ થયેલા હિંદુઓને ફરીથી ધર્માંતરિત કરવાના કાર્યમાં વ્યસ્ત હતું.


તે સમયે અન્ય હિંદુ રાષ્ટ્રવાદી પક્ષોની જેમ, RRPએ પણ નેહરુ અને બી.આર. આંબેડકર સામે પણ લડત ચલાવી હતી. આંબેડકર દ્વારા હિંદુ કોડ બિલનો અમલ કે જેમાં બિનસાંપ્રદાયિક એકીકૃત નાગરિક સંહિતાની તરફેણમાં હિંદુ પર્સનલ લોને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી, જે અંગ્રેજો દ્વારા શરૂ કરાયેલી કવાયત હતી. પક્ષ આખરે 1971માં શ્યામા પ્રસાદ મુખર્જીની બીજેએસમાં ભળી ગયો હતો.


ભારતીય જનસંઘ (BJS)
:

 

સાવરકરની વિચારધારા સાથે શ્યામા પ્રસાદ મુખર્જીની અસંમતિ અને ત્યારબાદ હિંદુ મહાસભામાંથી બહાર નીકળ્યા પછી, તેમણે RSS સાથે મળીને બીજેએસની સ્થાપના કરી હતી. BJS આરએસએસની હિંદુત્વની રાજનીતિ સાથે જોડાયેલું હતું અને તે પ્રથમ ચૂંટણીમાં લડેલી 49માંથી ત્રણ બેઠકો જીતવામાં સફળ રહી હતી. મુખર્જી પોતે કલકત્તા દક્ષિણ પૂર્વ મતવિસ્તારમાંથી જીત્યા હતા. લાલ કૃષ્ણ અડવાણી, જેઓ શરૂઆતમાં રાજસ્થાનના RSS કાર્યકર હતા, BJSના રાજસ્થાન યુનિટની રચના થયા પછી તરત જ તે સચિવ તરીકે જોડાયા હતા.


1953માં મુખર્જીના અવસાન બાદ, RSSના સભ્યોએ ધીમે ધીમે મુખર્જીના વફાદારોને પક્ષમાંથી હાંકી કાઢ્યા અને તેને વધુને વધુ પોતાની રાજકીય પાંખમાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું હતું. બીજેએસ એ પછી  દેશના હિન્દી પટ્ટામાં, ખરેખર તેની હાજરીનો અનુભવ કરાવ્યો હતો.


ભારતીય જનસંઘે અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણી નેતૃત્વમાં BJSએ જનતા પાર્ટીના ગઠબંધનનું એક અભિન્ન અંગ હતું જેણે ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસનો સામનો કર્યો હતો.


રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (RSP): 


RSPની રચના 1940 માં ત્રિદિબ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી અને તે Bengali Anushilan Samitiમાંથી ઉભરી આવી હતી, જે સંસ્થાનવાદી સરકારને ઉથલાવી દેવા માટે ક્રાંતિકારી હિંસાની હિમાયત કરતી હતી.


પ્રથમ ચૂંટણી પહેલા, RSPએ યુનાઈટેડ સોશ્યલિસ્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (USOI) સાથે  ગઠબંધન કર્યું હતું. આ સમાજવાદી ગઠબંધન  બે લોકસભા બેઠકો પર RSPને ટેકો આપવા માટે સંમત થયું હતું પરંતુ અન્યમાં તેમની સામે લડશે. બંગાળના બેરહામપોર મતવિસ્તારમાંથી પાર્ટીના નેતા ત્રિદિબ ચૌધરીની જીત સાથે RSPએ ત્રણ બેઠકો જીતી હતી.


યુનાઈટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (USOI)


પ્રથમ ચૂંટણી પહેલા, RSPએ યુનાઈટેડ સોશિયાલિસ્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (USOI),નામના એક સમાજવાદી ગઠબંધન સાથે કરાર પર વાટાઘાટો કરી હતી, જે બે લોકસભા બેઠકો પર RSPને ટેકો આપવા માટે સંમત થઈ હતી પરંતુ અન્યમાં તેમની સામે લડશે. બંગાળના બેરહામપોર મતવિસ્તારમાંથી પાર્ટીના નેતા ચૌધરીની જીત સાથે RSPએ ત્રણ બેઠકો જીતી હતી.


હાલમાં, RSPના પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ત્રણ ધારાસભ્યો છે. કેરળમાં, RSP યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ગઠબંધનનો એક ભાગ છે જ્યારે RSP (એલ) LDFનો ભાગ છે.


ઓલ ઈન્ડિયા શિડ્યુલ કાસ્ટસ ફેડરેશન (SCF): 


અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન SCF ની સ્થાપના બી. આર. આંબેડકર દ્વારા કરવામાં આવી હતી. આંબેડકર 1942માં અને ભારતમાં જાતિ અને મૂડીવાદી માળખા વિરુદ્ધ સ્વતંત્ર મજૂર પાર્ટી (ILP) અને ડિપ્રેસ્ડ ક્લાસ ફેડરેશન (DCF) સાથેના તેમના કાર્યને અનુસરીને, પાર્ટીએ ભારતમાં દલિતોના અધિકારો માટે કામ શરૂ કર્યું હતું. શિવરાજને પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા અને પી.એન. રાજભોજ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.


SCFને વર્ષ 1952ની ચૂંટણીમાં વધુ સફળતા મળી ન હતી, તેણે લડેલી 35 બેઠકોમાંથી માત્ર બે બેઠક પર જીત પ્રાપ્ત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, આંબેડકર પોતે બોમ્બે સિટી નોર્થ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર નારાયણ કાજરોલકર સામે ચૂંટણી હારી ગયા હતા, જેઓ એક સમયે આંબેડકરના સાથી હતા.


બાદમાં, જો કે, આંબેડકર રાજ્યસભાના સભ્ય બન્યા, પરંતુ જ્યારે તેમણે ભંડારામાં 1954ની પેટાચૂંટણીમાં ફરીથી લોકસભામાં ચૂંટાવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ કોંગ્રેસના અન્ય ઉમેદવાર દ્વારા પરાજય પામ્યા હતા.


કૃષિકર લોક પાર્ટી (KLP): 


કૃષિકર લોક પાર્ટી (KLP)ની રચના ખેડૂત નેતા એન.જી. રંગા દ્વારા કરવામાં આવી હતી. તેઓ એક સમયે હૈદરાબાદ સ્ટેટ પ્રજા પાર્ટી સાથે જોડાયેલા હતા બાદ  તેમણે પાર્ટીથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો, જે પોતે જ રચાઈ હતી જ્યારે રંગા અને તંગુતુરી પ્રકાશમ અગાઉ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હતા બાદમાં તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. કૃષિકર લોક પાર્ટી (KLP) લોકસભાની પ્રથમ ચૂંટણીમાં માત્ર એક બેઠક મેળવવામાં સફળ રહી હતી; માનક ચંદે ભરતપુર સવાઈ માધોપુર મતવિસ્તારમાંથી પાર્ટી માટે સીટ જીતી હતી. ત્યારબાદ, KLP એ મદ્રાસમાં 1952ની વિધાનસભા ચૂંટણી લડી અને વિધાનસભામાં 15 બેઠકો મેળવી. 1955 માં આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી, નેહરુની વિનંતી પર, KLP કોંગ્રેસમાં ભળી ગઈ. રંગા 1957માં કોંગ્રેસની ટિકિટ પર તેનાલી મતવિસ્તારમાંથી બીજી લોકસભામાં ચૂંટાયા હતા.


જો કે નેહરુની વધતી જતી સમાજવાદી રાજનીતિ જેમ કે જમીન સુધારણા અને સહકારી ખેતી પ્રક્રિયાની સ્થાપનાથી નારાજ થઈને, કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. તેમણે 1959માં, રંગા, સી. રાજગોપાલાચારી સાથે, સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી હતી. રંગા તેના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.


સ્વાતંત્ર પાર્ટીએ કોંગ્રેસની અંદર ઉભરી રહેલા સમાજવાદી મોડલના વિરોધમાં બજાર આધારિત મૂડીવાદી અર્થવ્યવસ્થાનો પક્ષ લીધો હતો; તેના નેતાઓ એવી માન્યતા ધરાવતા હતા કે ન્યૂનતમ રાજ્ય હસ્તક્ષેપ દ્વારા લોકોનું ભલું મહત્તમ કરવામાં આવશે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..