લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ અપનાવશે 'નો રિપીટ થિયરી', કયા સાંસદ થશે ઘરભેગા?


  • Published By :
  • Published Date : 2023-01-31 21:22:30

ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપને ત્રિપાંખિયા જંગનો સામનો કરવો પડશે. ભાજપે નેતા નેતાઓને ચૂંટણી માટે સંગઠનને મજબુત બનાવવા તથા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનો ચુસ્તપણે અમલ કરવા માટે કામે લગાડી દીધા છે. ભાજપને હિંદી બેલ્ટમાં કોઈ મોટા ચમત્કારની આશા નથી. આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો જીતવા માટે સંકલ્પબધ્ધ છે.


લોક સભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી


ભાજપ લોકસભાની ચૂંટણી માટે પણ વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્ટ્રેટેજી અપનાવશે. ભાજપ આ વખતે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ, મોહનભાઈ કુંડારીયા, નારાયણભાઈ કાછડિયાનું પત્તું કાપશે તેવું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તે જ પ્રકારે ભાજપ કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવાના મૂડમાં નથી. તેમને પોતાની લોકસભાની સીટો નક્કી કરવાનું કહીં દેવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા ભાવનગર અને પરષોત્તમ રૂપાલા રાજકોટની સીટ પરથી ચૂંટણી લડે તેવું મનાય છે. હવે આવી સ્થિતિમાં, કેટલાક વર્તમાન સાંસદોની બેઠકોમાં માત્ર ફેરબદલ થશે નહીં, પરંતુ કેટલાકને પડતા મૂકવામાં આવી શકે છે અથવા તેમને અન્ય જગ્યાએ ગોઠવવામાં આવી શકે છે.


પાર્ટીમાં બળવાખોરીની આશંકા


વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો અને કેટવાક ધારાસભ્યોએ પાર્ટીની શિસ્તની ઐસીતૈસી કરીને પણ ચૂંટણી લડી હતી. હવે જો આવી જ સ્થિતી લોકસભાની ચૂંટણીમાં સર્જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. આ કારણે જ ભાજપના ટોચના નેતાઓ ફુંકી-ફુંકીને રણનિતી બનાવી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.