લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોના નામની કરી જાહેરાત, કુલ 27 કેન્ડિડેટ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-19 16:36:14

સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વની સીટો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકિટ આપવામાં આવી છે અને ગાઝીપુર લોકસભા સીટ માટે મુખ્તાર અંસારીના ભાઈ અફઝાલ અંસારીની પસંદગી કરવામાં આવી છે. 



આ નેતાઓને પણ મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ શાહજહાપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપ ગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગૌંડાથી શ્રેયા વર્મા, ચંદોલીથી વીરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા સીટથી નીરજ મૌર્યને ટિકિટ આપવામાં આવી છે.  

 

કુલ 27 ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પાર્ટી દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં ડિમ્પલ યાદવ મૈનપુરીથી, શફીકુર રહેમાન બર્કને સંભલ, અને રવિદાસ મહરોત્રાને લખનઉ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામા આવ્યા છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.