લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોના નામની કરી જાહેરાત, કુલ 27 કેન્ડિડેટ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-19 16:36:14

સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વની સીટો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકિટ આપવામાં આવી છે અને ગાઝીપુર લોકસભા સીટ માટે મુખ્તાર અંસારીના ભાઈ અફઝાલ અંસારીની પસંદગી કરવામાં આવી છે. 



આ નેતાઓને પણ મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ શાહજહાપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપ ગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગૌંડાથી શ્રેયા વર્મા, ચંદોલીથી વીરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા સીટથી નીરજ મૌર્યને ટિકિટ આપવામાં આવી છે.  

 

કુલ 27 ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પાર્ટી દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં ડિમ્પલ યાદવ મૈનપુરીથી, શફીકુર રહેમાન બર્કને સંભલ, અને રવિદાસ મહરોત્રાને લખનઉ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામા આવ્યા છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.