લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોના નામની કરી જાહેરાત, કુલ 27 કેન્ડિડેટ જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-19 16:36:14

સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વની સીટો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકિટ આપવામાં આવી છે અને ગાઝીપુર લોકસભા સીટ માટે મુખ્તાર અંસારીના ભાઈ અફઝાલ અંસારીની પસંદગી કરવામાં આવી છે. 



આ નેતાઓને પણ મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ શાહજહાપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપ ગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગૌંડાથી શ્રેયા વર્મા, ચંદોલીથી વીરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા સીટથી નીરજ મૌર્યને ટિકિટ આપવામાં આવી છે.  

 

કુલ 27 ઉમેદવારો જાહેર


સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પાર્ટી દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં ડિમ્પલ યાદવ મૈનપુરીથી, શફીકુર રહેમાન બર્કને સંભલ, અને રવિદાસ મહરોત્રાને લખનઉ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામા આવ્યા છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.