Lok Sabha Elections: સમાજવાદી પાર્ટીની 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-01-30 21:37:54

સમાજવાદી પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સંભલથી વર્તમાન સાંસદ શફિકુર રહેમાન વર્કને તક આપવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ જે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં આંબેડકર નગરથી લાલજી વર્મા, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, એટાથી દેવેશ શાક્ય, બદાયુનથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદૌરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનૌથી રવિદાસ મહરોત્રા, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, અકબરપુરથી રાજારામ પાલ, ફર્રુખાબાદથી ડૉ.નવલ કિશોર શાક્ય, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.