Lok Sabha Elections: સમાજવાદી પાર્ટીની 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-01-30 21:37:54

સમાજવાદી પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સંભલથી વર્તમાન સાંસદ શફિકુર રહેમાન વર્કને તક આપવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ જે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં આંબેડકર નગરથી લાલજી વર્મા, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, એટાથી દેવેશ શાક્ય, બદાયુનથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદૌરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનૌથી રવિદાસ મહરોત્રા, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, અકબરપુરથી રાજારામ પાલ, ફર્રુખાબાદથી ડૉ.નવલ કિશોર શાક્ય, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.