Lok Sabha Elections: સમાજવાદી પાર્ટીની 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-01-30 21:37:54

સમાજવાદી પાર્ટીએ મંગળવારે લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સંભલથી વર્તમાન સાંસદ શફિકુર રહેમાન વર્કને તક આપવામાં આવી છે.


આ ઉમેદવારોને મળી ટિકિટ


સમાજવાદી પાર્ટીએ જે અન્ય 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં આંબેડકર નગરથી લાલજી વર્મા, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, એટાથી દેવેશ શાક્ય, બદાયુનથી ધર્મેન્દ્ર યાદવ, ખેરીથી ઉત્કર્ષ વર્મા, ધૌરહરાથી આનંદ ભદૌરિયા, ઉન્નાવથી અનુ ટંડન, લખનૌથી રવિદાસ મહરોત્રા, બાંદાથી શિવશંકર સિંહ પટેલ, અકબરપુરથી રાજારામ પાલ, ફર્રુખાબાદથી ડૉ.નવલ કિશોર શાક્ય, બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ અને ગોરખપુરથી કાજલ નિષાદનો સમાવેશ થાય છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.