2024ની લોકસભામાં મોટા ભાગના સાંસદોની ટિકિટ કપાશે, પાટીલ અને અમિત શાહ થશે રીપિટ


  • Published By :
  • Published Date : 2023-03-12 14:23:14

લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ પણ રહ્યું નથી ત્યારે કેન્દ્રની મોદી સરકારે તે માટેની  તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ આ મુદ્દે પાર્ટી પદાધીકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. ભાજપના આંતરિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ હાલના 26 પૈકી 22 સાંસદોનું પત્તુ કપાશે, અને  તેમના બદલે નવા ચહેરાને તક મળશે. 


કયા સાંસદોની ટિકિટો કપાવાની શક્યતા?


ભાજપે તૈયાર કરેલી ચૂંટણી સ્ટ્રેટેજી મુજબ મોટા ભાગના સાંસદો ઘરભેગા થશે. આ સાંસદોમાં રંજનબેન ભટ્ટ, વડોદરા,ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુર, મનસુખ વસાવા, ભરૂચ, પરભુ વસાવા, બારડોલી, દર્શના જરદોશ, સુરત, કે.સી. પટેલ, વલસાડ,પરબત પટેલ, બનાસકાંઠા, દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, ભરતજી ડાભી, પાટણ, શારદાબેન પટેલ, મહેસાણા, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, મોહન કુંડારિયા, રાજકોટ, રમેશ ધડુક, પોરબંદર, પૂનમ માડમ, જામનગર, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, નારણ કાછડિયા, અમરેલી, મિતેશ પટેલ, આણંદ, દેવુસિંહ ચૌહાણ, ખેડા, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.



શા માટે ભાજપ શોધી રહ્યું છે નવા ચહેરા?


હવે સવાલ એ થાય છે કે ભાજપ પાસે જીતી શકવાની ક્ષમતા ધરાવતા લોકપ્રિય  ચહેરા હોવા છતાં ભાજપ નવા ચહેરાઓ કેમ શોધી રહ્યું છે?. કેટલાક નેતાઓ જાતિ સમીકરણની દ્રષ્ટીએ કે તેમના અંગત પ્રભાવના કારણે તેમના સંસદીય ક્ષેત્રમાં જબરદસ્ત વર્ચસ્વ ધરાવે છે. તે જ પ્રકારે ભારતી શિયાળ, પૂનમ માડમ, રંજનબેન ભટ્ટ અને દર્શના જરદોશ જેવા આક્રમક મહિલા સાંસદો હોવા છતાં પણ શું કામ BJP બીજાને શોધે છે એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. 


નિષ્ક્રિય સાંસદો ઘરભેગા થશે


ભાજપે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ મુજબ પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વના સાંસદો નામો પર ખતરો છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી અને સાબરકાંઠા, દીપસિંહ રાઠોડનું પત્તુ તેમની તદ્દન નિષ્ક્રિયતાના કારણે કપાશે. આ સાંસદોએ સંસદની કાર્યવાહીમાં અને તેમના સંસદીય વિસ્તારમાં પણ કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. આ નામોમાં પણ કચ્છના વિનોદ ચાવડાને ટિકીટ મળવાની શક્યતા 50 ટકા જેટલી છે. તે જ પ્રકારે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાવાની પણ શક્યતા છે. રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગ આત્મહત્યા કેસમાં આવ્યું છે. વેરાવળના ડો. ચગે પૈસાની લેતીદેતીમાં આત્મહત્યા કરી હતી અને તેમની સ્યુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ લખ્યું હતું.


લોકસભાની ચૂંટણી માટે કોને તક મળશે?


આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 અગ્રણી નેતાઓના નામ તો નક્કી જ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનું નામ પાક્કુ મનાય છે. આમાં પણ પાટીલ અને અમિત શાહ રીપિટ થશે, જ્યારે રૂપાલા અને માંડવિયાને હવે રાજ્ય સભાને બદલે લોકસભામાં અન્ટ્રી માટે તૈયારી કરાવાનું પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.