2024ની લોકસભામાં મોટા ભાગના સાંસદોની ટિકિટ કપાશે, પાટીલ અને અમિત શાહ થશે રીપિટ


  • Published By :
  • Published Date : 2023-03-12 14:23:14

લોકસભાની ચૂંટણીને માંડ એક વર્ષ પણ રહ્યું નથી ત્યારે કેન્દ્રની મોદી સરકારે તે માટેની  તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ આ મુદ્દે પાર્ટી પદાધીકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. ભાજપના આંતરિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ હાલના 26 પૈકી 22 સાંસદોનું પત્તુ કપાશે, અને  તેમના બદલે નવા ચહેરાને તક મળશે. 


કયા સાંસદોની ટિકિટો કપાવાની શક્યતા?


ભાજપે તૈયાર કરેલી ચૂંટણી સ્ટ્રેટેજી મુજબ મોટા ભાગના સાંસદો ઘરભેગા થશે. આ સાંસદોમાં રંજનબેન ભટ્ટ, વડોદરા,ગીતાબેન રાઠવા, છોટા ઉદેપુર, મનસુખ વસાવા, ભરૂચ, પરભુ વસાવા, બારડોલી, દર્શના જરદોશ, સુરત, કે.સી. પટેલ, વલસાડ,પરબત પટેલ, બનાસકાંઠા, દીપસિંહ રાઠોડ, સાબરકાંઠા, ભરતજી ડાભી, પાટણ, શારદાબેન પટેલ, મહેસાણા, હસમુખ પટેલ, અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી, અમદાવાદ પશ્ચિમ, મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર, મોહન કુંડારિયા, રાજકોટ, રમેશ ધડુક, પોરબંદર, પૂનમ માડમ, જામનગર, રાજેશ ચુડાસમા, જૂનાગઢ, નારણ કાછડિયા, અમરેલી, મિતેશ પટેલ, આણંદ, દેવુસિંહ ચૌહાણ, ખેડા, રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.



શા માટે ભાજપ શોધી રહ્યું છે નવા ચહેરા?


હવે સવાલ એ થાય છે કે ભાજપ પાસે જીતી શકવાની ક્ષમતા ધરાવતા લોકપ્રિય  ચહેરા હોવા છતાં ભાજપ નવા ચહેરાઓ કેમ શોધી રહ્યું છે?. કેટલાક નેતાઓ જાતિ સમીકરણની દ્રષ્ટીએ કે તેમના અંગત પ્રભાવના કારણે તેમના સંસદીય ક્ષેત્રમાં જબરદસ્ત વર્ચસ્વ ધરાવે છે. તે જ પ્રકારે ભારતી શિયાળ, પૂનમ માડમ, રંજનબેન ભટ્ટ અને દર્શના જરદોશ જેવા આક્રમક મહિલા સાંસદો હોવા છતાં પણ શું કામ BJP બીજાને શોધે છે એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. 


નિષ્ક્રિય સાંસદો ઘરભેગા થશે


ભાજપે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટ મુજબ પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વના સાંસદો નામો પર ખતરો છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ, જશવંતસિંહ ભાભોર, દાહોદ અમદાવાદ પૂર્વ, ડો. કિરીટ સોલંકી અને સાબરકાંઠા, દીપસિંહ રાઠોડનું પત્તુ તેમની તદ્દન નિષ્ક્રિયતાના કારણે કપાશે. આ સાંસદોએ સંસદની કાર્યવાહીમાં અને તેમના સંસદીય વિસ્તારમાં પણ કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. આ નામોમાં પણ કચ્છના વિનોદ ચાવડાને ટિકીટ મળવાની શક્યતા 50 ટકા જેટલી છે. તે જ પ્રકારે ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાવાની પણ શક્યતા છે. રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગ આત્મહત્યા કેસમાં આવ્યું છે. વેરાવળના ડો. ચગે પૈસાની લેતીદેતીમાં આત્મહત્યા કરી હતી અને તેમની સ્યુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ લખ્યું હતું.


લોકસભાની ચૂંટણી માટે કોને તક મળશે?


આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 અગ્રણી નેતાઓના નામ તો નક્કી જ છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનું નામ પાક્કુ મનાય છે. આમાં પણ પાટીલ અને અમિત શાહ રીપિટ થશે, જ્યારે રૂપાલા અને માંડવિયાને હવે રાજ્ય સભાને બદલે લોકસભામાં અન્ટ્રી માટે તૈયારી કરાવાનું પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .