ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જાણો કોણ છે આપણા 'કરોડપતિ' લોકસેવકો?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:42:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં કરોડપતિ ઉમેદાવરો ઉતર્યા છે, આ ટાણે આપણા કરોડપતિ લોકસેવકો અંગે જાણવું રસપ્રદ બની રહેશે.


જયંતિ પટેલ


માણસા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલ હરીફ છે. તેમણે તેમના ઉમેદવારી ફોર્મ સાથે દાખલ કરેલ ચૂંટણી એફિડેવિટમાં રૂ. 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીના સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે જયંતિ પટેલ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ધનિક ઉમેદવાર છે.


64 વર્ષીય જયંતિ પટેલે  તેમની સંપત્તી અંગે એક કુશળ રાજકારણીને શોભે તેવી નમ્રતાથી કર્યું “હું તે નથી જાણતો કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છું. મારા પુત્ર અને મેં અમારો વ્યવસાય સ્થાપિત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આજે અમે ખુશ છીએ કે તે બિઝનેશ સફળતાથી ચાલે છે,”પટેલને એક પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. તેમના પિતા સોમા પટેલ માણસા તાલુકાના અજોલ ગામમાં ખેડૂત હતા. હાલ પરિવાર ગાંધીનગર જિલ્લાના નભોઇ ખાતે રહે છે. જયંતિ પટેલ કહ્યું કે તેઓ ભાજપ સાથે તેના જનસંઘના સમયથી જોડાયેલા છે.


જયંતિ પટેલે એફિડેવિટમાં સત્તાવાર રીતે જાહેર કરેલી સંપત્તિની વિગત મુજબ તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 44. 22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદી બેનની વાર્ષિક આવક રૂ. 62. 7 લાખ છે. તેમની પાસે રૂ. 92. 4 લાખની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 1.2 કરોડની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ રૂ. 147. 04 કરોડની છે અને સ્થિર સંપત્તિ રૂ. 514 કરોડની છે. તેમની કુલ જવાબદારી (liability) રૂ. 233. 8 કરોડ છે.


બળવંતસિંહ રાજપૂત


બળવંતસિંહ રાજપૂત કે જેઓ સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે, તેઓ રૂ. 447 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર છે, બળવંતસિંહ રાજપૂત રૂ. 13 કરોડની જવાબદારી ધરાવે છે.


પબુભા માણેક


દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ રૂ. 178. 58 કરોડ છે. જ્યારે પબુભા માણેકની જવાબદારી રૂ. 1. 74 કરોડની છે.


 ઈન્દ્રનીલ રાજ્યગુરુ 


કરોડપતિ ઉમેદવારોમાં ચોથા સ્થાને રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે. જેમણે તેમની એફિડેવિટમાં કુલ રૂ. 159. 84 કરોડની સંપત્તિ દર્શાવી છે, 


રમેશ ટીલારા


રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલારા આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે. તેમની સત્તાવાર સંપત્તી રૂ. 124. 86 કરોડની સંપત્તિ છે. 


ધર્મેન્દ્રસિંહ વાઘેલા


વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રૂ. 111. 97 કરોડની સંપત્તિ જાહેર કરી છે, તેઓ આ યાદીમાં આવતા છઠ્ઠા સૌથી ધનિક ઉમેદવાર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.