ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જાણો કોણ છે આપણા 'કરોડપતિ' લોકસેવકો?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:42:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં કરોડપતિ ઉમેદાવરો ઉતર્યા છે, આ ટાણે આપણા કરોડપતિ લોકસેવકો અંગે જાણવું રસપ્રદ બની રહેશે.


જયંતિ પટેલ


માણસા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલ હરીફ છે. તેમણે તેમના ઉમેદવારી ફોર્મ સાથે દાખલ કરેલ ચૂંટણી એફિડેવિટમાં રૂ. 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીના સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે જયંતિ પટેલ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ધનિક ઉમેદવાર છે.


64 વર્ષીય જયંતિ પટેલે  તેમની સંપત્તી અંગે એક કુશળ રાજકારણીને શોભે તેવી નમ્રતાથી કર્યું “હું તે નથી જાણતો કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છું. મારા પુત્ર અને મેં અમારો વ્યવસાય સ્થાપિત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આજે અમે ખુશ છીએ કે તે બિઝનેશ સફળતાથી ચાલે છે,”પટેલને એક પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. તેમના પિતા સોમા પટેલ માણસા તાલુકાના અજોલ ગામમાં ખેડૂત હતા. હાલ પરિવાર ગાંધીનગર જિલ્લાના નભોઇ ખાતે રહે છે. જયંતિ પટેલ કહ્યું કે તેઓ ભાજપ સાથે તેના જનસંઘના સમયથી જોડાયેલા છે.


જયંતિ પટેલે એફિડેવિટમાં સત્તાવાર રીતે જાહેર કરેલી સંપત્તિની વિગત મુજબ તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 44. 22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદી બેનની વાર્ષિક આવક રૂ. 62. 7 લાખ છે. તેમની પાસે રૂ. 92. 4 લાખની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 1.2 કરોડની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ રૂ. 147. 04 કરોડની છે અને સ્થિર સંપત્તિ રૂ. 514 કરોડની છે. તેમની કુલ જવાબદારી (liability) રૂ. 233. 8 કરોડ છે.


બળવંતસિંહ રાજપૂત


બળવંતસિંહ રાજપૂત કે જેઓ સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે, તેઓ રૂ. 447 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર છે, બળવંતસિંહ રાજપૂત રૂ. 13 કરોડની જવાબદારી ધરાવે છે.


પબુભા માણેક


દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ રૂ. 178. 58 કરોડ છે. જ્યારે પબુભા માણેકની જવાબદારી રૂ. 1. 74 કરોડની છે.


 ઈન્દ્રનીલ રાજ્યગુરુ 


કરોડપતિ ઉમેદવારોમાં ચોથા સ્થાને રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે. જેમણે તેમની એફિડેવિટમાં કુલ રૂ. 159. 84 કરોડની સંપત્તિ દર્શાવી છે, 


રમેશ ટીલારા


રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલારા આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે. તેમની સત્તાવાર સંપત્તી રૂ. 124. 86 કરોડની સંપત્તિ છે. 


ધર્મેન્દ્રસિંહ વાઘેલા


વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રૂ. 111. 97 કરોડની સંપત્તિ જાહેર કરી છે, તેઓ આ યાદીમાં આવતા છઠ્ઠા સૌથી ધનિક ઉમેદવાર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.