ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જાણો કોણ છે આપણા 'કરોડપતિ' લોકસેવકો?


  • Published By :
  • Published Date : 2022-11-21 13:42:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં કરોડપતિ ઉમેદાવરો ઉતર્યા છે, આ ટાણે આપણા કરોડપતિ લોકસેવકો અંગે જાણવું રસપ્રદ બની રહેશે.


જયંતિ પટેલ


માણસા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલ હરીફ છે. તેમણે તેમના ઉમેદવારી ફોર્મ સાથે દાખલ કરેલ ચૂંટણી એફિડેવિટમાં રૂ. 661. 29 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીના સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે જયંતિ પટેલ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ધનિક ઉમેદવાર છે.


64 વર્ષીય જયંતિ પટેલે  તેમની સંપત્તી અંગે એક કુશળ રાજકારણીને શોભે તેવી નમ્રતાથી કર્યું “હું તે નથી જાણતો કે હું સૌથી ધનિક ઉમેદવાર છું. હું ત્રણ દાયકાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છું. મારા પુત્ર અને મેં અમારો વ્યવસાય સ્થાપિત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આજે અમે ખુશ છીએ કે તે બિઝનેશ સફળતાથી ચાલે છે,”પટેલને એક પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. તેમના પિતા સોમા પટેલ માણસા તાલુકાના અજોલ ગામમાં ખેડૂત હતા. હાલ પરિવાર ગાંધીનગર જિલ્લાના નભોઇ ખાતે રહે છે. જયંતિ પટેલ કહ્યું કે તેઓ ભાજપ સાથે તેના જનસંઘના સમયથી જોડાયેલા છે.


જયંતિ પટેલે એફિડેવિટમાં સત્તાવાર રીતે જાહેર કરેલી સંપત્તિની વિગત મુજબ તેમની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 44. 22 લાખ છે જ્યારે તેમની પત્ની આનંદી બેનની વાર્ષિક આવક રૂ. 62. 7 લાખ છે. તેમની પાસે રૂ. 92. 4 લાખની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 1.2 કરોડની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ રૂ. 147. 04 કરોડની છે અને સ્થિર સંપત્તિ રૂ. 514 કરોડની છે. તેમની કુલ જવાબદારી (liability) રૂ. 233. 8 કરોડ છે.


બળવંતસિંહ રાજપૂત


બળવંતસિંહ રાજપૂત કે જેઓ સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે, તેઓ રૂ. 447 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરના સૌથી ધનિક ઉમેદવાર છે, બળવંતસિંહ રાજપૂત રૂ. 13 કરોડની જવાબદારી ધરાવે છે.


પબુભા માણેક


દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ રૂ. 178. 58 કરોડ છે. જ્યારે પબુભા માણેકની જવાબદારી રૂ. 1. 74 કરોડની છે.


 ઈન્દ્રનીલ રાજ્યગુરુ 


કરોડપતિ ઉમેદવારોમાં ચોથા સ્થાને રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે. જેમણે તેમની એફિડેવિટમાં કુલ રૂ. 159. 84 કરોડની સંપત્તિ દર્શાવી છે, 


રમેશ ટીલારા


રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલારા આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે. તેમની સત્તાવાર સંપત્તી રૂ. 124. 86 કરોડની સંપત્તિ છે. 


ધર્મેન્દ્રસિંહ વાઘેલા


વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રૂ. 111. 97 કરોડની સંપત્તિ જાહેર કરી છે, તેઓ આ યાદીમાં આવતા છઠ્ઠા સૌથી ધનિક ઉમેદવાર છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .