Lokrakshak Recruitment Boardએ પોતાની Website પર કરી Lokrakshak અને PSIની ભરતીની જાહેરાત, સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-03-13 17:47:57

પોલીસમાં ભરતી થવા માટે અનેક યુવાનોને સપના જોયા હશે. અનેક લોકો એની પ્રતિક્ષા પણ કરતા હશે કે ક્યારે ભરતીની જાહેરાત કરવામાં આવે. ત્યારે પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પોલીસની ભરતી કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે અને જે મુજબ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની, SRPની, પોસ્ટ જેલ સિપાહીની, અને જેલ મહિલા સિપાહીની ભરતી કરવામાં આવશે. આ અંગની વિગતો બહાર પાડવામાં આવી ગઈ છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ મિત હતું.  


આ પોસ્ટ માટે કરવામાં આવશે ભરતી!

ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા પોલીસભરતીને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 12,472 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત 472 નવા પીએસઆઈની ભરતી કરવામાં આવશે જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. તે ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. આ અંગેની જાહેરાત સોશિયલ મીડિયા પર આઈપીએસ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આની પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.