Loksabha : Amreliના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમ્મર સામે થઈ ફરિયાદ તો સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની સંભાવના..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-20 15:53:57

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. આજે વાત રાજકોટ લોકસભા બેઠકની નથી કરવી પરંતુ અમરેલી બેઠકની કરવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઠુમ્મરની વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ભાજપની લીગલ સેલની  ટીમ દ્વારા ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે . 


જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ ફરિયાદ 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. અમરેલી લોકસભા પરથી કોંગ્રેસ પાર્ટીએ વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. અને હવે ભાજપની લીગલ સેલની ટીમે જેની ઠુમ્મર પર આરોપ લગાવ્યો છે કે , ચૂંટણી પ્રચારની સભામાં જેની ઠુમ્મરે કેટલીક યુવતીઓને રાષ્ટ્રધ્વજ આપીને નિયમોનો ભંગ કર્યો છે.  હવે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે . 


સુરત કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર ઉઠ્યા સવાલ  

તે સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપે નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઈનને લઈ વાંધો ઉઠાવ્યો છે.. ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે ચાર વાગ્યા સુધીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે.. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.