Loksabha : Amreliના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમ્મર સામે થઈ ફરિયાદ તો સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની સંભાવના..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-20 15:53:57

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. આજે વાત રાજકોટ લોકસભા બેઠકની નથી કરવી પરંતુ અમરેલી બેઠકની કરવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઠુમ્મરની વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ભાજપની લીગલ સેલની  ટીમ દ્વારા ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે . 


જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ ફરિયાદ 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. અમરેલી લોકસભા પરથી કોંગ્રેસ પાર્ટીએ વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. અને હવે ભાજપની લીગલ સેલની ટીમે જેની ઠુમ્મર પર આરોપ લગાવ્યો છે કે , ચૂંટણી પ્રચારની સભામાં જેની ઠુમ્મરે કેટલીક યુવતીઓને રાષ્ટ્રધ્વજ આપીને નિયમોનો ભંગ કર્યો છે.  હવે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે . 


સુરત કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર ઉઠ્યા સવાલ  

તે સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપે નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઈનને લઈ વાંધો ઉઠાવ્યો છે.. ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે ચાર વાગ્યા સુધીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે.. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે