Loksabha : Amreliના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમ્મર સામે થઈ ફરિયાદ તો સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની સંભાવના..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-20 15:53:57

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. આજે વાત રાજકોટ લોકસભા બેઠકની નથી કરવી પરંતુ અમરેલી બેઠકની કરવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઠુમ્મરની વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ભાજપની લીગલ સેલની  ટીમ દ્વારા ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે . 


જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ ફરિયાદ 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. અમરેલી લોકસભા પરથી કોંગ્રેસ પાર્ટીએ વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. અને હવે ભાજપની લીગલ સેલની ટીમે જેની ઠુમ્મર પર આરોપ લગાવ્યો છે કે , ચૂંટણી પ્રચારની સભામાં જેની ઠુમ્મરે કેટલીક યુવતીઓને રાષ્ટ્રધ્વજ આપીને નિયમોનો ભંગ કર્યો છે.  હવે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે . 


સુરત કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર ઉઠ્યા સવાલ  

તે સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપે નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઈનને લઈ વાંધો ઉઠાવ્યો છે.. ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે ચાર વાગ્યા સુધીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે.. 




ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .