Loksabha : Amreliના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમ્મર સામે થઈ ફરિયાદ તો સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની સંભાવના..! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-20 15:53:57

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી હતી. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. આજે વાત રાજકોટ લોકસભા બેઠકની નથી કરવી પરંતુ અમરેલી બેઠકની કરવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઠુમ્મરની વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ભાજપની લીગલ સેલની  ટીમ દ્વારા ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે . 


જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ ફરિયાદ 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી થવાની છે. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. અમરેલી લોકસભા પરથી કોંગ્રેસ પાર્ટીએ વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. અને હવે ભાજપની લીગલ સેલની ટીમે જેની ઠુમ્મર પર આરોપ લગાવ્યો છે કે , ચૂંટણી પ્રચારની સભામાં જેની ઠુમ્મરે કેટલીક યુવતીઓને રાષ્ટ્રધ્વજ આપીને નિયમોનો ભંગ કર્યો છે.  હવે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો કરવા કહ્યું છે . 


સુરત કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર ઉઠ્યા સવાલ  

તે સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉભા થયા છે. મળતી માહિતી અનુસાર ભાજપે નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારોની સાઈનને લઈ વાંધો ઉઠાવ્યો છે.. ભાજપ દ્વારા ચૂંટણી કમિશનરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે ચાર વાગ્યા સુધીમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે.. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.