Loksabha Election 2024 : Congress પંચમહાલની બેઠક પર ઉતારી શકે છે આ દિગ્ગજ નેતાને ઉમેદવાર તરીકે, બીજી બેઠકો માટે આ લોકોના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-03-19 18:48:14

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા માત્ર સાત ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 7માંથી એક ઉમેદવારે પીછે હટ કરી છે. નામ પરત ખેચવા માટે પત્ર લખ્યો છે. બીજા ઉમેદવારોને લઈ કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવી શકે છે. હાઈકમાન્ડમાંથી આ માટે ફોન આવ્યો હોય તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. 

સાતમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર     

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. થોડા સમય બાદ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી ગઈ છે, 22 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ અસમંજસ હોય તેવું લાગે છે. માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને એમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક તરફ ભાજપ પોતાના ધારાસભ્યોને ટિકીટ નથી આપી રહ્યું તો બીજી તરફ કોંગ્રેસે મુખ્યત્વે જગ્યાઓ પર ધારાસભ્યોને ટિકીટ આપી છે. 


કોને ક્યાંથી કોંગ્રેસ ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં?

બાકી રહેલી બેઠકોના નામ અંગેની ચર્ચા કરીએ તો ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પંચમહાલ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. 



કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન

પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.