Loksabha Election 2024 : Congress પંચમહાલની બેઠક પર ઉતારી શકે છે આ દિગ્ગજ નેતાને ઉમેદવાર તરીકે, બીજી બેઠકો માટે આ લોકોના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-03-19 18:48:14

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા માત્ર સાત ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. 7માંથી એક ઉમેદવારે પીછે હટ કરી છે. નામ પરત ખેચવા માટે પત્ર લખ્યો છે. બીજા ઉમેદવારોને લઈ કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ઉમેદવારોના નામને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવી શકે છે. હાઈકમાન્ડમાંથી આ માટે ફોન આવ્યો હોય તેવી વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. 

સાતમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર     

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. થોડા સમય બાદ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી ગઈ છે, 22 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ અસમંજસ હોય તેવું લાગે છે. માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને એમાંથી એક ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક તરફ ભાજપ પોતાના ધારાસભ્યોને ટિકીટ નથી આપી રહ્યું તો બીજી તરફ કોંગ્રેસે મુખ્યત્વે જગ્યાઓ પર ધારાસભ્યોને ટિકીટ આપી છે. 


કોને ક્યાંથી કોંગ્રેસ ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં?

બાકી રહેલી બેઠકોના નામ અંગેની ચર્ચા કરીએ તો ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પંચમહાલ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. 



કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન

પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે