Loksabha Election 2024: Geniben Thakorના ફરી Shankar Chaudhary પર પ્રહાર, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-27 10:46:57

બનાસકાંઠા લોકસભા બેઠકની અનેક વખત ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર બહેન Vs બહેનનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને બહેનોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ જગજાહેર છે. ગેનીબેન શંકર ચૌધરી સામે બેફામ બોલે છે, અને ન બોલવાનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં બનાસની આ બેને શંકર ચૌધરી ઉપર આક્ષેપો કર્યા છે....  

ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર 

ગેનીબેન પોતાના નિવેદનને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર ધૂંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. થરાદના મોરથલ ગામમાં ચૂંટણી સભા યોજાઈ હતી.. જેમાં ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે નિશાન સાધ્યું હતું. ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે જનતાના કામ કરવા એ આપણી ફરજ છે. રાજધર્મ નિભાવવા માટે શંકર ચૌધરીને ગેનીબેને સલાહ આપી તો સાથે સાથે એવા આરોપ પણ લગાવ્યા કે, બિમારી સમયે હૉસ્પિટલમાં કોઈને સારવાર મળે અને તમે મદદરુપ થયા હોય પછી હવે એના વીડિયો બનાવો તો એ મદદ કરી તેનું અપમાન કહેવાય.



ડિપોઝીટ ભરવા માટે ગેનીબેન ઠાકોરે લોકોને કરી અપીલ  

બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર તો ધૂંઆધાર થઈ રહ્યો છે..... પણ એ કેટલો કારગર સાબિત થશે તે જોવુ ખુબ રસપ્રદ રહેશે..... એક વાત બીજી એ પણ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં મતદાતા કોઈ પર પ્રેમ વરસાવે છે? 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.