Loksabha Election 2024: Geniben Thakorના ફરી Shankar Chaudhary પર પ્રહાર, જાણો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-27 10:46:57

બનાસકાંઠા લોકસભા બેઠકની અનેક વખત ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર બહેન Vs બહેનનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને બહેનોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ જગજાહેર છે. ગેનીબેન શંકર ચૌધરી સામે બેફામ બોલે છે, અને ન બોલવાનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં બનાસની આ બેને શંકર ચૌધરી ઉપર આક્ષેપો કર્યા છે....  

ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર 

ગેનીબેન પોતાના નિવેદનને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર ધૂંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. થરાદના મોરથલ ગામમાં ચૂંટણી સભા યોજાઈ હતી.. જેમાં ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે નિશાન સાધ્યું હતું. ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે જનતાના કામ કરવા એ આપણી ફરજ છે. રાજધર્મ નિભાવવા માટે શંકર ચૌધરીને ગેનીબેને સલાહ આપી તો સાથે સાથે એવા આરોપ પણ લગાવ્યા કે, બિમારી સમયે હૉસ્પિટલમાં કોઈને સારવાર મળે અને તમે મદદરુપ થયા હોય પછી હવે એના વીડિયો બનાવો તો એ મદદ કરી તેનું અપમાન કહેવાય.



ડિપોઝીટ ભરવા માટે ગેનીબેન ઠાકોરે લોકોને કરી અપીલ  

બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર તો ધૂંઆધાર થઈ રહ્યો છે..... પણ એ કેટલો કારગર સાબિત થશે તે જોવુ ખુબ રસપ્રદ રહેશે..... એક વાત બીજી એ પણ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં મતદાતા કોઈ પર પ્રેમ વરસાવે છે? 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.