Loksabha Election 2024: Geniben Thakorના ફરી Shankar Chaudhary પર પ્રહાર, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-27 10:46:57

બનાસકાંઠા લોકસભા બેઠકની અનેક વખત ચર્ચા થઈ રહી છે કારણ કે આ બેઠક પર બહેન Vs બહેનનો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બંને બહેનોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બનાસની બેન તરીકે પ્રખ્યાત ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ જગજાહેર છે. ગેનીબેન શંકર ચૌધરી સામે બેફામ બોલે છે, અને ન બોલવાનો કોઈ મોકો નથી છોડતા. ત્યારે ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં બનાસની આ બેને શંકર ચૌધરી ઉપર આક્ષેપો કર્યા છે....  

ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર 

ગેનીબેન પોતાના નિવેદનને કારણે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર ધૂંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. થરાદના મોરથલ ગામમાં ચૂંટણી સભા યોજાઈ હતી.. જેમાં ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે નિશાન સાધ્યું હતું. ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે જનતાના કામ કરવા એ આપણી ફરજ છે. રાજધર્મ નિભાવવા માટે શંકર ચૌધરીને ગેનીબેને સલાહ આપી તો સાથે સાથે એવા આરોપ પણ લગાવ્યા કે, બિમારી સમયે હૉસ્પિટલમાં કોઈને સારવાર મળે અને તમે મદદરુપ થયા હોય પછી હવે એના વીડિયો બનાવો તો એ મદદ કરી તેનું અપમાન કહેવાય.



ડિપોઝીટ ભરવા માટે ગેનીબેન ઠાકોરે લોકોને કરી અપીલ  

બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર તો ધૂંઆધાર થઈ રહ્યો છે..... પણ એ કેટલો કારગર સાબિત થશે તે જોવુ ખુબ રસપ્રદ રહેશે..... એક વાત બીજી એ પણ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં મતદાતા કોઈ પર પ્રેમ વરસાવે છે? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.