Loksabha Election 2024 : જાણો Bardoli સીટના સમીકરણોને, આ બેઠક પરથી ભાજપે સાંસદને કર્યા છે રિપીટ તો કોંગ્રેસે આમને બનાવ્યા છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-03-20 12:05:06

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારને ઉતારતા પહેલા રાજકીય પાર્ટી દ્વારા અનેક સમીકરણોને ધ્યાનમાં રખાતા હોય છે. તે બેઠક પર કયા સમાજનું પ્રતિનિધત્વ છે, કોનું પ્રભુત્વ વધારે છે વગેરે વગેરે.. 26 બેઠકમાંથી ભાજપ દ્વારા 22 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 6 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ બારડોલી લોકસભા બેઠકને, ત્યાંના જાતિગત સમીકરણોને.. 



2014થી આ બેઠક પર સાંસદ છે બીજેપીના પ્રભુભાઈ વસાવા

બારડોલી લોકસભા જે ST અનામત બેઠક છે . આ લોકસભા બેઠક પર આદિવાસી , દલિત અને મુસ્લિમ મતો નિર્ણાયક છે. છેલ્લે કોંગ્રેસના તુષાર ચૌધરી 2009માં જીત્યા હતા. આ પછી 2014થી BJPના પ્રભુભાઈ વસાવા સાંસદ છે. ફરી તેમને 2024માં રિપીટ કરાયા છે . આ વખતે કોંગ્રેસે સુમુલ ડેરી સાથે જોડાયેલા સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપી છે. આ લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભાઓની વાત કરીએ તો માંગરોળ, માંડવી, કામરેજ , બારડોલી , મહુવા , વ્યારા , નિઝર. 



ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ આ તમામ બેઠકો જીતી લીધી હતી. આ બેઠક પર આશરે ૮ લાખ જેટલા મહિલા વોટર્સ અને પુરુષ મતદારો ૯ લાખ જેટલા છે. આ લોકસભા બેઠકનો સાક્ષરતાનો દર ૭૧ ટકા છે. તો જોઈએ મતદારો કયા પક્ષના ઉમેદવારને સંસદ સુધી પહોંચાડે છે? મહત્વનું છે કે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ 4 બેઠકો માટે ઉમેદવારો નથી જાહેર કરવામાં આવ્યા. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"