Loksabha Election 2024 : જાણો Bardoli સીટના સમીકરણોને, આ બેઠક પરથી ભાજપે સાંસદને કર્યા છે રિપીટ તો કોંગ્રેસે આમને બનાવ્યા છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-03-20 12:05:06

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારને ઉતારતા પહેલા રાજકીય પાર્ટી દ્વારા અનેક સમીકરણોને ધ્યાનમાં રખાતા હોય છે. તે બેઠક પર કયા સમાજનું પ્રતિનિધત્વ છે, કોનું પ્રભુત્વ વધારે છે વગેરે વગેરે.. 26 બેઠકમાંથી ભાજપ દ્વારા 22 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 6 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ બારડોલી લોકસભા બેઠકને, ત્યાંના જાતિગત સમીકરણોને.. 



2014થી આ બેઠક પર સાંસદ છે બીજેપીના પ્રભુભાઈ વસાવા

બારડોલી લોકસભા જે ST અનામત બેઠક છે . આ લોકસભા બેઠક પર આદિવાસી , દલિત અને મુસ્લિમ મતો નિર્ણાયક છે. છેલ્લે કોંગ્રેસના તુષાર ચૌધરી 2009માં જીત્યા હતા. આ પછી 2014થી BJPના પ્રભુભાઈ વસાવા સાંસદ છે. ફરી તેમને 2024માં રિપીટ કરાયા છે . આ વખતે કોંગ્રેસે સુમુલ ડેરી સાથે જોડાયેલા સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપી છે. આ લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભાઓની વાત કરીએ તો માંગરોળ, માંડવી, કામરેજ , બારડોલી , મહુવા , વ્યારા , નિઝર. 



ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ આ તમામ બેઠકો જીતી લીધી હતી. આ બેઠક પર આશરે ૮ લાખ જેટલા મહિલા વોટર્સ અને પુરુષ મતદારો ૯ લાખ જેટલા છે. આ લોકસભા બેઠકનો સાક્ષરતાનો દર ૭૧ ટકા છે. તો જોઈએ મતદારો કયા પક્ષના ઉમેદવારને સંસદ સુધી પહોંચાડે છે? મહત્વનું છે કે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ 4 બેઠકો માટે ઉમેદવારો નથી જાહેર કરવામાં આવ્યા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.