Loksabha Election 2024 : જાણો Bardoli સીટના સમીકરણોને, આ બેઠક પરથી ભાજપે સાંસદને કર્યા છે રિપીટ તો કોંગ્રેસે આમને બનાવ્યા છે ઉમેદવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-20 12:05:06

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારને ઉતારતા પહેલા રાજકીય પાર્ટી દ્વારા અનેક સમીકરણોને ધ્યાનમાં રખાતા હોય છે. તે બેઠક પર કયા સમાજનું પ્રતિનિધત્વ છે, કોનું પ્રભુત્વ વધારે છે વગેરે વગેરે.. 26 બેઠકમાંથી ભાજપ દ્વારા 22 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 6 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ બારડોલી લોકસભા બેઠકને, ત્યાંના જાતિગત સમીકરણોને.. 



2014થી આ બેઠક પર સાંસદ છે બીજેપીના પ્રભુભાઈ વસાવા

બારડોલી લોકસભા જે ST અનામત બેઠક છે . આ લોકસભા બેઠક પર આદિવાસી , દલિત અને મુસ્લિમ મતો નિર્ણાયક છે. છેલ્લે કોંગ્રેસના તુષાર ચૌધરી 2009માં જીત્યા હતા. આ પછી 2014થી BJPના પ્રભુભાઈ વસાવા સાંસદ છે. ફરી તેમને 2024માં રિપીટ કરાયા છે . આ વખતે કોંગ્રેસે સુમુલ ડેરી સાથે જોડાયેલા સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપી છે. આ લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભાઓની વાત કરીએ તો માંગરોળ, માંડવી, કામરેજ , બારડોલી , મહુવા , વ્યારા , નિઝર. 



ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ આ તમામ બેઠકો જીતી લીધી હતી. આ બેઠક પર આશરે ૮ લાખ જેટલા મહિલા વોટર્સ અને પુરુષ મતદારો ૯ લાખ જેટલા છે. આ લોકસભા બેઠકનો સાક્ષરતાનો દર ૭૧ ટકા છે. તો જોઈએ મતદારો કયા પક્ષના ઉમેદવારને સંસદ સુધી પહોંચાડે છે? મહત્વનું છે કે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ 4 બેઠકો માટે ઉમેદવારો નથી જાહેર કરવામાં આવ્યા. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે