Loksabha Election 2024 : જાણો Bardoli સીટના સમીકરણોને, આ બેઠક પરથી ભાજપે સાંસદને કર્યા છે રિપીટ તો કોંગ્રેસે આમને બનાવ્યા છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-03-20 12:05:06

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ઉમેદવારને ઉતારતા પહેલા રાજકીય પાર્ટી દ્વારા અનેક સમીકરણોને ધ્યાનમાં રખાતા હોય છે. તે બેઠક પર કયા સમાજનું પ્રતિનિધત્વ છે, કોનું પ્રભુત્વ વધારે છે વગેરે વગેરે.. 26 બેઠકમાંથી ભાજપ દ્વારા 22 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 6 બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ બારડોલી લોકસભા બેઠકને, ત્યાંના જાતિગત સમીકરણોને.. 



2014થી આ બેઠક પર સાંસદ છે બીજેપીના પ્રભુભાઈ વસાવા

બારડોલી લોકસભા જે ST અનામત બેઠક છે . આ લોકસભા બેઠક પર આદિવાસી , દલિત અને મુસ્લિમ મતો નિર્ણાયક છે. છેલ્લે કોંગ્રેસના તુષાર ચૌધરી 2009માં જીત્યા હતા. આ પછી 2014થી BJPના પ્રભુભાઈ વસાવા સાંસદ છે. ફરી તેમને 2024માં રિપીટ કરાયા છે . આ વખતે કોંગ્રેસે સુમુલ ડેરી સાથે જોડાયેલા સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપી છે. આ લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભાઓની વાત કરીએ તો માંગરોળ, માંડવી, કામરેજ , બારડોલી , મહુવા , વ્યારા , નિઝર. 



ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર 

2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ આ તમામ બેઠકો જીતી લીધી હતી. આ બેઠક પર આશરે ૮ લાખ જેટલા મહિલા વોટર્સ અને પુરુષ મતદારો ૯ લાખ જેટલા છે. આ લોકસભા બેઠકનો સાક્ષરતાનો દર ૭૧ ટકા છે. તો જોઈએ મતદારો કયા પક્ષના ઉમેદવારને સંસદ સુધી પહોંચાડે છે? મહત્વનું છે કે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ 4 બેઠકો માટે ઉમેદવારો નથી જાહેર કરવામાં આવ્યા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી