Loksabha Election 2024: Mahipatsinh Chauhanને લડવી છે ચૂંટણી? જાણો ઉમેદવારીને લઈ તેમણે શું વાત કરી?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:57:52

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. રાજકીય પાર્ટીમાં ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહિપતસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે.  

મહિપતસિંહે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી! 

ભાજપ દ્વારા અનેક નવા ચહેરાને લોકસભા ચૂંટણી માટે તક આપવામાં આવી છે, માત્ર થોડા જ વર્તમાન સાંસદોને ભાજપે રીપિટ કર્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા અનેક નેતાઓને હોય છે અને આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશો મહિપતસિંહનો સામે આવ્યો છે જેમાં લોકસભા ચૂંટણીને લઈ વાતો કરી રહ્યા છે. 


બે વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહે નોંધાવી હતી ઉમેદવારી!

જો મહિપતસિંહની વાત કરીએ તો 2022માં તેઓ ખેડા જિલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. એક બેઠક હતી માતરની અને બીજી હતી ખંભાતની. બંને બેઠકો પરથી મહિપતસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી તો ભલે તે હાર્યા પરંતુ સામાજીક કાર્યકર્તા તરીકે તેમની છબી સારી છે. વિધાનસભા ચૂંટણી વખતે તે આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ તે બાદ તેમણે પક્ષને છોડી દીધો હતો અને તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે તેમણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.