Loksabha Election 2024: Mahipatsinh Chauhanને લડવી છે ચૂંટણી? જાણો ઉમેદવારીને લઈ તેમણે શું વાત કરી?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:57:52

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. રાજકીય પાર્ટીમાં ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહિપતસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે.  

મહિપતસિંહે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી! 

ભાજપ દ્વારા અનેક નવા ચહેરાને લોકસભા ચૂંટણી માટે તક આપવામાં આવી છે, માત્ર થોડા જ વર્તમાન સાંસદોને ભાજપે રીપિટ કર્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા અનેક નેતાઓને હોય છે અને આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશો મહિપતસિંહનો સામે આવ્યો છે જેમાં લોકસભા ચૂંટણીને લઈ વાતો કરી રહ્યા છે. 


બે વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહે નોંધાવી હતી ઉમેદવારી!

જો મહિપતસિંહની વાત કરીએ તો 2022માં તેઓ ખેડા જિલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. એક બેઠક હતી માતરની અને બીજી હતી ખંભાતની. બંને બેઠકો પરથી મહિપતસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી તો ભલે તે હાર્યા પરંતુ સામાજીક કાર્યકર્તા તરીકે તેમની છબી સારી છે. વિધાનસભા ચૂંટણી વખતે તે આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ તે બાદ તેમણે પક્ષને છોડી દીધો હતો અને તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે તેમણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે