Loksabha Election 2024: Mahipatsinh Chauhanને લડવી છે ચૂંટણી? જાણો ઉમેદવારીને લઈ તેમણે શું વાત કરી?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:57:52

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારી કરી દીધી છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 અને આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. રાજકીય પાર્ટીમાં ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મહિપતસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે.  

મહિપતસિંહે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી! 

ભાજપ દ્વારા અનેક નવા ચહેરાને લોકસભા ચૂંટણી માટે તક આપવામાં આવી છે, માત્ર થોડા જ વર્તમાન સાંસદોને ભાજપે રીપિટ કર્યા છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા અનેક નેતાઓને હોય છે અને આ બધા વચ્ચે મહિપતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો સંદેશો મહિપતસિંહનો સામે આવ્યો છે જેમાં લોકસભા ચૂંટણીને લઈ વાતો કરી રહ્યા છે. 


બે વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહે નોંધાવી હતી ઉમેદવારી!

જો મહિપતસિંહની વાત કરીએ તો 2022માં તેઓ ખેડા જિલ્લાની બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. એક બેઠક હતી માતરની અને બીજી હતી ખંભાતની. બંને બેઠકો પરથી મહિપતસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી તો ભલે તે હાર્યા પરંતુ સામાજીક કાર્યકર્તા તરીકે તેમની છબી સારી છે. વિધાનસભા ચૂંટણી વખતે તે આમ આદમી પાર્ટીમાં હતા પરંતુ તે બાદ તેમણે પક્ષને છોડી દીધો હતો અને તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે હવે તેમણે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.